આનંદો! સરકાર આ વર્ષે પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની ભરતી કરશે


  • Published By :
  • Published Date : 2023-01-23 13:06:07

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની  તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર રાજ્યના પંચાયત વિભાગમાં નવી ભરતીઓની તૈયારી કરી રહી છે. પંચાયત વિભાગે વર્ગ-3ની 13 હજારથી પણ વધુ જગ્યાઓની ભરતીનું આયોજન કર્યું છે. દરેક મહેકમની યાદી તૈયાર કરી ભરતી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. સરકારી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંચાયત વિભાગ ચાલુ વર્ષે આ  તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટેની તૈયારીમાં લાગ્યો છે.


TDOની 100 જગ્યા ભરાઈ


પંચાયત વિભાગ દ્વારા 248 તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની 100 ટકા જગ્યા ભરી દેવામાં આવી છે. આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1ની કુલ 11 જગ્યાને ડાઉનગ્રેડ કરીને વર્ગ-2માં તબદીલ કરવામાં આવી છે અને આ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. 33 જિલ્લા પંચાયતોમાં ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીની તમામ 33 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે.


ચિટનીસ કમ TDOની જવાબદારી વધી


ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં કેટલાક મહત્ત્વના વહીવટી સુધારા કરાયા છે, જે મુજબ વિભાગની યોજનાઓ, સેવાઓ, વિકાસનાં કામો, પંચાયત હસ્તકનાં વાહનો, મકાનો, કોર્ટ કેસો, વેરા વસૂલાત અને મહેકમને લગતી બાબતોનો સંકલિત ડેટાબેઝ તૈયાર કરી તેનું મોનિટરિંગ કરાશે અને તેનો માસિક અહેવાલ પોર્ટલ પર અપલોડ કરાશે. ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીએ ટીમ બનાવી તાલુકા-ગ્રામ પંચાયત કચેરીઓનું નિરીક્ષણ કરવાનું રહેશે. તેમણે મહિનામાં એક તાલુકા પંચાયત અને પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવાનું રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.