રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા, સાંભળો ઘટનાને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-26 18:20:06

વેકેશનની સુખદ પળો માણવા માટે શનિવારે લોકો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા.. ત્યાં હાજર લોકોને ખબર નહીં હોય કે ત્યાં આટલી મોટી દુર્ઘટના સર્જાશે અને તે દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ પૂરવાર થશે... 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી જેને લઈ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા ગેમ ઝોનની મજા લેવા... 28 જેટલા લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે.. સુરતની તક્ષશિલા હત્યાકાંડને સર્જાયે પાંચ વર્ષ થયા પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ.. 

તક્ષશિલા હત્યાકાંડને અનેક વર્ષો વિત્યા પરંતુ..  

રાજકોટ પહોંચેલી જમાવટની ટીમે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાથે આ દુર્ઘટના મામલે વાત કરી હતી. ટીમ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી.. આપણે સૌ એના સાક્ષી છીએ કે પાંચ વર્ષના વહાણા વહી ગયા, સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલ્કાઓ આગની વચ્ચે બચાવો બચાવોની ચિચિયારીઓ પાડતા તા, એ બાળકોને બચાવવા માટેની સિડી ના ચાલી.. 22 ભૂલ્કાઓને ગુમાવવા પડ્યા.. આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ..


પરેશ ધાનાણી સાથે કરી જમાવટની ટીમે વાત 

તે સિવાય પરેશ ધાનાણીએ વડોદરા હરણી લેક બોટ કાંડને યાદ કર્યો હતો.. શાળામાંથી પ્રવાસે ગયેલા ભૂલ્કાઓ બચાવ્વો બચાવ્વોની ચિચિયારીઓ વચ્ચે ડૂબી રહ્યા હતા.. તે સિવાય ગેમ ઝોનના સંચાલકો મુદ્દે પણ તેઓ બોલ્યા.. મહત્વનું છે આ કેસ મામલે નવી નવી અપડેટો સામે આવી છે. એફઆઈઆર કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.. હાઈકોર્ટમાં આજે રવિવારના દિવસે સુઓમોટો દાખલ કરાઈ હતી.. આ મામલે સુનાવણી થઈ હતી.


થોડા દિવસો પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ... 

જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે મૃત્યુના આંકડા બદલાય, જગ્યા બદલાય છે, ઘટના બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે, તપાસ થાય છે કહેવા પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ કંઈ વધારે ફરક નથી પડતો.. થોડા દિવસો બાદ આવી ઘટનાઓ ભૂલાઈ જતી હોય છે, જે કડકાઈથી પગલા થોડા દિવસો દરમિયાન લેવાય છે તે કેમ પછી નથી લેવાતા? જો સાચી રીતે, કડકાઈ સાથે તપાસ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થતા આપણે રોકી શકતા હોઈશું..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે