પાકિસ્તાનમાં રાતના અંધારામાં 150 વર્ષ જૂનું હિંદુ મંદિર ધ્વસ્ત કરાયું, હુમલાખોરોને પોલીસે આપી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-07-16 20:10:40

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાચીમાં હિંદુઓની આસ્થાનું પ્રતિક 150 વર્ષ જૂનું મરી માતાનું મંદિર રાતના અંધારામાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત તો એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાઓને સુરક્ષા પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના પૂજારીઓ સવારે પહોંચ્યા ત્યારે તેમને આ 150 વર્ષ જૂનું પવિત્ર સ્થળ તોડી પડાયેલું જોવા મળ્યું હતું. કરાચીમાં આ મરી માતા મંદિર, મુખી ચોહિતરામ રોડ પર, સોલ્જર બજાર પોલીસ સ્ટેશનની ખૂબ નજીક આવેલું છે.


પોલીસની હાજરીમાં મંદિર તોડવામાં આવ્યું


કરાચીમાં શુક્રવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વીજળી ન હતી ત્યારે મંદિરને ધરાશાઈ કરવામાં આવ્યું હતું.  ઘણા ખોદકામ માટેના અને ડિમોલિશન કામ માટેના મશીનો સાથે લોકો આ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓએ બહારની દિવાલો અને મુખ્ય દરવાજો અકબંધ રાખીને અંદરથી સમગ્ર માળખું તોડી નાખ્યું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે બુલડોઝર અને અન્ય સાધનો ચલાવતા લોકોને 'કવર' આપવા માટે પોલીસ વાહન પણ ઘટનાસ્થળે હાજર હતા. આ મંદિર લગભગ 400 થી 500 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે. આ મંદિર પર અતિક્રમણ કરનારાઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા. તેમણે આ મંદિર પર કબજો કરવાનો અનેકવાર પ્રયાસ પણ કર્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .