Paresh Dhananiનો જસદણમાં જોવા મળ્યો રમૂજી અંદાજ! ભાષણનો વીડિયો વાયરલ થયો જેમાં તેમણે કહ્યું - આટલો વિડીયો કાપીને મારા કાકાને મોકલી દેજો..


  • Published By :
  • Published Date : 2024-05-05 13:31:14

રાજકોટ લોકસભા બેઠક એ ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટર બની ગયું છે.. એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના નિવેદનને કારણે, કવિતાને કારણે ચર્ચામાં રહે છે... પરેશ ધાનાણી જે સભાને સંબોધતા હોય છે તેનો વીડિયો પણ વાયરલ થતા હોય છે.. ત્યારે પ્રચારનો એક વીડિયો સામે આ્યો છે જે જસદણનો છે.. વીડિયોમાં તે કહેતા દેખાઈ રહ્યા છે કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો..   

રાજકોટની બેઠક પર થાય છે અનેક ચર્ચા!

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે... મતદાન પહેલા મતદારોને આકર્ષવા માટે નેતાઓ દ્વારા નવા નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે... સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો દ્વારા તેમજ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે... ગુજરાતની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... ત્યારે આવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.. ચૂંટણીના મુદ્દામાં તે મધ્યસ્થાનમાં હતી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. 


રાજકોટની બેઠક કોણ જીતશે? 

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે ચૂંટણી મેદાનમાં..  પરેશ ધાનાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે તેમના નિવેદનને કારણે અને તેમની કવિતાને કારણે ત્યારે ફરી એક નિવેદન તેમનું વાયરલ થઈ રહ્યું છે જેમાં તે લીડની વાત કરી રહ્યા છે. જસદણ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો.. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે રાજકોટની જનતા કોને વોટ આપી સાંસદ સભ્ય બનાવે છે..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.