તથ્ય પટેલ કાંડમાંથી વાલીઓ ન શીખ્યા! Social Media પર વાયરલ થયા નાની ઉંમરના બાળકોના વાહન ચલાવતા વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-09 14:55:43

તથ્ય પટેલ કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. કોઈ વીડિયોમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ વીડિયોમાં એક જ વાહન પર 6 લોકો સવાર થતાં દેખાય છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો સ્ટંટ કરતા દેખાય છે, નિયમોનું ઉલ્લંઘન, કાયદાનું ભંગ કરતા દેખાય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાળકોને વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકના હાથમાં સ્ટેરિંગ છે અને પાછળ વડીલ બેઠા છે. તે પહેલા પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં નાના બાળકો વાહન ચલાવતા દેખાય છે. 

નાના બાળકના હાથમાં જોવા મળ્યું એક્ટિવાનું સ્ટેરિંગ 

એક્સીડન્ટમાં અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હશે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નબીરાએ 10 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા હતા. અકસ્માત બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો દ્વારા ભયંકર સ્ટેટ કરવામાં આવતા હોય છે, નાના બાળકોને વાહનની ચાવી આપી દેવામાં આવતી હોય છે. નાના બાળકો જ્યારે વાહનનું સ્ટેરિંગ પોતાના હાથમાં લે છે ત્યારે જાણતા અજાણતા તે પોતાના જીવનને તો જોખમમાં મૂકે છે પરંતુ સાથે સાથે તે બીજા લોકોના જીવને પણ જોખમમાં નાખે છે. તથ્ય કાંડ બાદ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને એક પ્રશ્ન થાય કે શું આ લોકોને રસ્તો પોતાના બાપનો લાગે છે?  

ઝડપની મજા અનેક લોકો માટે મોતની સજા બનતી હોય છે

તથ્ય કાંડ વખતે પણ અમે કહેતા હતા કે જો નાની ઉંમરે બાળકોને ચાવી આપી દેશો તો બાળક તો દોષિ છે પરંતુ તેમના કરતા વધારે દોષિ તેમના માતા પિતા છે. કારણ કે માતા પિતાના વ્હાલને કારણે, તેમના બાળકને કોઈ અગવડ ન પડે તે માટે બાળકની મુખ્યત્વે દરેક જીદ્દ પૂરી પાડવામાં આવે છે. પરંતુ તેમના પ્રેમની કિંમત કોઈ બીજા પરિવારના સભ્યોને ચૂકવવી પડે તે યોગ્ય નથી? જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો તે ભવિષ્યમાં તથ્ય પટેલ બની શકે છે. જો આ બાળકોથી અકસ્માત થાય તો જવાબદાર કોણ?    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.