રોટલી પર 5% જ્યારે પરાઠા પર 18% GST લાગશે, ગુજરાત AARએ આપ્યું આ કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:52:37

થોડા દિવસ પહેલા પાપડ પર GSTને લઈ વિવાદ સર્જાયો હતો. હવે પરાઠાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગુજરાત બેંચે પરાઠા પર 18 ટકા  GST લાગશે તેવો ચુકાદો સંભળાવ્યો છે. 


પરાઠા પર 18% GST, રોટલી પર માત્ર 5%


અત્રે ઉલ્લેખનિય છે કે રોટલી 5 ટકા  GST સ્લેબમાં આવે છે. પરંતું પરાઠા  18 ટકાના સ્લેબમાં આવે છે. જેના કારણે નવો વિવાદ સર્જાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)ની ગુજરાત બેંચે એ સ્પષ્ટ કર્યું કે રેડી ટુ કુક પરાઠા પર 18 ટકાના રેટથી GST લાગશે. ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR)એ જણાવ્યું છે કે પરાઠા સાદી રોટલી કરતાં અલગ હોવાથી પરાઠા પર લગાવવામાં આવેલો 18 ટકા જીએસટી યોગ્ય છે.


અરજદાર વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ શું હતી?


બ્રાન્ડેડ પરાઠા બનાવતી ગુજરાતની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે દલીલ કરી હતી કે તમામ પ્રકારના પરાઠા, ખાખરા પર રોટલીની જેમ જ 5 ટકા GST લગાવવો જોઈએ. કેમ કે રોટલી અને પરાઠામાં બહું સામ્યતા છે. વળી પરાઠાને બનાવવાની પ્રક્રિયાથી માંડીને તેના ઉપયોગ કરવાની પ્રોસેસ બિલકુલ એક સમાન જ છે. પોતાની દલીલને મજબુત બનાવવા માટે વાડીલાલે અનેક સંદર્ભગ્રંથો, શબ્દકોશ અને વિકિપીડિયાથી ‘પરાઠા ’ શબ્દની પરિભાષા આપી પણ આપી હતી.


ગુજરાત AARએ શું ચુકાદો સંભળાવ્યો?


વાડીલાલની દલીલો સાંભળ્યા પછી, ગુજરાત AARએ કહ્યું કે ખાખરા, સાદી રોટલી રાંધવામાં આવી હશે અને તેને ખાવા માટે ફરીથી રાંધવાની જરૂર નથી, અને તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા 'પરાઠા' માત્ર તેમનાથી અલગ નથી, પરંતુ તેને ખાદ્ય બનાવવા માટે વધુ પ્રક્રિયાની જરૂર પડે છે. મતલબ કે રોટલી ખાવા માટે તૈયાર (Ready To Eat) છે, જ્યારે પરાઠા રાંધવા માટે તૈયાર (Ready To Cook) છે.



ઓથોરિટીએ કહ્યું કે વાડીલાલે તેના પેકેટ પર લખેલી સૂચનાઓમાં લખ્યું છે કે તેને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ આંચ પર ગરમ કરો. ઉપરાંત, પરાઠાને ગરમ કરતી વખતે તેમાં તેલ અથવા માખણ નાખો જેથી તે વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને. ઓથોરિટીએ લોટની રચનાના આધારે રોટલી અને પરાઠા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો છે. પરાઠામાં લોટની માત્રા 36 થી 62 ટકા સુધી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ પણ પરાઠા પર 18% GST લગાવવાનો ચુકાદો આપ્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે