Paresh Dhananiએ ફરી કરી કવિતા શેર. ક્ષત્રાણીઓને કરી આ અપીલ, જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-04-05 18:41:07

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિવાદને શાંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે બેઠકનું આયોજન પણ થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તે વિવાદ શાંત થવાની બદલીમાં વધારે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે.. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની વાત કરવામાં આવી છે. તે વીડિયોને પોસ્ટ કરી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરી છે જેમાં તે મહિલાઓને શાંત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. 


પરેશ ધાનાણીએ કવિતા શેર કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક  રાજનેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે જેમાં કટાક્ષ કરવામાં આવતો હોય. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કવિતા રૂપી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. એકબીજા પર પાર્ટી પ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીએ ફરી એક વખત કવિતા ટ્વિટ કરી છે. આ વખતે કવિતામાં કટાક્ષ નહીં પરંતુ એક વિનંતી પરેશ ધાનાણીએ કરી છે તેવું લાગે છે...



ટ્વિટર પર પરેશ ધાનાણીએ કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે


 ""હૈ શક્તિ, તમે શાંત રહેજો.. ""

જ્યારે જ્યારે રાજ ના દરબારમાં.

દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે,


ત્યારે ત્યારે હંમેશા મહાભારતના 

યુદ્ધો થાય છે...!


અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ

બેન-દીકરીઓની લાજ બચાવીએ,


નવા 'મહાભારત' પર રોક લગાવીએ

આપણા 'ભારત'ને મહાન બનાવીએ... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.