નર્મદા પુરગ્રસ્ત વિસ્તારમાં સરકારે કરેલી સહાયની જાહેરાત પર પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા, સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-09-23 16:09:16

આપણે ત્યાં એવું કહેવાય છે કુદરત આગળ બધા લાચાર. કુદરત જ્યારે લેવા બેસે ત્યારે કંઈ પણ છોડતી નથી. કુદરતનો સૌથી વધારે માર સહન કરવાનો વારો જો કોઈનો આવતો હોય તો તે ખેડૂત છે. ખેતી કુદરતના ચક્ર પર આધારિત હોય છે. પરંતુ અનેક વખત કમોસમી વરસાદને કારણે, તો કોઈ વખત વરસાદ ન પડવાને કારણે પાકને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બાગાયતી પાકોને નુકસાન થયું છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત પર પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. 

પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા 

પ્રતિક્રિયા આપતા પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર પહેલા ઘાવ આપે છે ને પછી મલમ લગાવે છે. જેમ વિપક્ષી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા કે આ પુર કુદરતી નથી માનવ સર્જિત છે. તેવી જ પ્રતિક્રિયા પાલ આંબલિયાએ આપી છે. તેમણે કહ્યું કે આ નુકશાન કુદરતી નહિ પણ માનવ સર્જિત નુકશાન છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે માનવ સર્જિત નુકશાન હોય તો એ અંશતઃ નહિ પરંતુ પૂરતું વળતર મળવું જોઈએ. આ નુકશાની નર્મદા નિગમના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રી મંડળ પાસેથી વ્યકિતગત વસુલ કરવું જોઈએ. 



17 સપ્ટેમ્બરે નર્મદા ડેમમાં કરાયા હતા પાણીના વધામણા

એવા પણ આક્ષેપ વિપક્ષી નેતાઓ દ્વારા લગાવવામાં આવતા હતા પીએમ મોદીના જન્મદિવસ પર નીરના વધામણા કરવા માટે પાણીને રોકી દેવામાં આવ્યું હતું અને એક સાથે આટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પાલ આંબલિયાએ કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકો નરેન્દ્રભાઈને ખુશ કરવા માંગતા હતા એ લોકોએ જ આ નુકશાની ભરપાઈ કરવાની જવાબદારી લેવી જોઈએ. મહત્વનું છે કે આ પુરને કારણે લાખોનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે અને સામાન્ય લોકોને આવ્યો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.