વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM Modiએ લીધો ભાગ, મંદિરમાં કરી પૂજા અર્ચના, કહ્યું ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-22 16:10:27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વાળીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી ભગવાન શિવની પૂજા કર્યા બાદ જનસભાને પીએમ મોદીએ સંબોધી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કર્યો હતો. પીએમએ કહ્યું કે રબારી સમાજ માટે વાળીનાથએ પૂજ્ય ગુરૂગાદી છે. આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું..   

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું આજે હું આ પવિત્ર ધરતી પર એક દૈવી ઊર્જા અનુભવું છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે, જે ભગવાન કૃષ્ણ અને મહાદેવ સાથે પણ સંબંધિત છે. ભારતની વિકાસયાત્રામાં આ એક અદ્ભુત સમયગાળો છે. વધુમાં તેમણે કહ્યું કે આજથી બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું.


પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ​​​​​​​છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યો હતો. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં.

    



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.