વાઘ બકરી ગ્રૂપના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે બ્રેઈન હેમરેજથી નિધન, ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર


  • Published By :
  • Published Date : 2023-10-23 18:08:23

વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અકાળે  બ્રેઈન હેમરેજથી અવસાન થયું છે. 49 વર્ષના પરાગ દેસાઈને ગયા અઠવાડિયે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રસેસ દેસાઈના પુત્ર છે. પરાગ દેસાઈને તેમના નિવાસસ્થાન નજીક અચાનક થયેલી દુર્ઘટના બાદ તેમને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે મોડી રાત્રે તેમણે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી જીવ ગુમાવ્યો છે. પરાગ દેસાઈના અવસાનથી તેમના પરિવાર અને ઉદ્યોગ જગતમાં શોક વ્યાપી ગયો છે. થલતેજના સ્મશાન ગૃહ ખાતે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરાગ દેસાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિ દરમિયાન ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સમાજના વરિષ્ઠ આગેવાનો પણ થલતેજ સ્મશાન ગૃહ ખાતે હાજર રહ્યા હતા. 


પડી જતા થયું બ્રેઈન હેમરેજ


ગત 15 ઓક્ટોબરના રોજ પરાગ દેસાઈ પોતાના ઘર નજીક ઈસ્કોન-આંબલી રોડ પર મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ રખડતા કૂતરા પડ્યા હતા. જેથી ડૉગ એટેકથી બચવાના ચક્કરમાં તેઓ લપસી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. કૂતરાના હુમલાને કારણે પડી જતાં પરાગને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઘરની બહાર એક સિક્યોરિટી ગાર્ડે તેમના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેમને શેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શેલ્બી હોસ્પિટલમાં એક દિવસના નિરીક્ષણ પછી, તેમને સર્જરી માટે ઝાયડસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, રવિવારે સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું. એક રિપોર્ટ અનુસાર, માથામાં થયેલી ઈજા તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. ઈજાની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.


પરાગ દેસાઈ ચોથી પેઢીના સભ્ય


પરાગ દેસાઈ અને તેમના પિતરાઈ ભાઈ પારસ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પરાગ દેસાઈ અમેરિકાની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી લીધી હતી, પરાગ દેસાઈ પરિવારના ચોથી પેઢીના સભ્ય હતા. તેમની પાસે 30 વર્ષથી વધુનો બિઝનેસ અનુભવ હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીના વ્યવસાયનું સંચાલન કરતા હતા. તેઓ વાઘ બકરી ટી ગ્રુપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાંના એક હતા. તે કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની આગેવાની કરતા હતા અને તે એક નિષ્ણાત ચા ટેસ્ટનર અને વેલ્યૂઅર પણ હતા.  વાઘ-બકરી ટી બ્રાન્ડ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. કંપનીનું ટર્નઓવર રૂપિયા 1,500 કરોડથી વધુ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.