Parliament Security Breach : સંસદમાં હુમલાના માસ્ટર માઈન્ડ Lalit Jhaએ Delhi Police સમક્ષ કર્યું Surrender


  • Published By :
  • Published Date : 2023-12-15 09:53:15

થોડા દિવસ પહેલા લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો ઘૂસી આવ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો હતો. આ ઘટના બાદ લોકસભા સચિવાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે 8 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સંસદમાં ઘૂસણખોરી કરવા મામલે માસ્ટરમાઈંડ લલિત ઝાએ દિલ્હી પોલીસમાં સામે ચાલીને સરેન્ડર કર્યું છે.  14 ડિસેમ્બરે તે પોતાના સાથી સાથે કર્તવ્ય પથ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે સંસદમાં હુમલો થયો ત્યારે લલિત ઝા ત્યાં હાજર હતો.

    

સંસદમાં હુમલો કરનાર લોકોના રિમાન્ડ કરાયા મંજુર 

સંસદને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ સાંસદોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. સંસદમાં અચાનક બે વ્યક્તિ ઘૂસી આવ્યા હતા અને સ્પ્રે ગનથી હુમલો કર્યો. બાદમાં આ બંને આરોપીઓને સાંસદોએ જ પકડી પાડ્યા હતા. તે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આરોપીઓની ઘૂલાઈ કરી હતી. સંસદની બહાર મહિલા નારેબાજી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાને પગલે ચારેય હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા છે, તેમની રિમાન્ડ માટે પોલીસે અરજી કરી હતી, કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો જરૂર પડશે તો આ રિમાન્ડને વધારવામાં આવશે. 


માસ્ટર માઈન્ડે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર 

આરોપીઓ તો પકડમાં આવી ગયા પરંતુ માસ્ટર માઈન્ડ પકડની બહાર હતો. તેની શોધખોળ ચાલી રહી હતી પરંતુ આ પ્લાનના માસ્ટર માઈન્ડે સામે ચાલીને સરેન્ડર કર્યું છે. બે દિવસથી ફરાર લલિત ઝાએ કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસ લલિતની પૂછપરછ કરી રહી છે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં 6 ઓરોપીઓ પોલીસની પકડમાં છે એવી માહિતી સામે આવી છે. આની પહેલા પકડાયેલા આરોપીઓને યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સાગર, અનમોલ, મનોરંજન અને નીલમ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસની તપાસની માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ બંને સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.