પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બીજી વખત વધ્યા, કિંમતો 300 રૂપિયાને પાર


  • Published By :
  • Published Date : 2023-09-01 14:18:37

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે ખાદ્યચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાનમાં અનવારૂલ હક કાકરના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. પહેલાથી વીજળી દરના વધારાથી ત્રસ્ત લોકો પણ આ વધુ એક મોંઘવારીનો બોંબ ઝીંકવામાં આવ્યો છે. પાકિસ્તાનની વચગાળાની સરકારે પેટ્રોલની  કિંમતમાં 14.91 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયા પ્રતિ લિટર જેટલો વધારો કર્યો છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.


પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા?


પાકિસ્તાનના નાણા મંત્રાયલે અડધી રાત્ર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પોસ્ટ કરી હતી. જેમાં પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની જાણકારી આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને એચએસડી 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે હળવા ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


પાકિસ્તાન સરકારે શું કહ્યું?


પાકિસ્તાનની વચગાળાની સરકારે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે પોતાનો વચાવ કરતા તર્ક આપ્યો હતો  કે કિંમતોમાં આ ભાવ વધારો ટેક્સ રેટ અને આયાતી ભાવ પર આધારીત છે. ખાસ કરીને પાકિસ્તાનની કરન્સીમાં ઘટાડા અને ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે થયેલા વધારાના કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.