Paris Olympic - ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ, PM Modiએ ટીમ સાથે કરી વાત, ખેલાડીઓ ખુશ થઈ ગયા જ્યારે..


  • Published By :
  • Published Date : 2024-08-09 13:01:47

ઓલિમ્પિકમાં ગઈકાલે જબરજસ્ત ખેલ થયા. રાત્રે મોડા સુધી આખો દેશ નીરજ ચોપરાની ગેમ જોવા માટે જાગ્યું પણ એ જ સમયે જ્યારે ભારતની હોકી ટીમને મળી રહેલું મેડલ અને મનમાં ચાલતું ગીત ચક દે ઑ ચક દે ઈન્ડિયા ફીલિંગ જ કઈક અલગ હતી.. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલકીપર પીઆર શ્રીજેશને ખભા પર ઊંચક્યો હતો.


ભારતીય હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ 

ભારતીય હોકી ટીમે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું. આ જીત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે ભારતે 1972થી સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં હોકી મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ હતું. અને જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ જે વાત કરી એ પણ ખાસ હતી. 

મેચ જીત્યા બાદ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ મેદાન પર સૂઈ ગયો અને અન્ય ખેલાડીઓ તેના પર ચઢી ગયા.


ભારતે સ્પેનની ટીમને હરાવી!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને હળવા અંદાજમાં એ લોકો સાથે વાત કરી. હરમન સાથે વાત શરૂ કરતાં જ તેમણે કહ્યું કે સરપંચ સાબ અને બધા હસવા લાગ્યા. ટીમની જીત બાદ ટીમે સેલિબ્રેશન કર્યું હતું ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 




જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે.. 

તેણે છેલ્લી ઘડીમાં બે ગોલ બચાવીને ભારતીય ટીમની જીત પર મહોર લગાવી અને એટલે જ જ્યારે ખેલાડીઓને મેડલ પહેરાવી રહ્યા હતા ત્યારે બધા ખેલાડીઓએ મેડલ પીઆર શ્રીજેશે અર્પણ કર્યા તો હવે ફિંગર્સ ક્રોસ કે આગળ પણ ઓલિમ્પિકમાં ભારત શાનદાર પ્રદર્શન કરે. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.