Paresh Dhananiનો જસદણમાં જોવા મળ્યો રમૂજી અંદાજ! ભાષણનો વીડિયો વાયરલ થયો જેમાં તેમણે કહ્યું - આટલો વિડીયો કાપીને મારા કાકાને મોકલી દેજો..


  • Published By :
  • Published Date : 2024-05-05 13:31:14

રાજકોટ લોકસભા બેઠક એ ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટર બની ગયું છે.. એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના નિવેદનને કારણે, કવિતાને કારણે ચર્ચામાં રહે છે... પરેશ ધાનાણી જે સભાને સંબોધતા હોય છે તેનો વીડિયો પણ વાયરલ થતા હોય છે.. ત્યારે પ્રચારનો એક વીડિયો સામે આ્યો છે જે જસદણનો છે.. વીડિયોમાં તે કહેતા દેખાઈ રહ્યા છે કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો..   

રાજકોટની બેઠક પર થાય છે અનેક ચર્ચા!

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે... મતદાન પહેલા મતદારોને આકર્ષવા માટે નેતાઓ દ્વારા નવા નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે... સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો દ્વારા તેમજ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે... ગુજરાતની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... ત્યારે આવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.. ચૂંટણીના મુદ્દામાં તે મધ્યસ્થાનમાં હતી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. 


રાજકોટની બેઠક કોણ જીતશે? 

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે ચૂંટણી મેદાનમાં..  પરેશ ધાનાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે તેમના નિવેદનને કારણે અને તેમની કવિતાને કારણે ત્યારે ફરી એક નિવેદન તેમનું વાયરલ થઈ રહ્યું છે જેમાં તે લીડની વાત કરી રહ્યા છે. જસદણ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો.. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે રાજકોટની જનતા કોને વોટ આપી સાંસદ સભ્ય બનાવે છે..



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.