Paris Olympic - Vinesh Phogat Olympicમાં અઘોષિત થયા, મેડલ જીતવાના સપના તૂટ્યા, PM Modiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-07 15:17:45

આપણો આખો દેશ આજે દુ:ખમાં છે કારણકે ભારતે આજે એક મેડલ ગુમાવ્યો છે.. સમાચાર ઓલિમ્પિકના છે જેમાં વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એટલા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા કારણ કે તે 50 કિલો વજન જાળવી શક્યા નહીં.

ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આપવામાં આવી માહિતી

પેરિસમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. કોને ગર્વ ના થાય જ્યારે આપણા દેશની દીકરી ઓલિમ્પિકમાં મેડલ જીતે.. પણ અફસોસ કે વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.  કારણ કે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી થયા, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગયા છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે.



100 ગ્રામ વધુ વજન હોવાને કારણે થયા ડિસ્કવોલિફાય 

એસોસિએશનનું કહેવું છે કે વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શક્યા નહીં. વિનેશ ઓલિમ્પિકમાં 50 kg વજનની કેટેગરીમાં રમી રહ્યા હતા. વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં.


આની પહેલા આ કેટેગરીમાં રમતા હતા પરંતુ હતા પરંતુ પહેલી વખત!

જોકે વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. જે પછી તે આખી રાત ઊંઘયા નહીં અને  પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા પણ એ નિષ્ફળ રહ્યા. અત્યાર સુધી તે  53 કિગ્રા વજન વર્ગમાં લડતા હતા આ પ્રથમ વખત છે જ્યારે તે 50 કિગ્રા સ્પર્ધામાં રમી રહ્યા હતા આજે જ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ થવાની હતી. જે પહેલા જ આ સમાચાર આવી ગયા.



પીએમ મોદીએ આ મામલે કર્યું ટ્વિટ

આ સમાચાર બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું જેમાં તેમેણે લખ્યું કે વિનેશ, તમે  ચેમ્પિયન વચ્ચે ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.આજનો આંચકો દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે શબ્દો નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે જે હું અનુભવી રહ્યો છું. તે જ સમયે, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતાયથી પાછા આવો!  મહત્વનું છે કે આ મુદ્દે સંસદમાં પણ હોબાળો થયો. આ મુદ્દો ઉઠ્યો. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .