સાઉદી અરેબિયાનું જોઇને હવે તો સુધરો પાકિસ્તાન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 19:49:36

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બીજીવાર રાષ્ટ્રપતિ પદે પાછા ફરવું એ કોઈ ક્રાંતિથી ઓછું નથી . કેમ કે , બીજા વિશ્વયુદ્ધ પછીની જે પણ અમેરિકાની નીતિઓ છે તેમાં આમૂલ પરિવર્તન છે . દાખલા તરીકે , USAID ને બંધ કરવું . US AID એ ૧૯૬૧થી વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોને કલ્યાણના હેતુથી મદદ કરતુ રહ્યું છે પરંતુ હવે તે બંધ થવાથી આપણા પડોશી દેશ  પાકિસ્તાન પર દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે, શું કામ એક સમયે એકસાથે આઝાદ થયેલા બે દેશમાંથી એક ભારત સતત આગળ વધી રહ્યું છે, અને સામે ઈરાન હોય કે પાકિસ્તાન… યુએસ જેવા દેશોની મદદ વગર પાંગળા શું કામ થઈ રહ્યા છે, કદાચ જવાબ પાકિસ્તાને બહુ દુર શોધવા જવાની જરૂર નથી, સાઉદી અરબ અને એની બદલાયેલી કહાનીમાં જવાબ છે વિકાસનો, અને કેવી રીતે ધર્માંધતા વિકાસની દુશ્મન બને છે એનો… આજે કરીશું કટ્ટરતા છોડો તો શું મેળવી શકાય એની વાત… અદભૂત રીતે વિકસી રહેલા સાઉદી અરબની વાત.. 


સાઉદી અરેબિયા અખાતી દેશોમાં સૌથી તાકાતવર દેશ . ત્યાંના ક્રાઉન પ્રિન્સનું નામ છે MBS , મોહમ્મદ બિન સલમાન . હમણાં તેમના એક જુના નિવેદનનો વિડિઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે , જેમાં મોહમ્મદ બિન સલમાન કેહતા દેખાઈ રહ્યા છે કે , તેઓ ઇસ્લામિક કટ્ટરવાદને નાબૂદ કરવા માંગે છે . અમે હાલમાં મોડરેટ ઇસ્લામ એટલે કે ઉદારવાદી ઇસ્લામ ઇચ્છિએ છીએ . જે બધા જ લોકો પ્રત્યે સર્વસમાવેશક હોય એટલે કે કોઈ ભેદભાવ ના કરે . મોહમ્મદ બિન સલમાન આ ઉદારવાદી ઇસ્લામ અપનાવા પાછળ કારણ આપે છે કે , સાઉદી અરેબિયાની હાલની ૭૦ ટકા વસ્તીની ઉમર એ ૩૦ વર્ષ કરતા ઓછી છે . આ સાથેજ આવનારા ૩૦ વર્ષ અમે , ઇસ્લામિક કટ્ટરવાદનું સમાધાન કરવામાં વેડફવા નથી માંગતા . 

સાઉદી અરેબિયામાં આ આવેલા આમૂલ પરિવર્તન પાછળનો ઇતિહાસ ખુબ રોચક છે . 

સાઉદી અરેબિયા ૧૯૧૫ સુધી ઓટોમાન સામ્રાજ્યનો ભાગ હતું . પરંતુ પેહલા વિશ્વ યુદ્ધ પછી ઓટોમાન સામ્રાજ્યનો અંત આવતા તેની પર અંગ્રેજોએ કબ્જો જમાવ્યો . 

આ પછી હાલના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પરદાદા કિંગ અબ્દુલ અઝીઝે ૧૯૩૨ માં વિવિધ કબીલાઓનું એકીકરણ કરીને સાઉદી અરેબિયાની સ્થાપના કરી . 

પંરતુ સાઉદી અરેબિયામાં સુન્ની ઇસ્લામિક તાકાતોનું પ્રભુત્વ ૧૯૭૦ના દાયકામાં ખુબ જ વધ્યું . તે માટે બે કારણો આધારભૂત છે . 

