પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે મહાદેવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-14 13:58:42


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારો હવે ઉમેદવારી ફોર્મ ફરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓએ આજે ફોર્મ ભર્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના લોકપ્રિય નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે તેમનું ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અહીં ખાસ પૂજન અર્ચન કર્યા હતા. 


પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે ફોર્મ ભર્યું


પરેશ ધાનાણી અમરેલી સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર સતત 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. જો કે પરેશ ધાનાણીએ તેમની જીતને લઈ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમના પત્ની સાથે નાગનાથ મહાદેવના મંદિરે પહોંચી ફૂલોનો અભિષેક કરી ખાસ પૂજન અર્ચન કર્યું હતું. 


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે પરેશ ધાનાણીની પહેલીવાર ટક્કર થવા જઈ રહી છે. ત્યારે હવે સતત બે ટર્મથી ભાજપ આ બેઠકને જીતવા મથામણ કરી રહ્યું છે. ત્યારે કૌશિક વેકરિયાની એન્ટ્રી પાર્ટીને કેટલી ફળશે એ જોવા જેવું રહ્યું. વળી પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા પરસોત્તમ રૂપાલા, દીલીપ સાંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજીત કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.