Paris Olympic - ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ, PM Modiએ ટીમ સાથે કરી વાત, ખેલાડીઓ ખુશ થઈ ગયા જ્યારે..


  • Published By :
  • Published Date : 2024-08-09 13:01:47

ઓલિમ્પિકમાં ગઈકાલે જબરજસ્ત ખેલ થયા. રાત્રે મોડા સુધી આખો દેશ નીરજ ચોપરાની ગેમ જોવા માટે જાગ્યું પણ એ જ સમયે જ્યારે ભારતની હોકી ટીમને મળી રહેલું મેડલ અને મનમાં ચાલતું ગીત ચક દે ઑ ચક દે ઈન્ડિયા ફીલિંગ જ કઈક અલગ હતી.. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલકીપર પીઆર શ્રીજેશને ખભા પર ઊંચક્યો હતો.


ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારતીય હોકી ટીમે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું. આ જીત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે ભારતે 1972થી સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં હોકી મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ હતું. અને જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ જે વાત કરી એ પણ ખાસ હતી. 

મેચ જીત્યા બાદ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ મેદાન પર સૂઈ ગયો અને અન્ય ખેલાડીઓ તેના પર ચઢી ગયા.


ભારતે સ્પેનની ટીમને હરાવી!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને હળવા અંદાજમાં એ લોકો સાથે વાત કરી. હરમન સાથે વાત શરૂ કરતાં જ તેમણે કહ્યું કે સરપંચ સાબ અને બધા હસવા લાગ્યા. ટીમની જીત બાદ ટીમે સેલિબ્રેશન કર્યું હતું ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 




જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે.. 

તેણે છેલ્લી ઘડીમાં બે ગોલ બચાવીને ભારતીય ટીમની જીત પર મહોર લગાવી અને એટલે જ જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે બધા ખેલાડીઓએ મેડલ પીઆર શ્રીજેશે અર્પણ કર્યા તો હવે ફિંગર્સ ક્રોસ કે આગળ પણ ઓલિમ્પિકમાં ભારત શાનદાર પ્રદર્શન કરે. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.