Paresh Dhananiની અંદર રહેલો કવિ ફરી જાગ્યો! રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે અનેક કવિતાઓ શેર કરતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-04-19 15:42:05

રાજનેતાઓની અંદર રહેલો કવિ છેલ્લા ઘણા સમયથી જાગી ગયો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા અનેક દિવસોથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે... રાજનેતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતાઓ શેર કરે છે.. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી રહ્યા છે જેમાં લખેલું હોય છે રાજકોટનું રણમેદાન...  ત્યારે આજે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે...

રાજકોટમાં ચાલતા વિવાદને લઈ ધાનાણીની કવિતા

રાજકોટ લોકસભા બેઠક પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ચર્ચામાં તો છે પરંતુ પરેશ ધાનાણીને કારણે પણ ચર્ચામાં છે... પરષોત્તમ રૂપાલાએ 16 તારીખે નામાંકન ભર્યું જ્યારે આજે પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે... પરેશ ધાનાણી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી રહ્યા છે.. હાલ ચાલી રહેલા વિવાદને લઈ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય તેવું લાગે છે... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 

રાજકોટનું રણમેદાનના ટાઈટલ સાથે શેર કરી અનેક કવિતા

નામાંકન નોંધાવા જ્યારે પરેશ ધાનાણી ગયા ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા... ભાજપને લઈ તેમણે અનેક નિશાન સાધ્યા હતા. સોશિયલ મીડિયા પર આજે ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે અને ટાઈટલ આપ્યું છે રાજકોટનું રણમેદાન.. એક  કવિતામાં તેમણે લખ્યું છે કે 

રાજકોટનું રણમેદાન 


આજે સ્વાભિમાન યુદ્ધનો

શંખનાદ કરવ આવ્યો છું


આધુનિક અંગ્રેજોના ત્રાસથી 

રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છું


ખરા રામ રાજ્યની પુન:

સ્થાપના કરવા આવ્યો છું...


તે સિવાય બીજી એક કવિતા તેમણે શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે 


""રાજકોટનુ રણમેદાન""


હું સાંસદ નહી, સાથી બનવા આવ્યો છુ,

સંવિધાનની સુરક્ષા કાજે આવ્યો છુ,

સૌને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છુ,

વિકાસની પરિભાષા બદલવા આવ્યો છુ,

સદભાવનો દિપ પ્રગટાવવા આવ્યો છુ,

સમાનતાનો ભાવ જગાડવા આવ્યો છુ.!


   

તે ઉપરાંત 

""રાજકોટનુ રણમેદાન""


અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છુ

લોક મતના મુલ્યને બચાવવા આવ્યો છુ

દિકરીઓના દામને દાગ ભુંસવા આવ્યો છુ

સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ

સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છું


તે સિવાય વધુ એક કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે


""રાજકોટનુ રણમેદાન""


ભારતના ભવિષ્યની કેડી કંડારવા આવ્યો છુ

સર્વાંગી વિકાસનુ સ્વપ્ન લઈને આવ્યો છુ

ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા આવ્યો છુ

કર આતંકવાદથી વેપારને બચાવવા આવ્યો છુ

નાના ધંધાને ફરી ધમધમતા કરવા આવ્યો છુ

વિનાશકારી વ્યવસ્થાને રોકવા આવ્યો છુ

 

અને છેલ્લે પોસ્ટમાં લખ્યું કે...


"રાજકોટનુ રણમેદાન"


રાજકોટના હૃદયને જીતવા આવ્યો છુ

ડરની દીવાલને તોડવા આવ્યો છુ

બંધારણીય અધિકાર બચાવવા આવ્યો છુ

અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છુ

ડ્રગ્સના દુષણથી યુવાની બચાવવા આવ્યો છુ

શિક્ષણ- સ્વાસ્થ્ય સુવિધા સુધારવા આવ્યો છુ

જન સ્વાભિમાનને સલામ કરવા આવ્યો છુ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.