પહેલું , ઈરાનમાં આયાતોલ્લાહ ખોમેઇનીના નેતૃત્વમાં ૧૯૭૯માં "ઇસ્લામિક ક્રાંતિ" થઇ . આયાતોલ્લાહ સાઉદી અરેબિયા સહિતના દેશોને અમેરિકાના પીઠુ ગણતા.  

બીજું , ઇસ્લામમાં સૌથી પાક ગણાતી મક્કા મસ્જિદ પર ૬૦૦ જેટલા જુહાયમાન આતંકવાદીઓએ સાઉદી અરેબિયાના સત્તારૂઢ પરિવારને ઉથલાવવાના હેતુથી હુમલો કર્યો . 

ઉપરોક્ત બે કારણોથી સાઉદી અરેબિયાએ વહાબી ઇસ્લામ કે જે સૌથી કટ્ટરવાદી ઇસ્લામ કહેવાય છે તેનું પોતાના દેશમાં અમલીકરણ શરુ કર્યું. 

પરંતુ , હવે સાઉદી અરેબિયા માં તેલના ભંડારો માત્ર ૬૦ વર્ષ ચાલી શકે તેટલા છે માટે સાઉદી અરેબિયાએ તેલ પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી પોતાની ઈકોનોમી ડાઇવર્સીફાય કરવાનું નક્કી કર્યું . જેનાથી , વિદેશી રોકાણ આવે અને સાઉદી અરેબિયા મહાસત્તા બની શકે . 

આ માટે ૨૦૧૭ પછી સાઉદી અરેબિયાએ " Vision 2030 " ના અમલીકરણ માટે મહત્વના પગલા લેવાની શરૂઆત કરી

૧) ૩૫ વર્ષના કડક પ્રતિબંધ પછી સિનેમા એટલે કે મુવી થિયેટર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો . 

૨) ત્યાંની મહિલાઓ પર ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો . આ સાથે જ મહિલાઓને એકલા વિદેશ યાત્રા કરવા પર પણ છૂટ આપવામાં આવી .  

૩) વિદેશી પ્રવાસીઓ પરનો પ્રતિબંધ સાઉદી અરેબિયા દ્વારા હટાવવામાં આવ્યો . 

આમ સાઉદી અરેબિયાએ ઉદારવાદ તરફ રસ્તો પકડ્યો . 

વાત કરીએ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની તો , ત્યાંના લશ્કરી શાસને હંમેશાથી ઇસ્લામિક કટ્ટરવાદની વાતો કરી છે . પરિણામે આજે આઝાદીના ૭૭ વર્ષે પણ પાકિસ્તાન પોતાના ઘણા વિસ્તારોમાં પીવાલાયક પાણી માટે પણ US AID પર નિર્ભર છે . US AID ના બંધ થવાથી પાકિસ્તાનના સૌથી ગરમ શહેર જેકોબાબાદમાં દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે . 

એક વસ્તુ સાફ છે કે , કોઈ પણ ધાર્મિક કટ્ટરવાદ એ દેશને આર્થિક સમૃદ્ધિથી દૂર લઈ જાય છે અપેક્ષા રાખીએ કે પાકિસ્તાનની સ્થિતિ પરથી વિશ્વનો કોઈ પણ દેશ એ સબક લઈ શકે કે કટ્ટરતા ક્યારેય કોઈ પણ પ્રશ્નનું સમાધાન નથી હોતી, અને નફરતથી થતી શરૂઆતો ક્યારેય સમૃદ્ધી અને શાંતિ નથી લાવતી. આ વીડિયોમાં અત્યારે બસ આટલું જ, આપના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપણા સૌની ચેનલ જમાવટને આજે જ સબસ્ક્રાઈબ કરો, વીડિયોને શેર કરો, નમસ્કાર.



તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.