Paris Olympic - ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ, PM Modiએ ટીમ સાથે કરી વાત, ખેલાડીઓ ખુશ થઈ ગયા જ્યારે..


  • Published By :
  • Published Date : 2024-08-09 13:01:47

ઓલિમ્પિકમાં ગઈકાલે જબરજસ્ત ખેલ થયા. રાત્રે મોડા સુધી આખો દેશ નીરજ ચોપરાની ગેમ જોવા માટે જાગ્યું પણ એ જ સમયે જ્યારે ભારતની હોકી ટીમને મળી રહેલું મેડલ અને મનમાં ચાલતું ગીત ચક દે ઑ ચક દે ઈન્ડિયા ફીલિંગ જ કઈક અલગ હતી.. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલકીપર પીઆર શ્રીજેશને ખભા પર ઊંચક્યો હતો.


ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારતીય હોકી ટીમે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું. આ જીત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે ભારતે 1972થી સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં હોકી મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ હતું. અને જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ જે વાત કરી એ પણ ખાસ હતી. 

મેચ જીત્યા બાદ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ મેદાન પર સૂઈ ગયો અને અન્ય ખેલાડીઓ તેના પર ચઢી ગયા.


ભારતે સ્પેનની ટીમને હરાવી!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને હળવા અંદાજમાં એ લોકો સાથે વાત કરી. હરમન સાથે વાત શરૂ કરતાં જ તેમણે કહ્યું કે સરપંચ સાબ અને બધા હસવા લાગ્યા. ટીમની જીત બાદ ટીમે સેલિબ્રેશન કર્યું હતું ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 




જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે.. 

તેણે છેલ્લી ઘડીમાં બે ગોલ બચાવીને ભારતીય ટીમની જીત પર મહોર લગાવી અને એટલે જ જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે બધા ખેલાડીઓએ મેડલ પીઆર શ્રીજેશે અર્પણ કર્યા તો હવે ફિંગર્સ ક્રોસ કે આગળ પણ ઓલિમ્પિકમાં ભારત શાનદાર પ્રદર્શન કરે. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.