Parliament : MP Suspensionને લઈ આજે પણ વિરોધ યથાવત, સંસદ ભવનથી વિજય ચોક સુધી વિપક્ષી સાંસદોએ કરી કૂચ


  • Published By :
  • Published Date : 2023-12-21 12:47:59

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા હતા. સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં હોબાળો કર્યો હતો જેને લઈ 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઈતિહાસમાં પહેલી વખત એક સાથે આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે સરકાર વિપક્ષને ખતમ કરવા માગે છે. એક તરફ આ સસ્પેન્શનનો વિરોધ સાંસદો કરી રહ્યા છે પરંતુ બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જનદીપ ધનખડની સાંસદે મિમિક્રી કરી હતી તેને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે આજે વિપક્ષી સાંસદોએ રેલીનું આયોજન કર્યું હતું. સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ વિપક્ષી સાંસદોએ કાઢી. 

સંસદની કાર્યવાહી દરમિયાન સાંસદો કરતા હોય છે હોબાળો

દેશમાં લાગુ થતા કાયદાઓ સંસદમાં પસાર થાય છે. જ્યારે બિલ રજૂ થાય છે ત્યારે વિપક્ષી સાંસદો પ્રશ્ન પૂછતા હોય છે, તેનો વિરોધ કરતા હોય છે જેને લઈ હંગામો થાય છે. જ્યારે સંસદની કાર્યવાહી થતી હોય છે ત્યારે અનેક વખત સાંસદો દ્વારા હોબાળો કરવામાં આવતો હોય છે. અનેક એવા વીડિયો આપણે જોયા હશે જેમાં સાંસદો વિરોધ કરે છે અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. શિયાળા સત્ર દરમિયાન પણ અનેક વખત એવા વિપક્ષી સાંસદો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને કાર્યવાહી સ્થગિત થાય છે. 

140થી વધુ સાંસદોને સંસદમાંથી કરાયા છે સસ્પેન્ડ 

ત્યારે હમણા સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદમાં થયેલા સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે. સદનમાં ભારે હોબાળો થયો જેને કારણે 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતનો વિરોધ વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સસ્પેન્શનના વિરોધમાં આજે સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી. આ કૂચમાં અનેક સાંસદો જોડાયા હતા. 



કૂચ કરી રહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

કૂચમાં અનેક વિપક્ષી સાંસદો જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે તેમની વિરૂદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. મહત્વનું છે કે સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાઈ રહ્યા છે.         




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.