Paper Leak : પેપર લીક બાદ UP Police Constableની ભરતી પરીક્ષા રદ્દ, Yogi સરકારનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-02-24 15:40:54

પેપર લીક આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અનેક એવી પરીક્ષાઓના નામ સામે આવી જશે. પેપર લીક થવાને કારણે પરીક્ષાને મોકૂફ રાખવી પડે છે અને પછી આગળની પ્રક્રિયા પણ અટકી જતી હોય છે. ગુજરાતમાં અનેક વખત પેપર લીકની ઘટના બની છે. ત્યારે પેપર લીકની ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી અને તે બાદ પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. UP Police Constable Examને રદ્દ કરવામાં આવી છે. પેપર લીકનો છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવનાર 6 મહિના સુધીમાં આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી પરીક્ષા કેન્સલ કરવાની જાહેરાત  

ઉત્તરપ્રદેશમાં થોડા દિવસો પહેલા   UP Police Constable Exam આયોજીત કરવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ આ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝામની વચ્ચે એવી માહિતી મળી હતી કે એક પરીક્ષાર્થી પાસે જવાબ મળી આવ્યા હતા જે બાદ પેપર લીક થયા હોવાની આશંકા ગઈ. આની જાણ થતા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આને જોઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પરીક્ષાને કેન્સલ કરવામાં આવે. પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. 


પરીક્ષાર્થીઓએ કર્યું હતું વિરોધ પ્રદર્શન 

વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ઉમેદવારોએ નારા પણ લગાવ્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારોએ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી અને પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માગ પણ કરી હતી. પોલીસ અને પરીક્ષાર્થીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારે હવે પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.