રોટલી પર 5% જ્યારે પરાઠા પર 18% GST લાગશે, ગુજરાત AARએ આપ્યું આ કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:52:37

થોડા દિવસ પહેલા પાપડ પર GSTને લઈ વિવાદ સર્જાયો હતો. હવે પરાઠાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગુજરાત બેંચે પરાઠા પર 18 ટકા  GST લાગશે તેવો ચુકાદો સંભળાવ્યો છે. 


પરાઠા પર 18% GST, રોટલી પર માત્ર 5%


અત્રે ઉલ્લેખનિય છે કે રોટલી 5 ટકા  GST સ્લેબમાં આવે છે. પરંતું પરાઠા  18 ટકાના સ્લેબમાં આવે છે. જેના કારણે નવો વિવાદ સર્જાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)ની ગુજરાત બેંચે એ સ્પષ્ટ કર્યું કે રેડી ટુ કુક પરાઠા પર 18 ટકાના રેટથી GST લાગશે. ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR)એ જણાવ્યું છે કે પરાઠા સાદી રોટલી કરતાં અલગ હોવાથી પરાઠા પર લગાવવામાં આવેલો 18 ટકા જીએસટી યોગ્ય છે.


અરજદાર વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ શું હતી?


બ્રાન્ડેડ પરાઠા બનાવતી ગુજરાતની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે દલીલ કરી હતી કે તમામ પ્રકારના પરાઠા, ખાખરા પર રોટલીની જેમ જ 5 ટકા GST લગાવવો જોઈએ. કેમ કે રોટલી અને પરાઠામાં બહું સામ્યતા છે. વળી પરાઠાને બનાવવાની પ્રક્રિયાથી માંડીને તેના ઉપયોગ કરવાની પ્રોસેસ બિલકુલ એક સમાન જ છે. પોતાની દલીલને મજબુત બનાવવા માટે વાડીલાલે અનેક સંદર્ભગ્રંથો, શબ્દકોશ અને વિકિપીડિયાથી ‘પરાઠા ’ શબ્દની પરિભાષા આપી પણ આપી હતી.


ગુજરાત AARએ શું ચુકાદો સંભળાવ્યો?


વાડીલાલની દલીલો સાંભળ્યા પછી, ગુજરાત AARએ કહ્યું કે ખાખરા, સાદી રોટલી રાંધવામાં આવી હશે અને તેને ખાવા માટે ફરીથી રાંધવાની જરૂર નથી, અને તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા 'પરાઠા' માત્ર તેમનાથી અલગ નથી, પરંતુ તેને ખાદ્ય બનાવવા માટે વધુ પ્રક્રિયાની જરૂર પડે છે. મતલબ કે રોટલી ખાવા માટે તૈયાર (Ready To Eat) છે, જ્યારે પરાઠા રાંધવા માટે તૈયાર (Ready To Cook) છે.



ઓથોરિટીએ કહ્યું કે વાડીલાલે તેના પેકેટ પર લખેલી સૂચનાઓમાં લખ્યું છે કે તેને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ આંચ પર ગરમ કરો. ઉપરાંત, પરાઠાને ગરમ કરતી વખતે તેમાં તેલ અથવા માખણ નાખો જેથી તે વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને. ઓથોરિટીએ લોટની રચનાના આધારે રોટલી અને પરાઠા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો છે. પરાઠામાં લોટની માત્રા 36 થી 62 ટકા સુધી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ પણ પરાઠા પર 18% GST લગાવવાનો ચુકાદો આપ્યો હતો.



રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી. રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે તેમણે કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીને કારણે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે...

પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓ પાસેથી પૈસાની માગણી કરી છે. વોટની સાથે નોટની અપીલ લલિત વસોયાએ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. તે સિવાય તાપીમાં પણ વિરોધ થયો છે.