Paris Olympic - Vinesh Phogat Olympicમાં અઘોષિત થયા, મેડલ જીતવાના સપના તૂટ્યા, PM Modiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-07 15:17:45

આપણો આખો દેશ આજે દુ:ખમાં છે કારણકે ભારતે આજે એક મેડલ ગુમાવ્યો છે.. સમાચાર ઓલિમ્પિકના છે જેમાં વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એટલા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા કારણ કે તે 50 કિલો વજન જાળવી શક્યા નહીં.

ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આપવામાં આવી માહિતી

પેરિસમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. કોને ગર્વ ના થાય જ્યારે આપણા દેશની દીકરી ઓલિમ્પિકમાં મેડલ જીતે.. પણ અફસોસ કે વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.  કારણ કે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી થયા, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગયા છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે.



100 ગ્રામ વધુ વજન હોવાને કારણે થયા ડિસ્કવોલિફાય 

એસોસિએશનનું કહેવું છે કે વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શક્યા નહીં. વિનેશ ઓલિમ્પિકમાં 50 kg વજનની કેટેગરીમાં રમી રહ્યા હતા. વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં.


આની પહેલા આ કેટેગરીમાં રમતા હતા પરંતુ હતા પરંતુ પહેલી વખત!

જોકે વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. જે પછી તે આખી રાત ઊંઘયા નહીં અને  પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા પણ એ નિષ્ફળ રહ્યા. અત્યાર સુધી તે  53 કિગ્રા વજન વર્ગમાં લડતા હતા આ પ્રથમ વખત છે જ્યારે તે 50 કિગ્રા સ્પર્ધામાં રમી રહ્યા હતા આજે જ 10 વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ થવાની હતી. જે પહેલા જ આ સમાચાર આવી ગયા.



પીએમ મોદીએ આ મામલે કર્યું ટ્વિટ

આ સમાચાર બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું જેમાં તેમેણે લખ્યું કે વિનેશ, તમે  ચેમ્પિયન વચ્ચે ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.આજનો આંચકો દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે શબ્દો નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે જે હું અનુભવી રહ્યો છું. તે જ સમયે, હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતાયથી પાછા આવો!  મહત્વનું છે કે આ મુદ્દે સંસદમાં પણ હોબાળો થયો. આ મુદ્દો ઉઠ્યો. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.