ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બેકાબુ બનેલી એસટી બસને કારણે સર્જાઈ અફરા-તફરી! બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં બસ ઘૂસી જતા સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-17 17:07:06

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પરથી ઘટના સામે આવી છે જેમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. 

ડ્રાઈવરની બેદરકારીને કારણે બની ઘટના.


બેરિકેટ તોડી બસ સીધી પહોંચી ગઈ પૂછપરછ બારી પર!

વેકેશનનો સમય હોવાથી એસટીમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. વેકેશનને કારણે એસટી વિભાગ કરોડોની કમાણી કરે છે. બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ગોંડલ એસટી બસ સ્ટેન્ડથી એક ઘટના સામે આવી છે. બસની રાહ જોતા મુસાફરો ઉભા છે. બસને લઈ અનાઉસ્મેન્ટ કરવામાં આવે છે કે ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર આઠ પર આવશે. સૂચના પૂર્ણ થતાં જ બસ આવી પરંતુ પ્લેટફોર્મ પર નહીં પરંતુ બેરીકેટ તોડી પૂછપરછ બારી પાસે આવી ગઈ. જેને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બસ સ્ટેશનમાં ઘૂસતા જ બસે એક મોટો વળાંક લીધો પરંતુ પોતાના નિર્ધારિત જગ્યાએ બસ ઉભી રહેવાની જગ્યાએ ન ઉભી રહી પરંતુ બસ બેરિકેટ તોડી પૂછપરછ બારીમાં જ ઘૂસાડી દીધી હતી. બ્રેક ન લાગતા આ ઘટના સર્જાઈ હતી. 


એક વ્યક્તિને પહોંચી ઈજા!

આ અંગે મળતી માહિતી અનુસાર ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા -રાજકોટ રૂટની બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેવાની હતી. પરંતુ બ્રેક લાગી ન હતી. જેને કારણે બસ પૂછપરછ બારી આગળ દોડી ગઈ હતી. બસને આવતા જોઈ અફરા તફરી સર્જાઈ હતી અને ભાગદોડ મચી હતી. આ નાસભાગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 


થોડા સમય પહેલા પણ એસટી બસ આવી હતી ચર્ચામાં!

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડ્રાઈવરને બમ્પ ન દેખાતા બસ ઉછળી હતી. પાછળનો કાચ તૂટી પડ્યો હતો અને પાછળ બેઠેલા માણસો નીચે પડી ગયા હતા. ત્યારે આજે ફરી એસટી બસ ચર્ચામાં આવી છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.