Paresh Dhananiની અંદર રહેલો કવિ ફરી જાગ્યો! રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે અનેક કવિતાઓ શેર કરતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-04-19 15:42:05

રાજનેતાઓની અંદર રહેલો કવિ છેલ્લા ઘણા સમયથી જાગી ગયો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા અનેક દિવસોથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે... રાજનેતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતાઓ શેર કરે છે.. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી રહ્યા છે જેમાં લખેલું હોય છે રાજકોટનું રણમેદાન...  ત્યારે આજે રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે...

રાજકોટમાં ચાલતા વિવાદને લઈ ધાનાણીની કવિતા

રાજકોટ લોકસભા બેઠક પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ચર્ચામાં તો છે પરંતુ પરેશ ધાનાણીને કારણે પણ ચર્ચામાં છે... પરષોત્તમ રૂપાલાએ 16 તારીખે નામાંકન ભર્યું જ્યારે આજે પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે... પરેશ ધાનાણી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી રહ્યા છે.. હાલ ચાલી રહેલા વિવાદને લઈ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય તેવું લાગે છે... પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 

રાજકોટનું રણમેદાનના ટાઈટલ સાથે શેર કરી અનેક કવિતા

નામાંકન નોંધાવા જ્યારે પરેશ ધાનાણી ગયા ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા... ભાજપને લઈ તેમણે અનેક નિશાન સાધ્યા હતા. સોશિયલ મીડિયા પર આજે ફરી એક વખત અનેક કવિતાઓ શેર કરી છે અને ટાઈટલ આપ્યું છે રાજકોટનું રણમેદાન.. એક  કવિતામાં તેમણે લખ્યું છે કે 

રાજકોટનું રણમેદાન 


આજે સ્વાભિમાન યુદ્ધનો

શંખનાદ કરવ આવ્યો છું


આધુનિક અંગ્રેજોના ત્રાસથી 

રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છું


ખરા રામ રાજ્યની પુન:

સ્થાપના કરવા આવ્યો છું...


તે સિવાય બીજી એક કવિતા તેમણે શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે 


""રાજકોટનુ રણમેદાન""


હું સાંસદ નહી, સાથી બનવા આવ્યો છુ,

સંવિધાનની સુરક્ષા કાજે આવ્યો છુ,

સૌને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છુ,

વિકાસની પરિભાષા બદલવા આવ્યો છુ,

સદભાવનો દિપ પ્રગટાવવા આવ્યો છુ,

સમાનતાનો ભાવ જગાડવા આવ્યો છુ.!


   

તે ઉપરાંત 

""રાજકોટનુ રણમેદાન""


અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છુ

લોક મતના મુલ્યને બચાવવા આવ્યો છુ

દિકરીઓના દામને દાગ ભુંસવા આવ્યો છુ

સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ

સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છું


તે સિવાય વધુ એક કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું કે


""રાજકોટનુ રણમેદાન""


ભારતના ભવિષ્યની કેડી કંડારવા આવ્યો છુ

સર્વાંગી વિકાસનુ સ્વપ્ન લઈને આવ્યો છુ

ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા આવ્યો છુ

કર આતંકવાદથી વેપારને બચાવવા આવ્યો છુ

નાના ધંધાને ફરી ધમધમતા કરવા આવ્યો છુ

વિનાશકારી વ્યવસ્થાને રોકવા આવ્યો છુ

 

અને છેલ્લે પોસ્ટમાં લખ્યું કે...


"રાજકોટનુ રણમેદાન"


રાજકોટના હૃદયને જીતવા આવ્યો છુ

ડરની દીવાલને તોડવા આવ્યો છુ

બંધારણીય અધિકાર બચાવવા આવ્યો છુ

અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છુ

ડ્રગ્સના દુષણથી યુવાની બચાવવા આવ્યો છુ

શિક્ષણ- સ્વાસ્થ્ય સુવિધા સુધારવા આવ્યો છુ

જન સ્વાભિમાનને સલામ કરવા આવ્યો છુ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.