Paresh Dhananiએ ફરી કરી કવિતા શેર. ક્ષત્રાણીઓને કરી આ અપીલ, જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-04-05 18:41:07

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિવાદને શાંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે બેઠકનું આયોજન પણ થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તે વિવાદ શાંત થવાની બદલીમાં વધારે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે.. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની વાત કરવામાં આવી છે. તે વીડિયોને પોસ્ટ કરી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરી છે જેમાં તે મહિલાઓને શાંત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. 


પરેશ ધાનાણીએ કવિતા શેર કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક  રાજનેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે જેમાં કટાક્ષ કરવામાં આવતો હોય. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કવિતા રૂપી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. એકબીજા પર પાર્ટી પ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીએ ફરી એક વખત કવિતા ટ્વિટ કરી છે. આ વખતે કવિતામાં કટાક્ષ નહીં પરંતુ એક વિનંતી પરેશ ધાનાણીએ કરી છે તેવું લાગે છે...



ટ્વિટર પર પરેશ ધાનાણીએ કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે


 ""હૈ શક્તિ, તમે શાંત રહેજો.. ""

જ્યારે જ્યારે રાજ ના દરબારમાં.

દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે,


ત્યારે ત્યારે હંમેશા મહાભારતના 

યુદ્ધો થાય છે...!


અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ

બેન-દીકરીઓની લાજ બચાવીએ,


નવા 'મહાભારત' પર રોક લગાવીએ

આપણા 'ભારત'ને મહાન બનાવીએ... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે