Panchmahal : Wasmoનાં ભ્રષ્ટાચારી એન્જિનિયર સામે કાર્યવાહી! આ લોકોએ યોજના પર પાણી ફેરવ્યું! જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-25 16:40:00

ઘર ઘર સુધી પાણી નળના માધ્યમથી પહોંચે તે માટે સરકારે નલ સે જલ યોજનાની શરૂઆત કરી હતી. અનેક લોકોને આ યોજનાથી ફાયદો પણ થયો પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને નળ મળ્યો, પાણી માટેનું કનેક્શન મળ્યું. નળ અપાયા, નળનું કનેક્શન અપાયું બસ પાણી જ ન અપાયું.. લગભગ આઠ મહિના પહેલા અમે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવ્યો હતો જેમાં Panchmahalના Shaheraના અંતરિયાળ ગામમાં નલ સે જલ યોજનાની તો પથારી ફેરવી નાખી હતી અધિકારીઓએ.

કૌભાંડી અધિકારી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી! 

ગઈકાલે સમાચાર આવ્યા કે વાસ્મો યોજનામાં કૌભાંડી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  હાલોલના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સસ્પેન્ડ કરાયા છે સાથે જ નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરાયા છે. આ લોકોને સસ્પેન્ડ કરવાનું એક જ કારણ હતું કે આ લોકોએ બારોબાર કામ કર્યા વગર જ નોંધી દીધું કે અહીંયા બધે કામ થઈ ગયું છે. સ્થળ પર કામગીરી કર્યા વગર બિલ ચૂકવી દીધા પણ આ માત્ર પંચમહાલ કે એની આસપાસની તકલીફ નથી. આવો ભ્રષ્ટાચાર તો અનેક જગ્યાઓ પર થયો હશે. 


મહીસાગરમાં 111 જેટલા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નહીં ભરી શકે! 

મહીસાગરથી પણ આવા જ કંઈક સમાચાર સામે આવ્યા છે. વાસ્મોની નલ સે જલ અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર નહીં ભરી શકે તેવી માહિતી સામે આવી છે. વિઝીલેન્સ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં વાસ્મોની નલ સે જલ યોજનાં અંતર્ગત ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી જે મુજબ પગલા લેવામાં આવ્યા છે. મહીસાગરમાં  ૧૧૧ જેટલી એજન્સીઓને કામ ન આપવાં તેમજ પૈસા ન ચૂકવવા બદલ ગાંધીનગરથી મહીસાગર વાસમો અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે. વાસ્મોની નલ સે જલ અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર નહીં ભરી શકે. ખોટા બિલિંગ મુકતા હોવાનો ખુલાસો થતાં ટેન્ડર ન ભરવા માટે સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  


પંચમહાલના અધિકારીએ તો 12 લાખથી વધારે રકમની કરી દીધી ચૂકવણી   

આ માત્ર પંચમહાલની કે મહીસાગરની સમસ્યા થોડી છે? ભ્રષ્ટાચાર માત્ર અહીંયા જ થયો છે એવું થોડી છે? આવી સમસ્યા તો અનેક જગ્યાઓની છે. ગામે ગામે બધે આવું જ થયું છે. પંચમહાલના આ અધિકારીઓએ તો 12 લાખ 76 હજારના ખોટા બિલોનું ચૂકવણું કરી દીધું હતું. અદેપુર પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો આજે એમના પર કાર્યવાહી થઈ પણ વર્ષોથી આ બધા આવું જ કરતાં આવ્યા છે. આ ખાલી સામાન્ય કાર્યવાહી અંબાજીથી ઉમરગામ તપાસ કરે સરકાર.


દૂર દૂરથી મહિલાઓ પાણી ભરવા બની છે મજબૂર 

આ માત્ર નલ સે જલ યોજનાની વાત નથી પરંતુ બધી જગ્યાઓએ આવા ભ્રષ્ટાચારીઓ ભરેલા પડેલા છે. નલ સે જલ હોય કે શોચાલયની યોજના હોય બધામાં ગરીબોના હકના પૈસા આ લોકો ખાઈ ગયા છે. ને એમને જ નેતાઓના સપના અને યોજના પર પાણી ફેરવી દીધું છે. પંચમહાલની આ સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક એવુજ છે. જ્યારે પણ કવરેજ કરવા જમાવટની ટીમ અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે ત્યારે આવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં નળ છે પણ પાણી નથી. મહિલાઓ દૂર દૂરથી પાણી ભરીને આવે છે અને આવા ભ્રષ્ટાચારીઓનું પેટનું પાણી નથી હલતું. આ માત્ર સામાન્ય કાર્યવાહી છે હજુ મોટા માથા આમાં પકડાઈ શકાય છે. તમે જાતે જ નક્કી કરો કે અહિયાં આ હાલત છે તો બીજા ગામોમાં શું હાલત હશે? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.