Paris Olympic - ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ, PM Modiએ ટીમ સાથે કરી વાત, ખેલાડીઓ ખુશ થઈ ગયા જ્યારે..


  • Published By :
  • Published Date : 2024-08-09 13:01:47

ઓલિમ્પિકમાં ગઈકાલે જબરજસ્ત ખેલ થયા. રાત્રે મોડા સુધી આખો દેશ નીરજ ચોપરાની ગેમ જોવા માટે જાગ્યું પણ એ જ સમયે જ્યારે ભારતની હોકી ટીમને મળી રહેલું મેડલ અને મનમાં ચાલતું ગીત ચક દે ઑ ચક દે ઈન્ડિયા ફીલિંગ જ કઈક અલગ હતી.. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલકીપર પીઆર શ્રીજેશને ખભા પર ઊંચક્યો હતો.


ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારતીય હોકી ટીમે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું. આ જીત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે ભારતે 1972થી સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં હોકી મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ હતું. અને જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ જે વાત કરી એ પણ ખાસ હતી. 

મેચ જીત્યા બાદ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ મેદાન પર સૂઈ ગયો અને અન્ય ખેલાડીઓ તેના પર ચઢી ગયા.


ભારતે સ્પેનની ટીમને હરાવી!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને હળવા અંદાજમાં એ લોકો સાથે વાત કરી. હરમન સાથે વાત શરૂ કરતાં જ તેમણે કહ્યું કે સરપંચ સાબ અને બધા હસવા લાગ્યા. ટીમની જીત બાદ ટીમે સેલિબ્રેશન કર્યું હતું ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 




જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે.. 

તેણે છેલ્લી ઘડીમાં બે ગોલ બચાવીને ભારતીય ટીમની જીત પર મહોર લગાવી અને એટલે જ જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે બધા ખેલાડીઓએ મેડલ પીઆર શ્રીજેશે અર્પણ કર્યા તો હવે ફિંગર્સ ક્રોસ કે આગળ પણ ઓલિમ્પિકમાં ભારત શાનદાર પ્રદર્શન કરે. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.