રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા, સાંભળો ઘટનાને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-26 18:20:06

વેકેશનની સુખદ પળો માણવા માટે શનિવારે લોકો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા.. ત્યાં હાજર લોકોને ખબર નહીં હોય કે ત્યાં આટલી મોટી દુર્ઘટના સર્જાશે અને તે દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ પૂરવાર થશે... 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી જેને લઈ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા ગેમ ઝોનની મજા લેવા... 28 જેટલા લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે.. સુરતની તક્ષશિલા હત્યાકાંડને સર્જાયે પાંચ વર્ષ થયા પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ.. 

તક્ષશિલા હત્યાકાંડને અનેક વર્ષો વિત્યા પરંતુ..  

રાજકોટ પહોંચેલી જમાવટની ટીમે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાથે આ દુર્ઘટના મામલે વાત કરી હતી. ટીમ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી.. આપણે સૌ એના સાક્ષી છીએ કે પાંચ વર્ષના વહાણા વહી ગયા, સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલ્કાઓ આગની વચ્ચે બચાવો બચાવોની ચિચિયારીઓ પાડતા તા, એ બાળકોને બચાવવા માટેની સિડી ના ચાલી.. 22 ભૂલ્કાઓને ગુમાવવા પડ્યા.. આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ..


પરેશ ધાનાણી સાથે કરી જમાવટની ટીમે વાત 

તે સિવાય પરેશ ધાનાણીએ વડોદરા હરણી લેક બોટ કાંડને યાદ કર્યો હતો.. શાળામાંથી પ્રવાસે ગયેલા ભૂલ્કાઓ બચાવ્વો બચાવ્વોની ચિચિયારીઓ વચ્ચે ડૂબી રહ્યા હતા.. તે સિવાય ગેમ ઝોનના સંચાલકો મુદ્દે પણ તેઓ બોલ્યા.. મહત્વનું છે આ કેસ મામલે નવી નવી અપડેટો સામે આવી છે. એફઆઈઆર કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.. હાઈકોર્ટમાં આજે રવિવારના દિવસે સુઓમોટો દાખલ કરાઈ હતી.. આ મામલે સુનાવણી થઈ હતી.


થોડા દિવસો પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ... 

જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે મૃત્યુના આંકડા બદલાય, જગ્યા બદલાય છે, ઘટના બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે, તપાસ થાય છે કહેવા પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ કંઈ વધારે ફરક નથી પડતો.. થોડા દિવસો બાદ આવી ઘટનાઓ ભૂલાઈ જતી હોય છે, જે કડકાઈથી પગલા થોડા દિવસો દરમિયાન લેવાય છે તે કેમ પછી નથી લેવાતા? જો સાચી રીતે, કડકાઈ સાથે તપાસ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થતા આપણે રોકી શકતા હોઈશું..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે