તથ્ય પટેલ કાંડમાંથી વાલીઓ ન શીખ્યા! Social Media પર વાયરલ થયા નાની ઉંમરના બાળકોના વાહન ચલાવતા વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-09 14:55:43

તથ્ય પટેલ કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. કોઈ વીડિયોમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ વીડિયોમાં એક જ વાહન પર 6 લોકો સવાર થતાં દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો સ્ટંટ કરતા દેખાય છે, નિયમોનું ઉલ્લંઘન, કાયદાનું ભંગ કરતા દેખાય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાળકોને વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકના હાથમાં સ્ટેરિંગ છે અને પાછળ વડીલ બેઠા છે. તે પહેલા પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. 

નાના બાળકના હાથમાં જોવા મળ્યું એક્ટિવાનું સ્ટેરિંગ 

એક્સીડન્ટમાં અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હશે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નબીરાએ 10 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા હતા. અકસ્માત બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો દ્વારા ભયંકર સ્ટેટ કરવામાં આવતા હોય છે, નાના બાળકોને વાહનની ચાવી આપી દેવામાં આવતી હોય છે. નાના બાળકો જ્યારે વાહનનું સ્ટેરિંગ પોતાના હાથમાં લે છે ત્યારે જાણતા અજાણતા તે પોતાના જીવનને તો જોખમમાં મૂકે છે પરંતુ સાથે સાથે તે બીજા લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. તથ્ય કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને એક પ્રશ્ન થાય કે શું આ લોકોને રસ્તો પોતાના બાપનો લાગે છે?  

ઝડપની મજા અનેક લોકો માટે મોતની સજા બનતી હોય છે

તથ્ય કાંડ વખતે પણ અમે કહેતા હતા કે જો નાની ઉંમરે બાળકોને ચાવી આપી દેશો તો બાળક તો દોષિ છે પરંતુ તેમના કરતા વધારે દોષિ તેમના માતા પિતા છે. કારણ કે માતા પિતાના વ્હાલને કારણે, તેમના બાળકને કોઈ અગવડ ન પડે તે માટે બાળકની મુખ્યત્વે દરેક જીદ્દ પૂરી પાડવામાં આવે છે. પરંતુ તેમના પ્રેમની કિંમત કોઈ બીજા પરિવારના સભ્યોને ચૂકવવી પડે તે યોગ્ય નથી? જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો તે ભવિષ્યમાં તથ્ય પટેલ બની શકે છે. જો આ બાળકોથી અકસ્માત થાય તો જવાબદાર કોણ?    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.