પાકિસ્તાનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી, 22 લોકોના મોત, 80થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 17:08:57

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, પાકિસ્તાની મીડિયા અનુસાર રાવલપિંડીથી ઉપડતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના પગલે અત્યાર સુધીમાં 22 લોકો મોત થયા છે, જ્યારે લગભગ 80થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક દુર્ઘટના સહારા રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે.


હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર


આ ભયાનક ટ્રેન અકસ્માતથી ઘાયલ થયેલા લોકોને નવાબશાહની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાયું નથી. વધુ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે શહેરની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.


પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતમાં વધારો


અકસ્માતનો ભોગ બનેલી હજારા એક્સપ્રેસમાં એ જ એન્જીન ફીટ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે માર્ચમાં હવેલીયાંથી કરાચી જતી ટ્રેનમાં ફીટ કરવામાં આવ્યું હતું. રેલ્વે અધિકારીઓની બેદરકારીના કારણે આ ટ્રેન પણ ભયાનક અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ હતી. ભૂતકાળમાં કરાચીથી સિયાલકોટ જઈ રહેલી અલ્લામા ઈકબાલ એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતો સામાન્ય બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ઘણી મોટી રેલ દુર્ઘટનાઓ થઈ છે અને છેલ્લા વર્ષોમાં તેમાં વધારો થયો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .