ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બેકાબુ બનેલી એસટી બસને કારણે સર્જાઈ અફરા-તફરી! બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં બસ ઘૂસી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-17 17:07:06

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પરથી ઘટના સામે આવી છે જેમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. 

ડ્રાઈવરની બેદરકારીને કારણે બની ઘટના.


બેરિકેટ તોડી બસ સીધી પહોંચી ગઈ પૂછપરછ બારી પર!

વેકેશનનો સમય હોવાથી એસટીમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. વેકેશનને કારણે એસટી વિભાગ કરોડોની કમાણી કરે છે. બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ગોંડલ એસટી બસ સ્ટેન્ડથી એક ઘટના સામે આવી છે. બસની રાહ જોતા મુસાફરો ઉભા છે. બસને લઈ અનાઉસ્મેન્ટ કરવામાં આવે છે કે ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર આઠ પર આવશે. સૂચના પૂર્ણ થતાં જ બસ આવી પરંતુ પ્લેટફોર્મ પર નહીં પરંતુ બેરીકેટ તોડી પૂછપરછ બારી પાસે આવી ગઈ. જેને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બસ સ્ટેશનમાં ઘૂસતા જ બસે એક મોટો વળાંક લીધો પરંતુ પોતાના નિર્ધારિત જગ્યાએ બસ ઉભી રહેવાની જગ્યાએ ન ઉભી રહી પરંતુ બસ બેરિકેટ તોડી પૂછપરછ બારીમાં જ ઘૂસાડી દીધી હતી. બ્રેક ન લાગતા આ ઘટના સર્જાઈ હતી. 


એક વ્યક્તિને પહોંચી ઈજા!

આ અંગે મળતી માહિતી અનુસાર ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા -રાજકોટ રૂટની બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેવાની હતી. પરંતુ બ્રેક લાગી ન હતી. જેને કારણે બસ પૂછપરછ બારી આગળ દોડી ગઈ હતી. બસને આવતા જોઈ અફરા તફરી સર્જાઈ હતી અને ભાગદોડ મચી હતી. આ નાસભાગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 


થોડા સમય પહેલા પણ એસટી બસ આવી હતી ચર્ચામાં!

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડ્રાઈવરને બમ્પ ન દેખાતા બસ ઉછળી હતી. પાછળનો કાચ તૂટી પડ્યો હતો અને પાછળ બેઠેલા માણસો નીચે પડી ગયા હતા. ત્યારે આજે ફરી એસટી બસ ચર્ચામાં આવી છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.