Paresh Dhananiની અંદર રહેલો કવિ ફરી જાગ્યો! રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે અનેક કવિતાઓ શેર કરતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-04-19 15:42:05

રાજનેતાઓની અંદર રહેલો કવિ છેલ્લા ઘણા સમયથી જાગી ગયો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા અનેક દિવસોથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે... રાજનેતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતાઓ શેર કરે છે.. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી રહ્યા છે જેમાં લખેલું હોય છે રાજકોટનું રણમેદાન...  ત્યારે આજે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે...

રાજકોટમાં ચાલતા વિવાદને લઈ ધાનાણીની કવિતા

રાજકોટ લોકસભા બેઠક પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ચર્ચામાં તો છે પરંતુ પરેશ ધાનાણીને કારણે પણ ચર્ચામાં છે... પરષોત્તમ રૂપાલાએ 16 તારીખે નામાંકન ભર્યું જ્યારે આજે પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે... પરેશ ધાનાણી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી રહ્યા છે.. હાલ ચાલી રહેલા વિવાદને લઈ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય તેવું લાગે છે... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 

રાજકોટનું રણમેદાનના ટાઈટલ સાથે શેર કરી અનેક કવિતા

નામાંકન નોંધાવા જ્યારે પરેશ ધાનાણી ગયા ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા... ભાજપને લઈ તેમણે અનેક નિશાન સાધ્યા હતા. સોશિયલ મીડિયા પર આજે ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે અને ટાઈટલ આપ્યું છે રાજકોટનું રણમેદાન.. એક  કવિતામાં તેમણે લખ્યું છે કે 

રાજકોટનું રણમેદાન 


આજે સ્વાભિમાન યુદ્ધનો

શંખનાદ કરવ આવ્યો છું


આધુનિક અંગ્રેજોના ત્રાસથી 

રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છું


ખરા રામ રાજ્યની પુન:

સ્થાપના કરવા આવ્યો છું...


તે સિવાય બીજી એક કવિતા તેમણે શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે 


""રાજકોટનુ રણમેદાન""


હું સાંસદ નહી, સાથી બનવા આવ્યો છુ,

સંવિધાનની સુરક્ષા કાજે આવ્યો છુ,

સૌને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છુ,

વિકાસની પરિભાષા બદલવા આવ્યો છુ,

સદભાવનો દિપ પ્રગટાવવા આવ્યો છુ,

સમાનતાનો ભાવ જગાડવા આવ્યો છુ.!


   

તે ઉપરાંત 

""રાજકોટનુ રણમેદાન""


અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છુ

લોક મતના મુલ્યને બચાવવા આવ્યો છુ

દિકરીઓના દામને દાગ ભુંસવા આવ્યો છુ

સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ

સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છું


તે સિવાય વધુ એક કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે


""રાજકોટનુ રણમેદાન""


ભારતના ભવિષ્યની કેડી કંડારવા આવ્યો છુ

સર્વાંગી વિકાસનુ સ્વપ્ન લઈને આવ્યો છુ

ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા આવ્યો છુ

કર આતંકવાદથી વેપારને બચાવવા આવ્યો છુ

નાના ધંધાને ફરી ધમધમતા કરવા આવ્યો છુ

વિનાશકારી વ્યવસ્થાને રોકવા આવ્યો છુ

 

અને છેલ્લે પોસ્ટમાં લખ્યું કે...


"રાજકોટનુ રણમેદાન"


રાજકોટના હૃદયને જીતવા આવ્યો છુ

ડરની દીવાલને તોડવા આવ્યો છુ

બંધારણીય અધિકાર બચાવવા આવ્યો છુ

અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છુ

ડ્રગ્સના દુષણથી યુવાની બચાવવા આવ્યો છુ

શિક્ષણ- સ્વાસ્થ્ય સુવિધા સુધારવા આવ્યો છુ

જન સ્વાભિમાનને સલામ કરવા આવ્યો છુ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે