ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બેકાબુ બનેલી એસટી બસને કારણે સર્જાઈ અફરા-તફરી! બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં બસ ઘૂસી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-17 17:07:06

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પરથી ઘટના સામે આવી છે જેમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. 

ડ્રાઈવરની બેદરકારીને કારણે બની ઘટના.


બેરિકેટ તોડી બસ સીધી પહોંચી ગઈ પૂછપરછ બારી પર!

વેકેશનનો સમય હોવાથી એસટીમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. વેકેશનને કારણે એસટી વિભાગ કરોડોની કમાણી કરે છે. બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ગોંડલ એસટી બસ સ્ટેન્ડથી એક ઘટના સામે આવી છે. બસની રાહ જોતા મુસાફરો ઉભા છે. બસને લઈ અનાઉસ્મેન્ટ કરવામાં આવે છે કે ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર આઠ પર આવશે. સૂચના પૂર્ણ થતાં જ બસ આવી પરંતુ પ્લેટફોર્મ પર નહીં પરંતુ બેરીકેટ તોડી પૂછપરછ બારી પાસે આવી ગઈ. જેને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બસ સ્ટેશનમાં ઘૂસતા જ બસે એક મોટો વળાંક લીધો પરંતુ પોતાના નિર્ધારિત જગ્યાએ બસ ઉભી રહેવાની જગ્યાએ ન ઉભી રહી પરંતુ બસ બેરિકેટ તોડી પૂછપરછ બારીમાં જ ઘૂસાડી દીધી હતી. બ્રેક ન લાગતા આ ઘટના સર્જાઈ હતી. 


એક વ્યક્તિને પહોંચી ઈજા!

આ અંગે મળતી માહિતી અનુસાર ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા -રાજકોટ રૂટની બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેવાની હતી. પરંતુ બ્રેક લાગી ન હતી. જેને કારણે બસ પૂછપરછ બારી આગળ દોડી ગઈ હતી. બસને આવતા જોઈ અફરા તફરી સર્જાઈ હતી અને ભાગદોડ મચી હતી. આ નાસભાગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 


થોડા સમય પહેલા પણ એસટી બસ આવી હતી ચર્ચામાં!

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડ્રાઈવરને બમ્પ ન દેખાતા બસ ઉછળી હતી. પાછળનો કાચ તૂટી પડ્યો હતો અને પાછળ બેઠેલા માણસો નીચે પડી ગયા હતા. ત્યારે આજે ફરી એસટી બસ ચર્ચામાં આવી છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.