નર્મદા પુરગ્રસ્ત વિસ્તારમાં સરકારે કરેલી સહાયની જાહેરાત પર પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા, સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-09-23 16:09:16

આપણે ત્યાં એવું કહેવાય છે કુદરત આગળ બધા લાચાર. કુદરત જ્યારે લેવા બેસે ત્યારે કંઈ પણ છોડતી નથી. કુદરતનો સૌથી વધારે માર સહન કરવાનો વારો જો કોઈનો આવતો હોય તો તે ખેડૂત છે. ખેતી કુદરતના ચક્ર પર આધારિત હોય છે. પરંતુ અનેક વખત કમોસમી વરસાદને કારણે, તો કોઈ વખત વરસાદ ન પડવાને કારણે પાકને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બાગાયતી પાકોને નુકસાન થયું છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત પર પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. 

પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા 

પ્રતિક્રિયા આપતા પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર પહેલા ઘાવ આપે છે ને પછી મલમ લગાવે છે. જેમ વિપક્ષી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા કે આ પુર કુદરતી નથી માનવ સર્જિત છે. તેવી જ પ્રતિક્રિયા પાલ આંબલિયાએ આપી છે. તેમણે કહ્યું કે આ નુકશાન કુદરતી નહિ પણ માનવ સર્જિત નુકશાન છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે માનવ સર્જિત નુકશાન હોય તો એ અંશતઃ નહિ પરંતુ પૂરતું વળતર મળવું જોઈએ. આ નુકશાની નર્મદા નિગમના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રી મંડળ પાસેથી વ્યકિતગત વસુલ કરવું જોઈએ. 



17 સપ્ટેમ્બરે નર્મદા ડેમમાં કરાયા હતા પાણીના વધામણા

એવા પણ આક્ષેપ વિપક્ષી નેતાઓ દ્વારા લગાવવામાં આવતા હતા પીએમ મોદીના જન્મદિવસ પર નીરના વધામણા કરવા માટે પાણીને રોકી દેવામાં આવ્યું હતું અને એક સાથે આટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પાલ આંબલિયાએ કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકો નરેન્દ્રભાઈને ખુશ કરવા માંગતા હતા એ લોકોએ જ આ નુકશાની ભરપાઈ કરવાની જવાબદારી લેવી જોઈએ. મહત્વનું છે કે આ પુરને કારણે લાખોનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે અને સામાન્ય લોકોને આવ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.