રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા, સાંભળો ઘટનાને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-26 18:20:06

વેકેશનની સુખદ પળો માણવા માટે શનિવારે લોકો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા.. ત્યાં હાજર લોકોને ખબર નહીં હોય કે ત્યાં આટલી મોટી દુર્ઘટના સર્જાશે અને તે દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ પૂરવાર થશે... 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી જેને લઈ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા ગેમ ઝોનની મજા લેવા... 28 જેટલા લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે.. સુરતની તક્ષશિલા હત્યાકાંડને સર્જાયે પાંચ વર્ષ થયા પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ.. 

તક્ષશિલા હત્યાકાંડને અનેક વર્ષો વિત્યા પરંતુ..  

રાજકોટ પહોંચેલી જમાવટની ટીમે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાથે આ દુર્ઘટના મામલે વાત કરી હતી. ટીમ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી.. આપણે સૌ એના સાક્ષી છીએ કે પાંચ વર્ષના વહાણા વહી ગયા, સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલ્કાઓ આગની વચ્ચે બચાવો બચાવોની ચિચિયારીઓ પાડતા તા, એ બાળકોને બચાવવા માટેની સિડી ના ચાલી.. 22 ભૂલ્કાઓને ગુમાવવા પડ્યા.. આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ..


પરેશ ધાનાણી સાથે કરી જમાવટની ટીમે વાત 

તે સિવાય પરેશ ધાનાણીએ વડોદરા હરણી લેક બોટ કાંડને યાદ કર્યો હતો.. શાળામાંથી પ્રવાસે ગયેલા ભૂલ્કાઓ બચાવ્વો બચાવ્વોની ચિચિયારીઓ વચ્ચે ડૂબી રહ્યા હતા.. તે સિવાય ગેમ ઝોનના સંચાલકો મુદ્દે પણ તેઓ બોલ્યા.. મહત્વનું છે આ કેસ મામલે નવી નવી અપડેટો સામે આવી છે. એફઆઈઆર કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.. હાઈકોર્ટમાં આજે રવિવારના દિવસે સુઓમોટો દાખલ કરાઈ હતી.. આ મામલે સુનાવણી થઈ હતી.


થોડા દિવસો પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ... 

જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે મૃત્યુના આંકડા બદલાય, જગ્યા બદલાય છે, ઘટના બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે, તપાસ થાય છે કહેવા પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ કંઈ વધારે ફરક નથી પડતો.. થોડા દિવસો બાદ આવી ઘટનાઓ ભૂલાઈ જતી હોય છે, જે કડકાઈથી પગલા થોડા દિવસો દરમિયાન લેવાય છે તે કેમ પછી નથી લેવાતા? જો સાચી રીતે, કડકાઈ સાથે તપાસ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થતા આપણે રોકી શકતા હોઈશું..  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.