પાકિસ્તાનમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી, 22 લોકોના મોત, 80થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 17:08:57

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, પાકિસ્તાની મીડિયા અનુસાર રાવલપિંડીથી ઉપડતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના પગલે અત્યાર સુધીમાં 22 લોકો મોત થયા છે, જ્યારે લગભગ 80થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક દુર્ઘટના સહારા રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે.


હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર


આ ભયાનક ટ્રેન અકસ્માતથી ઘાયલ થયેલા લોકોને નવાબશાહની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાયું નથી. વધુ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે શહેરની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.


પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતમાં વધારો


અકસ્માતનો ભોગ બનેલી હજારા એક્સપ્રેસમાં એ જ એન્જીન ફીટ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે માર્ચમાં હવેલીયાંથી કરાચી જતી ટ્રેનમાં ફીટ કરવામાં આવ્યું હતું. રેલ્વે અધિકારીઓની બેદરકારીના કારણે આ ટ્રેન પણ ભયાનક અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ હતી. ભૂતકાળમાં કરાચીથી સિયાલકોટ જઈ રહેલી અલ્લામા ઈકબાલ એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતો સામાન્ય બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ઘણી મોટી રેલ દુર્ઘટનાઓ થઈ છે અને છેલ્લા વર્ષોમાં તેમાં વધારો થયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.