પરેશ રાવલને બફાટ કરવો ભારે પડ્યો, બંગાળ પોલીસે “હુલ્લડ માટે ઉશ્કેરવા”ના આરોપ સાથે સમન્સ પાઠવ્યું


  • Published By :
  • Published Date : 2022-12-06 20:10:55

બોલિવુડ અભિનેતા પરેશ રાવલને વલસાડમાં એક ચૂંટણીસભામાં બફાટ કરવો ભારે પડી રહ્યો છે. બંગાળીઓ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને લઈ પરેશ રાવલે ટ્વીટર પર માફી માંગી હોવા છતાં પણ તેમની મુશ્કેલી વધી રહી છે. આજે કોલકાતા પોલીસે મંગળવારે અભિનેતા-રાજકારણી પરેશ રાવલને તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ નોટિસ ફટકારી છે. આજે 12 ડિસેમ્બરે આપેલી આ નોટિસમાં તેમને પોલીસ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. CPI (M)ના નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમની ફરિયાદ બાદ પોલીસે રાવલ સામે તેમની ટિપ્પણીને લઈ ગુનો નોંધ્યો છે, તેમણે પરેશ રાવલ પર “હુલ્લડ માટે ઉશ્કેરવા” અને “બંગાળી સમુદાય અને સમગ્ર  દેશમાં અન્ય સમુદાયો વચ્ચે સંવાદિતા નષ્ટ કરવા માટે ભાષણ આપવાનો આરોપ મુક્યો છે."


CPI (M)ના નેતાએ પોલીસ ફરીયાદ કરી


CPI (M)ના નેતા સલીમે 1 ડિસેમ્બરના રોજ તાલતાલા પોલીસ સ્ટેશનમાં રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા પછી, ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક ભાષણ), 153A (જે કોઈ પણ ઈરાદાપૂર્વક અથવા અનિચ્છનીય રીતે કોઈ હુલ્લડ કરાવવા અથવા ઉશ્કેરવા), 153B (અભિયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. , રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો), અને કલમ 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના ઉદ્દેશ્ય સાથે ઇરાદાપૂર્વકનું હિત) અને 505 (બદઈરાદાના ઉદ્દેશ્ય સાથે અથવા જેનું કારણ બની શકે છે) મુજબ ફરિયાદ નોંધાઈ છે.


પરેશ રાવલે શું ભાષણ કર્યું હતું?


ગુજરાતના વલસાડમાં એક રેલીમાં ભાષણ આપતા પરેશ રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઓછી થશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?" જો કે પરેશ રાવલે તેમનું ભાષણ વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ માફી માંગી હતી.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.