પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે મહાદેવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-14 13:58:42


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારો હવે ઉમેદવારી ફોર્મ ફરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓએ આજે ફોર્મ ભર્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના લોકપ્રિય નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આજે તેમનું ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણી એક્ટિવા પર ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે નાગનાથ મહાદેવના દર્શન કરી અહીં ખાસ પૂજન અર્ચન કર્યા હતા. 


પરેશ ધાનાણીએ અમરેલી સીટ માટે ફોર્મ ભર્યું


પરેશ ધાનાણી અમરેલી સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર સતત 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. જો કે પરેશ ધાનાણીએ તેમની જીતને લઈ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમના પત્ની સાથે નાગનાથ મહાદેવના મંદિરે પહોંચી ફૂલોનો અભિષેક કરી ખાસ પૂજન અર્ચન કર્યું હતું. 


અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ


અમરેલી બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે પરેશ ધાનાણીની પહેલીવાર ટક્કર થવા જઈ રહી છે. ત્યારે હવે સતત બે ટર્મથી ભાજપ આ બેઠકને જીતવા મથામણ કરી રહ્યું છે. ત્યારે કૌશિક વેકરિયાની એન્ટ્રી પાર્ટીને કેટલી ફળશે એ જોવા જેવું રહ્યું. વળી પરેશ ધાનાણીની વાત કરીએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા પરસોત્તમ રૂપાલા, દીલીપ સાંઘાણી અને બાવકુ ઉંઘાડને પરાજીત કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.