રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા, સાંભળો ઘટનાને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-26 18:20:06

વેકેશનની સુખદ પળો માણવા માટે શનિવારે લોકો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા.. ત્યાં હાજર લોકોને ખબર નહીં હોય કે ત્યાં આટલી મોટી દુર્ઘટના સર્જાશે અને તે દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ પૂરવાર થશે... 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી જેને લઈ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા ગેમ ઝોનની મજા લેવા... 28 જેટલા લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે.. સુરતની તક્ષશિલા હત્યાકાંડને સર્જાયે પાંચ વર્ષ થયા પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ.. 

તક્ષશિલા હત્યાકાંડને અનેક વર્ષો વિત્યા પરંતુ..  

રાજકોટ પહોંચેલી જમાવટની ટીમે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાથે આ દુર્ઘટના મામલે વાત કરી હતી. ટીમ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયો એ પહેલી ઘટના નથી.. આપણે સૌ એના સાક્ષી છીએ કે પાંચ વર્ષના વહાણા વહી ગયા, સુરતમાં તક્ષશિલા કાંડની અંદર 22 જેટલા ભૂલ્કાઓ આગની વચ્ચે બચાવો બચાવોની ચિચિયારીઓ પાડતા તા, એ બાળકોને બચાવવા માટેની સિડી ના ચાલી.. 22 ભૂલ્કાઓને ગુમાવવા પડ્યા.. આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ..


પરેશ ધાનાણી સાથે કરી જમાવટની ટીમે વાત 

તે સિવાય પરેશ ધાનાણીએ વડોદરા હરણી લેક બોટ કાંડને યાદ કર્યો હતો.. શાળામાંથી પ્રવાસે ગયેલા ભૂલ્કાઓ બચાવ્વો બચાવ્વોની ચિચિયારીઓ વચ્ચે ડૂબી રહ્યા હતા.. તે સિવાય ગેમ ઝોનના સંચાલકો મુદ્દે પણ તેઓ બોલ્યા.. મહત્વનું છે આ કેસ મામલે નવી નવી અપડેટો સામે આવી છે. એફઆઈઆર કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.. હાઈકોર્ટમાં આજે રવિવારના દિવસે સુઓમોટો દાખલ કરાઈ હતી.. આ મામલે સુનાવણી થઈ હતી.


થોડા દિવસો પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ... 

જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે મૃત્યુના આંકડા બદલાય, જગ્યા બદલાય છે, ઘટના બદલાય છે પરંતુ નથી બદલાતી તો સિસ્ટમ.. દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે, તપાસ થાય છે કહેવા પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ કંઈ વધારે ફરક નથી પડતો.. થોડા દિવસો બાદ આવી ઘટનાઓ ભૂલાઈ જતી હોય છે, જે કડકાઈથી પગલા થોડા દિવસો દરમિયાન લેવાય છે તે કેમ પછી નથી લેવાતા? જો સાચી રીતે, કડકાઈ સાથે તપાસ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થતા આપણે રોકી શકતા હોઈશું..  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .