રોટલી પર 5% જ્યારે પરાઠા પર 18% GST લાગશે, ગુજરાત AARએ આપ્યું આ કારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:52:37

થોડા દિવસ પહેલા પાપડ પર GSTને લઈ વિવાદ સર્જાયો હતો. હવે પરાઠાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગુજરાત બેંચે પરાઠા પર 18 ટકા  GST લાગશે તેવો ચુકાદો સંભળાવ્યો છે. 


પરાઠા પર 18% GST, રોટલી પર માત્ર 5%


અત્રે ઉલ્લેખનિય છે કે રોટલી 5 ટકા  GST સ્લેબમાં આવે છે. પરંતું પરાઠા  18 ટકાના સ્લેબમાં આવે છે. જેના કારણે નવો વિવાદ સર્જાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)ની ગુજરાત બેંચે એ સ્પષ્ટ કર્યું કે રેડી ટુ કુક પરાઠા પર 18 ટકાના રેટથી GST લાગશે. ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR)એ જણાવ્યું છે કે પરાઠા સાદી રોટલી કરતાં અલગ હોવાથી પરાઠા પર લગાવવામાં આવેલો 18 ટકા જીએસટી યોગ્ય છે.


અરજદાર વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ શું હતી?


બ્રાન્ડેડ પરાઠા બનાવતી ગુજરાતની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે દલીલ કરી હતી કે તમામ પ્રકારના પરાઠા, ખાખરા પર રોટલીની જેમ જ 5 ટકા GST લગાવવો જોઈએ. કેમ કે રોટલી અને પરાઠામાં બહું સામ્યતા છે. વળી પરાઠાને બનાવવાની પ્રક્રિયાથી માંડીને તેના ઉપયોગ કરવાની પ્રોસેસ બિલકુલ એક સમાન જ છે. પોતાની દલીલને મજબુત બનાવવા માટે વાડીલાલે અનેક સંદર્ભગ્રંથો, શબ્દકોશ અને વિકિપીડિયાથી ‘પરાઠા ’ શબ્દની પરિભાષા આપી પણ આપી હતી.


ગુજરાત AARએ શું ચુકાદો સંભળાવ્યો?


વાડીલાલની દલીલો સાંભળ્યા પછી, ગુજરાત AARએ કહ્યું કે ખાખરા, સાદી રોટલી રાંધવામાં આવી હશે અને તેને ખાવા માટે ફરીથી રાંધવાની જરૂર નથી, અને તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા 'પરાઠા' માત્ર તેમનાથી અલગ નથી, પરંતુ તેને ખાદ્ય બનાવવા માટે વધુ પ્રક્રિયાની જરૂર પડે છે. મતલબ કે રોટલી ખાવા માટે તૈયાર (Ready To Eat) છે, જ્યારે પરાઠા રાંધવા માટે તૈયાર (Ready To Cook) છે.



ઓથોરિટીએ કહ્યું કે વાડીલાલે તેના પેકેટ પર લખેલી સૂચનાઓમાં લખ્યું છે કે તેને 3 થી 4 મિનિટ સુધી મધ્યમ આંચ પર ગરમ કરો. ઉપરાંત, પરાઠાને ગરમ કરતી વખતે તેમાં તેલ અથવા માખણ નાખો જેથી તે વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને. ઓથોરિટીએ લોટની રચનાના આધારે રોટલી અને પરાઠા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો છે. પરાઠામાં લોટની માત્રા 36 થી 62 ટકા સુધી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ પણ પરાઠા પર 18% GST લગાવવાનો ચુકાદો આપ્યો હતો.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .