પાકિસ્તાનમાં રાતના અંધારામાં 150 વર્ષ જૂનું હિંદુ મંદિર ધ્વસ્ત કરાયું, હુમલાખોરોને પોલીસે આપી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-07-16 20:10:40

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાચીમાં હિંદુઓની આસ્થાનું પ્રતિક 150 વર્ષ જૂનું મરી માતાનું મંદિર રાતના અંધારામાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત તો એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાઓને સુરક્ષા પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના પૂજારીઓ સવારે પહોંચ્યા ત્યારે તેમને આ 150 વર્ષ જૂનું પવિત્ર સ્થળ તોડી પડાયેલું જોવા મળ્યું હતું. કરાચીમાં આ મરી માતા મંદિર, મુખી ચોહિતરામ રોડ પર, સોલ્જર બજાર પોલીસ સ્ટેશનની ખૂબ નજીક આવેલું છે.


પોલીસની હાજરીમાં મંદિર તોડવામાં આવ્યું


કરાચીમાં શુક્રવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વીજળી ન હતી ત્યારે મંદિરને ધરાશાઈ કરવામાં આવ્યું હતું.  ઘણા ખોદકામ માટેના અને ડિમોલિશન કામ માટેના મશીનો સાથે લોકો આ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓએ બહારની દિવાલો અને મુખ્ય દરવાજો અકબંધ રાખીને અંદરથી સમગ્ર માળખું તોડી નાખ્યું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે બુલડોઝર અને અન્ય સાધનો ચલાવતા લોકોને 'કવર' આપવા માટે પોલીસ વાહન પણ ઘટનાસ્થળે હાજર હતા. આ મંદિર લગભગ 400 થી 500 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે. આ મંદિર પર અતિક્રમણ કરનારાઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા. તેમણે આ મંદિર પર કબજો કરવાનો અનેકવાર પ્રયાસ પણ કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે