નર્મદા પુરગ્રસ્ત વિસ્તારમાં સરકારે કરેલી સહાયની જાહેરાત પર પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા, સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-09-23 16:09:16

આપણે ત્યાં એવું કહેવાય છે કુદરત આગળ બધા લાચાર. કુદરત જ્યારે લેવા બેસે ત્યારે કંઈ પણ છોડતી નથી. કુદરતનો સૌથી વધારે માર સહન કરવાનો વારો જો કોઈનો આવતો હોય તો તે ખેડૂત છે. ખેતી કુદરતના ચક્ર પર આધારિત હોય છે. પરંતુ અનેક વખત કમોસમી વરસાદને કારણે, તો કોઈ વખત વરસાદ ન પડવાને કારણે પાકને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બાગાયતી પાકોને નુકસાન થયું છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત પર પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. 

પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા 

પ્રતિક્રિયા આપતા પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર પહેલા ઘાવ આપે છે ને પછી મલમ લગાવે છે. જેમ વિપક્ષી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા કે આ પુર કુદરતી નથી માનવ સર્જિત છે. તેવી જ પ્રતિક્રિયા પાલ આંબલિયાએ આપી છે. તેમણે કહ્યું કે આ નુકશાન કુદરતી નહિ પણ માનવ સર્જિત નુકશાન છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે માનવ સર્જિત નુકશાન હોય તો એ અંશતઃ નહિ પરંતુ પૂરતું વળતર મળવું જોઈએ. આ નુકશાની નર્મદા નિગમના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રી મંડળ પાસેથી વ્યકિતગત વસુલ કરવું જોઈએ. 



17 સપ્ટેમ્બરે નર્મદા ડેમમાં કરાયા હતા પાણીના વધામણા

એવા પણ આક્ષેપ વિપક્ષી નેતાઓ દ્વારા લગાવવામાં આવતા હતા પીએમ મોદીના જન્મદિવસ પર નીરના વધામણા કરવા માટે પાણીને રોકી દેવામાં આવ્યું હતું અને એક સાથે આટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પાલ આંબલિયાએ કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકો નરેન્દ્રભાઈને ખુશ કરવા માંગતા હતા એ લોકોએ જ આ નુકશાની ભરપાઈ કરવાની જવાબદારી લેવી જોઈએ. મહત્વનું છે કે આ પુરને કારણે લાખોનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે અને સામાન્ય લોકોને આવ્યો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી