Paresh Dhananiનો જસદણમાં જોવા મળ્યો રમૂજી અંદાજ! ભાષણનો વીડિયો વાયરલ થયો જેમાં તેમણે કહ્યું - આટલો વિડીયો કાપીને મારા કાકાને મોકલી દેજો..


  • Published By :
  • Published Date : 2024-05-05 13:31:14

રાજકોટ લોકસભા બેઠક એ ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટર બની ગયું છે.. એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના નિવેદનને કારણે, કવિતાને કારણે ચર્ચામાં રહે છે... પરેશ ધાનાણી જે સભાને સંબોધતા હોય છે તેનો વીડિયો પણ વાયરલ થતા હોય છે.. ત્યારે પ્રચારનો એક વીડિયો સામે આ્યો છે જે જસદણનો છે.. વીડિયોમાં તે કહેતા દેખાઈ રહ્યા છે કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો..   

રાજકોટની બેઠક પર થાય છે અનેક ચર્ચા!

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે... મતદાન પહેલા મતદારોને આકર્ષવા માટે નેતાઓ દ્વારા નવા નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે... સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો દ્વારા તેમજ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે... ગુજરાતની 26 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે જેની ચર્ચા થતી રહેતી હોય છે... ત્યારે આવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક.. ચૂંટણીના મુદ્દામાં તે મધ્યસ્થાનમાં હતી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. 


રાજકોટની બેઠક કોણ જીતશે? 

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે ચૂંટણી મેદાનમાં..  પરેશ ધાનાણી અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે તેમના નિવેદનને કારણે અને તેમની કવિતાને કારણે ત્યારે ફરી એક નિવેદન તેમનું વાયરલ થઈ રહ્યું છે જેમાં તે લીડની વાત કરી રહ્યા છે. જસદણ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું કે કેટલી લીડ કાઢવાના છે જસદણ વાળા? સામેથી જવાબ આવે છે અને પછી તે કહે છે કે આટલો વીડિયો કાપીને મારા કાકાને મોકલી દેજો.. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે રાજકોટની જનતા કોને વોટ આપી સાંસદ સભ્ય બનાવે છે..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.