Parliament Session : 18મી લોકસભાનું આજે પ્રથમ સત્ર, આ વખતે સત્ર હંગામેદાર રહેવાના એંધાણ, આ મુદ્દાઓને લઈ I.N.D.I.A કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ...!


  • Published By :
  • Published Date : 2024-06-24 13:14:32

18મી લોકસભાનું પ્રથમ સત્ર મળવાનું છે.. આ વખતનું સત્ર હંગામે દાર રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિપક્ષ આ વખતે સારા સંખ્યા બળમાં છે જેને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મંત્રીઓ તેમજ બાકી સદસ્ય સાંસદ તરીકેના શપથ લશે.. અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે..   


અનેક એવી દુર્ઘટનાઓ બની જેને લઈ... 

આ વખતે ભારતીય જનતા પાર્ટીને લોકસભા પરિણામમાં પૂર્ણ બહુમતી નથી મળી જેને કારણે એનડીએની સરકાર બની છે. ગઠબંધનની સરકાર બની છે જેને કારણે અનેક એવા બિલો હશે જેને લઈ અંદરોઅંદર વિવાદ થઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. તે સિવાય વિપક્ષનું પણ આ વખતે સારૂં સંખ્યાબળ છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે.. મોદી 3.0 કાર્યકાળની શરૂઆત થતાની સાથે જ અનેક એવી ઘટનાઓ બની જેને કારણે સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. 



પશ્ચિમ બંગાળમાં બની મોટી ટ્રેન દુર્ઘટના... 

ઘટનાઓની વાત કરીએ તો થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં એક  મોટી રેલ દુર્ઘટના સર્જાઈ.  માલગાડી કાંચનજંઘા એક્સપ્રેસ સાથે અથડાઈ. જે દ્રશ્યો સામે આવ્યા તેમાં ટ્રેનના ડબ્બાઓ ઉછળી ગયા હતા.. અને લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના બન્યા બાદ કેન્દ્રીય રેલ મંત્રી રાજીનામું આપે તેવો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે તે વખતે પણ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની વાત ઉપડી હતી. આ વખતે પણ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને બનાવવામાં આવ્યા છે..  વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે જેને કારણે હંગામો થઈ શકે છે... 



વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થાય છે ચેડા! 

સૌથી મહત્વનો મુદ્દો છે પેપર લીકનો.. થોડા દિવસોની અંદર લેવામાં આવેલી પરીક્ષાઓ ચર્ચામાં રહી. પેપર લીક મુદ્દો ચર્ચામાં રહ્યો. પરીક્ષા લેવાઈ અને બીજા જ દિવસે તે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી.. પેપરો ફૂટ્યા જેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય ખતરામાં મૂકાયા. ત્રણ પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા અને આ પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે 38 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. પરીક્ષાઓ રદ્દ થવાને કારણે, કેન્સલ થવાને કારણે વિદ્યાર્થીઓમાં, તેમના પરિવારજનોમાં, સામાન્ય લોકોમાં રોષ છે. આ મુદ્દાને વિપક્ષ આજે સંસદમાં ઉઠાવી શકે છે. આ મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. તે સિવાય ભારતના અર્થતંત્રને લઈને પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે.  



રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરી શકે છે વિપક્ષ 

ગુજરાતના અનેક મુદ્દાઓને લઈને પણ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે TET-TAT પાસ વિદ્યાર્થીઓએ જબરદસ્ત આંદોલન કર્યું હતું. વિરોધ કરવા આવેલા ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તેને લઈ આજે આ મુદ્દો ઉઠી શકે છે. તે સિવાય રાજકોટમાં બનેલી આગની દુર્ઘટનાનો મુદ્દો આજે ઉઠી શકે છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ રાજકોટના પીડિત પરિવાર સાથે વાત કરી હતી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવશે તેવી વાત કરી હતી. ત્યારે જોઈએ કે આજથી શરૂ થતું સંસદનું સત્ર કેવું રહે છે?  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી