Parliament Session : 18મી લોકસભાનું આજે પ્રથમ સત્ર, આ વખતે સત્ર હંગામેદાર રહેવાના એંધાણ, આ મુદ્દાઓને લઈ I.N.D.I.A કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ...!


  • Published By :
  • Published Date : 2024-06-24 13:14:32

18મી લોકસભાનું પ્રથમ સત્ર મળવાનું છે.. આ વખતનું સત્ર હંગામે દાર રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિપક્ષ આ વખતે સારા સંખ્યા બળમાં છે જેને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મંત્રીઓ તેમજ બાકી સદસ્ય સાંસદ તરીકેના શપથ લશે.. અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે..   


અનેક એવી દુર્ઘટનાઓ બની જેને લઈ... 

આ વખતે ભારતીય જનતા પાર્ટીને લોકસભા પરિણામમાં પૂર્ણ બહુમતી નથી મળી જેને કારણે એનડીએની સરકાર બની છે. ગઠબંધનની સરકાર બની છે જેને કારણે અનેક એવા બિલો હશે જેને લઈ અંદરોઅંદર વિવાદ થઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. તે સિવાય વિપક્ષનું પણ આ વખતે સારૂં સંખ્યાબળ છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે.. મોદી 3.0 કાર્યકાળની શરૂઆત થતાની સાથે જ અનેક એવી ઘટનાઓ બની જેને કારણે સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. 



પશ્ચિમ બંગાળમાં બની મોટી ટ્રેન દુર્ઘટના... 

ઘટનાઓની વાત કરીએ તો થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં એક  મોટી રેલ દુર્ઘટના સર્જાઈ.  માલગાડી કાંચનજંઘા એક્સપ્રેસ સાથે અથડાઈ. જે દ્રશ્યો સામે આવ્યા તેમાં ટ્રેનના ડબ્બાઓ ઉછળી ગયા હતા.. અને લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના બન્યા બાદ કેન્દ્રીય રેલ મંત્રી રાજીનામું આપે તેવો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે તે વખતે પણ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની વાત ઉપડી હતી. આ વખતે પણ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને બનાવવામાં આવ્યા છે..  વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે જેને કારણે હંગામો થઈ શકે છે... 



વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થાય છે ચેડા! 

સૌથી મહત્વનો મુદ્દો છે પેપર લીકનો.. થોડા દિવસોની અંદર લેવામાં આવેલી પરીક્ષાઓ ચર્ચામાં રહી. પેપર લીક મુદ્દો ચર્ચામાં રહ્યો. પરીક્ષા લેવાઈ અને બીજા જ દિવસે તે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી.. પેપરો ફૂટ્યા જેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય ખતરામાં મૂકાયા. ત્રણ પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા અને આ પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે 38 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. પરીક્ષાઓ રદ્દ થવાને કારણે, કેન્સલ થવાને કારણે વિદ્યાર્થીઓમાં, તેમના પરિવારજનોમાં, સામાન્ય લોકોમાં રોષ છે. આ મુદ્દાને વિપક્ષ આજે સંસદમાં ઉઠાવી શકે છે. આ મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. તે સિવાય ભારતના અર્થતંત્રને લઈને પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે.  



રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરી શકે છે વિપક્ષ 

ગુજરાતના અનેક મુદ્દાઓને લઈને પણ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે TET-TAT પાસ વિદ્યાર્થીઓએ જબરદસ્ત આંદોલન કર્યું હતું. વિરોધ કરવા આવેલા ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તેને લઈ આજે આ મુદ્દો ઉઠી શકે છે. તે સિવાય રાજકોટમાં બનેલી આગની દુર્ઘટનાનો મુદ્દો આજે ઉઠી શકે છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ રાજકોટના પીડિત પરિવાર સાથે વાત કરી હતી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવશે તેવી વાત કરી હતી. ત્યારે જોઈએ કે આજથી શરૂ થતું સંસદનું સત્ર કેવું રહે છે?  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.