પાક વીમા મુદ્દે પાલ આંબલિયાએ સરકારની ઝાટકણી કાઢી, 'રૂ.200 ચૂકવી સરકાર ખેડૂતો સાથે મજાક કરે છે'


  • Published By :
  • Published Date : 2023-07-31 21:00:08

ગુજરાતના ખેડૂતો ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયો છે તેવા મેસેજ આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે પાક વીમાને લઇ ગુજરાતના ખેડૂતોને મેસેજ આવે છે પણ પાક વીમો શેનો આપવાના આવી રહ્યો છે તેની સપષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવે, પાક વીમા કંપની મેસેજ કરે છે, જેમા કંપની કહે છે કે અડધી રકમ અમે જમા કરીએ છીએ અડધી રકમ સરકાર જમા કરશે.  


વર્ષ 2019ની પાક નુકસાની હવે ચુકવાય છે?


 પાલ આંબલીયાએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને વર્ષ 2019માં મળેલા પ્રિમિયમના આધાર પર અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની વીમા કંપનીએ રહી રહીને ભરપાઈ શરૂ કરી છે. પાક વીમા કંપની દ્વારા રાજ્યના કેટલાક ખેડૂતોને 200 રૂપિયાથી લઈને 80 હજાર રૂપિયા સુધીનો મંજૂર થયેલો ક્લેમ બેંક મારફતે તેના ખાતામાં મળી રહ્યો છે. જો કે આ વીમાની ચૂકવણીમાં કેટલીક બાબતો શંકાના ઘેરામાં હોવાનો કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે. પાલ આંબલિયાએ દાવો કર્યો છે કે રાજ્યમાં 7 લાખ ખેડૂતોએ વીમા કંપનીને લઈને અરજીઓ કરી હતી, ત્યારે કેટલા ખેડૂતોને અને કઈ રીતે આ સહાય ચૂકવવામાં આવી છે. તેની કોઈ જ માહિતી નથી જે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. કેટલાક ગામોમાં માત્ર 10 ખેડૂતોને વીમો મળ્યો છે. પાક વીમા કંપની ખોટી હોય તો તેમની સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. જો પાક વીમા કંપની સાચી હોય તો તાત્કાલિક ખેડૂતોને રકમ ચુકવવામાં આવે. 200 રૂપિયા જેવા પાક વીમા જમાં કરી ખેડૂતો સાથે મજાક કરે છે. રાજ્ય સરકાર ક્યો પાક વીમો આપે છે તેનો પરિપત્ર જાહેર કરે. જે ખેડૂતોને મેસેજ આવ્યા છે એ કયા પાક વીમાના છે તે પણ સરકાર જાહેર કરે, કયા વર્ષનો છે કયા પાક માટેનો છે તે પણ સ્પષ્ટતા કરે. ખેડૂતોને મોટા પ્રમાણમાં મેસેજ આવી રહ્યા છે.


ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ 


ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, પાકવીમાને લઈને ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ છે. તેનો ખુલાસો કરવો જરૂરી છે. છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારી બેન્કમાં ખરીફ પાકના 929 જમા થયા છે. અથવા તો રાજ્ય સરકાર દ્વારા બાકી સબસિડીની ચુકવણી પછી રૂ. 92,915નો વધારાનો અંતિમ દાવો ચૂકવવામાં આવશે. તેવા મેસેજ ખેડૂતોને મળી રહ્યા છે. કંપની તરફથી આ મેસેજ ખેડૂતોના મોબાઈલ પર આવી રહ્યા છે. જેમાં કેટલાક ખેડૂતોને ખાલી મેસેજ આવે છે. તેમના ખાતામાં રૂપિયા જમા થાય છે. જ્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવે છે. પણ એમના ખાતામાં રૂપિયા જમા થતા નથી. ત્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવતો નથી પણ બેંકમાં રૂપિયા જમા થયા એનો બેન્ક તરફથી મેસેજ આવે છે. આ સમગ્ર બાબતોને લઈને ખેડૂતો ભારે અવઢવમાં છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.


 હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી 


રાજ્ય સરકારે ખેડૂતોનો 2019નો મંજુર થયેલો પાકવીમો કંપનીઓ પાસેથી મેળવીને એજ વર્ષમાં ખેડૂતોને આપવો જોઈએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પાકવીમાં કાપનીઓને ફટકાર લગાવી પછી ખેડૂતોના ખાતામાં પાકવીમા કંપનીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો, એ હજુ ખેડૂતોને મળતો નથી તો શું અમારે ખેડૂતોએ રાજ્ય સરકારના હિસ્સા માટે ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે તેવી ચિમકી પણ પાલ આંબલિયાએ આપી હતી.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."