પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બીજી વખત વધ્યા, કિંમતો 300 રૂપિયાને પાર


  • Published By :
  • Published Date : 2023-09-01 14:18:37

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે ખાદ્યચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાનમાં અનવારૂલ હક કાકરના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. પહેલાથી વીજળી દરના વધારાથી ત્રસ્ત લોકો પણ આ વધુ એક મોંઘવારીનો બોંબ ઝીંકવામાં આવ્યો છે. પાકિસ્તાનની વચગાળાની સરકારે પેટ્રોલની  કિંમતમાં 14.91 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયા પ્રતિ લિટર જેટલો વધારો કર્યો છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.


પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા?


પાકિસ્તાનના નાણા મંત્રાયલે અડધી રાત્ર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પોસ્ટ કરી હતી. જેમાં પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની જાણકારી આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને એચએસડી 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે હળવા ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


પાકિસ્તાન સરકારે શું કહ્યું?


પાકિસ્તાનની વચગાળાની સરકારે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે પોતાનો વચાવ કરતા તર્ક આપ્યો હતો  કે કિંમતોમાં આ ભાવ વધારો ટેક્સ રેટ અને આયાતી ભાવ પર આધારીત છે. ખાસ કરીને પાકિસ્તાનની કરન્સીમાં ઘટાડા અને ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે થયેલા વધારાના કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .