સાઉદી અરેબિયાનું જોઇને હવે તો સુધરો પાકિસ્તાન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 19:49:36

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બીજીવાર રાષ્ટ્રપતિ પદે પાછા ફરવું એ કોઈ ક્રાંતિથી ઓછું નથી . કેમ કે , બીજા વિશ્વયુદ્ધ પછીની જે પણ અમેરિકાની નીતિઓ છે તેમાં આમૂલ પરિવર્તન છે . દાખલા તરીકે , USAID ને બંધ કરવું . US AID એ ૧૯૬૧થી વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોને કલ્યાણના હેતુથી મદદ કરતુ રહ્યું છે પરંતુ હવે તે બંધ થવાથી આપણા પડોશી દેશ  પાકિસ્તાન પર દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે, શું કામ એક સમયે એકસાથે આઝાદ થયેલા બે દેશમાંથી એક ભારત સતત આગળ વધી રહ્યું છે, અને સામે ઈરાન હોય કે પાકિસ્તાન… યુએસ જેવા દેશોની મદદ વગર પાંગળા શું કામ થઈ રહ્યા છે, કદાચ જવાબ પાકિસ્તાને બહુ દુર શોધવા જવાની જરૂર નથી, સાઉદી અરબ અને એની બદલાયેલી કહાનીમાં જવાબ છે વિકાસનો, અને કેવી રીતે ધર્માંધતા વિકાસની દુશ્મન બને છે એનો… આજે કરીશું કટ્ટરતા છોડો તો શું મેળવી શકાય એની વાત… અદભૂત રીતે વિકસી રહેલા સાઉદી અરબની વાત.. 


સાઉદી અરેબિયા અખાતી દેશોમાં સૌથી તાકાતવર દેશ . ત્યાંના ક્રાઉન પ્રિન્સનું નામ છે MBS , મોહમ્મદ બિન સલમાન . હમણાં તેમના એક જુના નિવેદનનો વિડિઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે , જેમાં મોહમ્મદ બિન સલમાન કેહતા દેખાઈ રહ્યા છે કે , તેઓ ઇસ્લામિક કટ્ટરવાદને નાબૂદ કરવા માંગે છે . અમે હાલમાં મોડરેટ ઇસ્લામ એટલે કે ઉદારવાદી ઇસ્લામ ઇચ્છિએ છીએ . જે બધા જ લોકો પ્રત્યે સર્વસમાવેશક હોય એટલે કે કોઈ ભેદભાવ ના કરે . મોહમ્મદ બિન સલમાન આ ઉદારવાદી ઇસ્લામ અપનાવા પાછળ કારણ આપે છે કે , સાઉદી અરેબિયાની હાલની ૭૦ ટકા વસ્તીની ઉમર એ ૩૦ વર્ષ કરતા ઓછી છે . આ સાથેજ આવનારા ૩૦ વર્ષ અમે , ઇસ્લામિક કટ્ટરવાદનું સમાધાન કરવામાં વેડફવા નથી માંગતા . 

સાઉદી અરેબિયામાં આ આવેલા આમૂલ પરિવર્તન પાછળનો ઇતિહાસ ખુબ રોચક છે . 

સાઉદી અરેબિયા ૧૯૧૫ સુધી ઓટોમાન સામ્રાજ્યનો ભાગ હતું . પરંતુ પેહલા વિશ્વ યુદ્ધ પછી ઓટોમાન સામ્રાજ્યનો અંત આવતા તેની પર અંગ્રેજોએ કબ્જો જમાવ્યો . 

આ પછી હાલના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પરદાદા કિંગ અબ્દુલ અઝીઝે ૧૯૩૨ માં વિવિધ કબીલાઓનું એકીકરણ કરીને સાઉદી અરેબિયાની સ્થાપના કરી . 

પંરતુ સાઉદી અરેબિયામાં સુન્ની ઇસ્લામિક તાકાતોનું પ્રભુત્વ ૧૯૭૦ના દાયકામાં ખુબ જ વધ્યું . તે માટે બે કારણો આધારભૂત છે . 

