Parliament Security Breach : સંસદમાં હુમલાના માસ્ટર માઈન્ડ Lalit Jhaએ Delhi Police સમક્ષ કર્યું Surrender


  • Published By :
  • Published Date : 2023-12-15 09:53:15

થોડા દિવસ પહેલા લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો ઘૂસી આવ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો હતો. આ ઘટના બાદ લોકસભા સચિવાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગ રૂપે 8 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સંસદમાં ઘૂસણખોરી કરવા મામલે માસ્ટરમાઈંડ લલિત ઝાએ દિલ્હી પોલીસમાં સામે ચાલીને સરેન્ડર કર્યું છે.  14 ડિસેમ્બરે તે પોતાના સાથી સાથે કર્તવ્ય પથ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે સંસદમાં હુમલો થયો ત્યારે લલિત ઝા ત્યાં હાજર હતો.

    

સંસદમાં હુમલો કરનાર લોકોના રિમાન્ડ કરાયા મંજુર 

સંસદને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા સંસદમાં થયેલી સુરક્ષા ચૂકને લઈ સાંસદોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. સંસદમાં અચાનક બે વ્યક્તિ ઘૂસી આવ્યા હતા અને સ્પ્રે ગનથી હુમલો કર્યો. બાદમાં આ બંને આરોપીઓને સાંસદોએ જ પકડી પાડ્યા હતા. તે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આરોપીઓની ઘૂલાઈ કરી હતી. સંસદની બહાર મહિલા નારેબાજી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાને પગલે ચારેય હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા છે, તેમની રિમાન્ડ માટે પોલીસે અરજી કરી હતી, કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો જરૂર પડશે તો આ રિમાન્ડને વધારવામાં આવશે. 


માસ્ટર માઈન્ડે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર 

આરોપીઓ તો પકડમાં આવી ગયા પરંતુ માસ્ટર માઈન્ડ પકડની બહાર હતો. તેની શોધખોળ ચાલી રહી હતી પરંતુ આ પ્લાનના માસ્ટર માઈન્ડે સામે ચાલીને સરેન્ડર કર્યું છે. બે દિવસથી ફરાર લલિત ઝાએ કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસ લલિતની પૂછપરછ કરી રહી છે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં 6 ઓરોપીઓ પોલીસની પકડમાં છે એવી માહિતી સામે આવી છે. આની પહેલા પકડાયેલા આરોપીઓને યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સાગર, અનમોલ, મનોરંજન અને નીલમ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસની તપાસની માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. આ ઘટના બાદ વિપક્ષી સાંસદોએ બંને સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.