Paresh Dhananiએ ફરી કરી કવિતા શેર. ક્ષત્રાણીઓને કરી આ અપીલ, જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 18:41:07

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિવાદને શાંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે બેઠકનું આયોજન પણ થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તે વિવાદ શાંત થવાની બદલીમાં વધારે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે.. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની વાત કરવામાં આવી છે. તે વીડિયોને પોસ્ટ કરી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરી છે જેમાં તે મહિલાઓને શાંત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. 


પરેશ ધાનાણીએ કવિતા શેર કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક  રાજનેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે જેમાં કટાક્ષ કરવામાં આવતો હોય. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કવિતા રૂપી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. એકબીજા પર પાર્ટી પ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીએ ફરી એક વખત કવિતા ટ્વિટ કરી છે. આ વખતે કવિતામાં કટાક્ષ નહીં પરંતુ એક વિનંતી પરેશ ધાનાણીએ કરી છે તેવું લાગે છે...



ટ્વિટર પર પરેશ ધાનાણીએ કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે


 ""હૈ શક્તિ, તમે શાંત રહેજો.. ""

જ્યારે જ્યારે રાજ ના દરબારમાં.

દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે,


ત્યારે ત્યારે હંમેશા મહાભારતના 

યુદ્ધો થાય છે...!


અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ

બેન-દીકરીઓની લાજ બચાવીએ,


નવા 'મહાભારત' પર રોક લગાવીએ

આપણા 'ભારત'ને મહાન બનાવીએ... 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..