પાકિસ્તાનમાં રાતના અંધારામાં 150 વર્ષ જૂનું હિંદુ મંદિર ધ્વસ્ત કરાયું, હુમલાખોરોને પોલીસે આપી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-07-16 20:10:40

પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાચીમાં હિંદુઓની આસ્થાનું પ્રતિક 150 વર્ષ જૂનું મરી માતાનું મંદિર રાતના અંધારામાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત તો એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાઓને સુરક્ષા પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના પૂજારીઓ સવારે પહોંચ્યા ત્યારે તેમને આ 150 વર્ષ જૂનું પવિત્ર સ્થળ તોડી પડાયેલું જોવા મળ્યું હતું. કરાચીમાં આ મરી માતા મંદિર, મુખી ચોહિતરામ રોડ પર, સોલ્જર બજાર પોલીસ સ્ટેશનની ખૂબ નજીક આવેલું છે.


પોલીસની હાજરીમાં મંદિર તોડવામાં આવ્યું


કરાચીમાં શુક્રવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વીજળી ન હતી ત્યારે મંદિરને ધરાશાઈ કરવામાં આવ્યું હતું.  ઘણા ખોદકામ માટેના અને ડિમોલિશન કામ માટેના મશીનો સાથે લોકો આ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓએ બહારની દિવાલો અને મુખ્ય દરવાજો અકબંધ રાખીને અંદરથી સમગ્ર માળખું તોડી નાખ્યું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે બુલડોઝર અને અન્ય સાધનો ચલાવતા લોકોને 'કવર' આપવા માટે પોલીસ વાહન પણ ઘટનાસ્થળે હાજર હતા. આ મંદિર લગભગ 400 થી 500 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે. આ મંદિર પર અતિક્રમણ કરનારાઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા. તેમણે આ મંદિર પર કબજો કરવાનો અનેકવાર પ્રયાસ પણ કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.