તથ્ય પટેલ કાંડમાંથી વાલીઓ ન શીખ્યા! Social Media પર વાયરલ થયા નાની ઉંમરના બાળકોના વાહન ચલાવતા વીડિયો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 14:55:43

તથ્ય પટેલ કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. કોઈ વીડિયોમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ વીડિયોમાં એક જ વાહન પર 6 લોકો સવાર થતાં દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો સ્ટંટ કરતા દેખાય છે, નિયમોનું ઉલ્લંઘન, કાયદાનું ભંગ કરતા દેખાય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાળકોને વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકના હાથમાં સ્ટેરિંગ છે અને પાછળ વડીલ બેઠા છે. તે પહેલા પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. 

નાના બાળકના હાથમાં જોવા મળ્યું એક્ટિવાનું સ્ટેરિંગ 

એક્સીડન્ટમાં અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હશે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નબીરાએ 10 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા હતા. અકસ્માત બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો દ્વારા ભયંકર સ્ટેટ કરવામાં આવતા હોય છે, નાના બાળકોને વાહનની ચાવી આપી દેવામાં આવતી હોય છે. નાના બાળકો જ્યારે વાહનનું સ્ટેરિંગ પોતાના હાથમાં લે છે ત્યારે જાણતા અજાણતા તે પોતાના જીવનને તો જોખમમાં મૂકે છે પરંતુ સાથે સાથે તે બીજા લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. તથ્ય કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને એક પ્રશ્ન થાય કે શું આ લોકોને રસ્તો પોતાના બાપનો લાગે છે?  

ઝડપની મજા અનેક લોકો માટે મોતની સજા બનતી હોય છે

તથ્ય કાંડ વખતે પણ અમે કહેતા હતા કે જો નાની ઉંમરે બાળકોને ચાવી આપી દેશો તો બાળક તો દોષિ છે પરંતુ તેમના કરતા વધારે દોષિ તેમના માતા પિતા છે. કારણ કે માતા પિતાના વ્હાલને કારણે, તેમના બાળકને કોઈ અગવડ ન પડે તે માટે બાળકની મુખ્યત્વે દરેક જીદ્દ પૂરી પાડવામાં આવે છે. પરંતુ તેમના પ્રેમની કિંમત કોઈ બીજા પરિવારના સભ્યોને ચૂકવવી પડે તે યોગ્ય નથી? જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો તે ભવિષ્યમાં તથ્ય પટેલ બની શકે છે. જો આ બાળકોથી અકસ્માત થાય તો જવાબદાર કોણ?    



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે