Parliament Security Breach : સંસદમાં હુમલાના માસ્ટર માઈન્ડ Lalit Jhaએ Delhi Police સમક્ષ કર્યું Surrender


  • Published By :
  • Published Date : 2023-12-15 09:53:15

થોડા દિવસ પહેલા લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો ઘૂસી આવ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો હતો. આ ઘટના બાદ લોકસભા સચિવાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે 8 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સંસદમાં ઘૂસણખોરી કરવા મામલે માસ્ટરમાઈંડ લલિત ઝાએ દિલ્હી પોલીસમાં સામે ચાલીને સરેન્ડર કર્યું છે.  14 ડિસેમ્બરે તે પોતાના સાથી સાથે કર્તવ્ય પથ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે સંસદમાં હુમલો થયો ત્યારે લલિત ઝા ત્યાં હાજર હતો.

    

સંસદમાં હુમલો કરનાર લોકોના રિમાન્ડ કરાયા મંજુર 

સંસદને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ સાંસદોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. સંસદમાં અચાનક બે વ્યક્તિ ઘૂસી આવ્યા હતા અને સ્પ્રે ગનથી હુમલો કર્યો. બાદમાં આ બંને આરોપીઓને સાંસદોએ જ પકડી પાડ્યા હતા. તે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આરોપીઓની ઘૂલાઈ કરી હતી. સંસદની બહાર મહિલા નારેબાજી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાને પગલે ચારેય હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા છે, તેમની રિમાન્ડ માટે પોલીસે અરજી કરી હતી, કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો જરૂર પડશે તો આ રિમાન્ડને વધારવામાં આવશે. 


માસ્ટર માઈન્ડે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર 

આરોપીઓ તો પકડમાં આવી ગયા પરંતુ માસ્ટર માઈન્ડ પકડની બહાર હતો. તેની શોધખોળ ચાલી રહી હતી પરંતુ આ પ્લાનના માસ્ટર માઈન્ડે સામે ચાલીને સરેન્ડર કર્યું છે. બે દિવસથી ફરાર લલિત ઝાએ કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસ લલિતની પૂછપરછ કરી રહી છે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં 6 ઓરોપીઓ પોલીસની પકડમાં છે એવી માહિતી સામે આવી છે. આની પહેલા પકડાયેલા આરોપીઓને યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સાગર, અનમોલ, મનોરંજન અને નીલમ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસની તપાસની માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ બંને સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે