Paresh Dhananiએ મોંઘવારીની વાત કરવા લીધો પાણીપુરીનો સહારો! પાણીપુરીને લઈ લીધું પહેલા આટલામાં આટલી મળતી અને હવે..


  • Published By :
  • Published Date : 2024-04-30 16:41:10

રાજકોટ લોકસભા સીટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે... કોઈ વખત પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે તો કોઈ વખત ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પોસ્ટ કરવામાં આવતી કવિતાઓને કારણે.... જનતા વચ્ચે જ્યારે ઉમેદવાર જાય છે ત્યારે અલગ મુદ્દાઓને લઈ જાય છે.. ગુજરાતની રાજનીતિમાં અનેક શબ્દોની એન્ટ્રી થઈ ગઈ છે.. પરેશ ધાનાણી હવે પાણીપુરી શબ્દને લઈ આવ્યા છે..    

પરેશ ધાનાણીએ અનેક વખત આપ્યા છે નિવેદન

દેશમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મતદાતાઓને રિઝવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... રાજકોટ લોકસભા બેઠક ગુજરાતમાં ચર્ચાઈ રહી છે.. પોતાના ભાષણ દરમિયાન પરેશ ધાનાણીએ અનેક શબ્દોનો ઉપયોગ કર્યો છે.. પટેલ અને બાપુઓને હરખ પદુડા કહ્યાં હતા. રાજકોટના મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ વર્ષ 1995નું ઉદાહરણ આપી કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીને 10 ડોલ પાણી પાયું છે. 


પ્રચારમાં હવે લિપસ્ટિક અને પાણીપુરીની એન્ટ્રી

વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા. લાગે છે કે રાજકોટ બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે. જ્યાં સુધી ચૂંટણી પૂરી નહી થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં રાજકીય ઉહાપોહ મચેલો જ રહેશે તેવું કહીએ તો અતિશયોક્તિ નહી હોય. એવામાં હવે રાજકોટના ચૂંટણી પ્રચારમાં તો મહિલાઓની લિપસ્ટિક અને પાણીપુરી પણ આવી છે...


રાજકોટની પ્રજાને લુભાવવા માટે લેવાયો આ સહારો

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હંમેશા તેમના આગવા અંદાજમાં રહેતા હોય છે... લોકો વચ્ચે જવાની તેમની સ્ટાઈલ અતરંગી હોય છે. હાલમાં તેઓ ગોવાળિયાના વેશમાં ચૂંટણી પ્રચારમા આવ્યા હતા. ત્યારે હવે તેમણે રાજકોટની પ્રજાને લુભાવવા માટે પાણીપુરીનો સહારો લીધો છે. રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો. 



પરેશ ધાનાણીએ મહિલાઓને પૂછ્યું કે... 

પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું, પહેલા 10 રૂપિયાની 10 પાણીપુરી આવતી હતી, હવે 20 રૂપિયાની 6 જ આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહિ કરી શકતી હોય. મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા તો જતી જ હશે. મેં પ્રચાર દરમિયાન પૂછ્યું એક બેનને કે આ લિપસ્ટિક કેટલાની. તો કહે કે, 10 રૂપિયાની. પહેલા કેટલાની આવતી તો કહે 6 રૂપિયાની. બંગડી કેટલાની 20 રૂપિયાની.પહેલા 6 રૂપિયાની આવતી. 


પરેશ ધાનાણીએ લોકોને કરી આ અપીલ!

દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે. તો ક્રિકેટની ભાષામાં પણ પ્રચાર કર્યો અને નવાગામમાં આવેલ ખોડલધામ રેસિડેન્સીમાં જાહેરસભામાં એવું કહ્યું કે, 'અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો જેથી મારા ભાગે 20-20 રમવાની આવી. રાજકોટ પ્રીમિયર લીગમાં રમવા તો આવ્યો છું પણ બધાને ન મળી શકાયું હોઈ તો હાથે જ ફિલ્ડિંગ ગોઠવી લેજો. અડોશી પાડોશી અને સગા સબંધીઓને 10-10 ફોન કરી મતદાન કરવા અપીલ કરી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે