પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બીજી વખત વધ્યા, કિંમતો 300 રૂપિયાને પાર


  • Published By :
  • Published Date : 2023-09-01 14:18:37

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે ખાદ્યચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાનમાં અનવારૂલ હક કાકરના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. પહેલાથી વીજળી દરના વધારાથી ત્રસ્ત લોકો પણ આ વધુ એક મોંઘવારીનો બોંબ ઝીંકવામાં આવ્યો છે. પાકિસ્તાનની વચગાળાની સરકારે પેટ્રોલની  કિંમતમાં 14.91 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયા પ્રતિ લિટર જેટલો વધારો કર્યો છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.


પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા?


પાકિસ્તાનના નાણા મંત્રાયલે અડધી રાત્ર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પોસ્ટ કરી હતી. જેમાં પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની જાણકારી આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને એચએસડી 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે હળવા ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


પાકિસ્તાન સરકારે શું કહ્યું?


પાકિસ્તાનની વચગાળાની સરકારે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે પોતાનો વચાવ કરતા તર્ક આપ્યો હતો  કે કિંમતોમાં આ ભાવ વધારો ટેક્સ રેટ અને આયાતી ભાવ પર આધારીત છે. ખાસ કરીને પાકિસ્તાનની કરન્સીમાં ઘટાડા અને ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે થયેલા વધારાના કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.