Parliament : MP Suspensionને લઈ આજે પણ વિરોધ યથાવત, સંસદ ભવનથી વિજય ચોક સુધી વિપક્ષી સાંસદોએ કરી કૂચ


  • Published By :
  • Published Date : 2023-12-21 12:47:59

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા હતા. સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં હોબાળો કર્યો હતો જેને લઈ 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઈતિહાસમાં પહેલી વખત એક સાથે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે સરકાર વિપક્ષને ખતમ કરવા માગે છે. એક તરફ આ સસ્પેન્શનનો વિરોધ સાંસદો કરી રહ્યા છે પરંતુ બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જનદીપ ધનખડની સાંસદે મિમિક્રી કરી હતી તેને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે આજે વિપક્ષી સાંસદોએ રેલીનું આયોજન કર્યું હતું. સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ વિપક્ષી સાંસદોએ કાઢી. 

સંસદની કાર્યવાહી દરમિયાન સાંસદો કરતા હોય છે હોબાળો

દેશમાં લાગુ થતા કાયદાઓ સંસદમાં પસાર થાય છે. જ્યારે બિલ રજૂ થાય છે ત્યારે વિપક્ષી સાંસદો પ્રશ્ન પૂછતા હોય છે, તેનો વિરોધ કરતા હોય છે જેને લઈ હંગામો થાય છે. જ્યારે સંસદની કાર્યવાહી થતી હોય છે ત્યારે અનેક વખત સાંસદો દ્વારા હોબાળો કરવામાં આવતો હોય છે. અનેક એવા વીડિયો આપણે જોયા હશે જેમાં સાંસદો વિરોધ કરે છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. શિયાળા સત્ર દરમિયાન પણ અનેક વખત એવા વિપક્ષી સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને કાર્યવાહી સ્થગિત થાય છે. 

140થી વધુ સાંસદોને સંસદમાંથી કરાયા છે સસ્પેન્ડ 

ત્યારે હમણા સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદમાં થયેલા સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે. સદનમાં ભારે હોબાળો થયો જેને કારણે 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતનો વિરોધ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સસ્પેન્શનના વિરોધમાં આજે સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી. આ કૂચમાં અનેક સાંસદો જોડાયા હતા. 



કૂચ કરી રહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

કૂચમાં અનેક વિપક્ષી સાંસદો જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે તેમની વિરૂદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. મહત્વનું છે કે સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે.         




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.