પહેલું , ઈરાનમાં આયાતોલ્લાહ ખોમેઇનીના નેતૃત્વમાં ૧૯૭૯માં "ઇસ્લામિક ક્રાંતિ" થઇ . આયાતોલ્લાહ સાઉદી અરેબિયા સહિતના દેશોને અમેરિકાના પીઠુ ગણતા.  

બીજું , ઇસ્લામમાં સૌથી પાક ગણાતી મક્કા મસ્જિદ પર ૬૦૦ જેટલા જુહાયમાન આતંકવાદીઓએ સાઉદી અરેબિયાના સત્તારૂઢ પરિવારને ઉથલાવવાના હેતુથી હુમલો કર્યો . 

ઉપરોક્ત બે કારણોથી સાઉદી અરેબિયાએ વહાબી ઇસ્લામ કે જે સૌથી કટ્ટરવાદી ઇસ્લામ કહેવાય છે તેનું પોતાના દેશમાં અમલીકરણ શરુ કર્યું. 

પરંતુ , હવે સાઉદી અરેબિયા માં તેલના ભંડારો માત્ર ૬૦ વર્ષ ચાલી શકે તેટલા છે માટે સાઉદી અરેબિયાએ તેલ પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી પોતાની ઈકોનોમી ડાઇવર્સીફાય કરવાનું નક્કી કર્યું . જેનાથી , વિદેશી રોકાણ આવે અને સાઉદી અરેબિયા મહાસત્તા બની શકે . 

આ માટે ૨૦૧૭ પછી સાઉદી અરેબિયાએ " Vision 2030 " ના અમલીકરણ માટે મહત્વના પગલા લેવાની શરૂઆત કરી

૧) ૩૫ વર્ષના કડક પ્રતિબંધ પછી સિનેમા એટલે કે મુવી થિયેટર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો . 

૨) ત્યાંની મહિલાઓ પર ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો . આ સાથે જ મહિલાઓને એકલા વિદેશ યાત્રા કરવા પર પણ છૂટ આપવામાં આવી .  

૩) વિદેશી પ્રવાસીઓ પરનો પ્રતિબંધ સાઉદી અરેબિયા દ્વારા હટાવવામાં આવ્યો . 

આમ સાઉદી અરેબિયાએ ઉદારવાદ તરફ રસ્તો પકડ્યો . 

વાત કરીએ આપણા પાડોશી દેશ પાકિસ્તાનની તો , ત્યાંના લશ્કરી શાસને હંમેશાથી ઇસ્લામિક કટ્ટરવાદની વાતો કરી છે . પરિણામે આજે આઝાદીના ૭૭ વર્ષે પણ પાકિસ્તાન પોતાના ઘણા વિસ્તારોમાં પીવાલાયક પાણી માટે પણ US AID પર નિર્ભર છે . US AID ના બંધ થવાથી પાકિસ્તાનના સૌથી ગરમ શહેર જેકોબાબાદમાં દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે . 

એક વસ્તુ સાફ છે કે , કોઈ પણ ધાર્મિક કટ્ટરવાદ એ દેશને આર્થિક સમૃદ્ધિથી દૂર લઈ જાય છે અપેક્ષા રાખીએ કે પાકિસ્તાનની સ્થિતિ પરથી વિશ્વનો કોઈ પણ દેશ એ સબક લઈ શકે કે કટ્ટરતા ક્યારેય કોઈ પણ પ્રશ્નનું સમાધાન નથી હોતી, અને નફરતથી થતી શરૂઆતો ક્યારેય સમૃદ્ધી અને શાંતિ નથી લાવતી. આ વીડિયોમાં અત્યારે બસ આટલું જ, આપના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપણા સૌની ચેનલ જમાવટને આજે જ સબસ્ક્રાઈબ કરો, વીડિયોને શેર કરો, નમસ્કાર.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.