Parliament Session : 18મી લોકસભાનું આજે પ્રથમ સત્ર, આ વખતે સત્ર હંગામેદાર રહેવાના એંધાણ, આ મુદ્દાઓને લઈ I.N.D.I.A કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 13:14:32

18મી લોકસભાનું પ્રથમ સત્ર મળવાનું છે.. આ વખતનું સત્ર હંગામે દાર રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિપક્ષ આ વખતે સારા સંખ્યા બળમાં છે જેને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મંત્રીઓ તેમજ બાકી સદસ્ય સાંસદ તરીકેના શપથ લશે.. અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે..   


અનેક એવી દુર્ઘટનાઓ બની જેને લઈ... 

આ વખતે ભારતીય જનતા પાર્ટીને લોકસભા પરિણામમાં પૂર્ણ બહુમતી નથી મળી જેને કારણે એનડીએની સરકાર બની છે. ગઠબંધનની સરકાર બની છે જેને કારણે અનેક એવા બિલો હશે જેને લઈ અંદરોઅંદર વિવાદ થઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. તે સિવાય વિપક્ષનું પણ આ વખતે સારૂં સંખ્યાબળ છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે.. મોદી 3.0 કાર્યકાળની શરૂઆત થતાની સાથે જ અનેક એવી ઘટનાઓ બની જેને કારણે સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. 



પશ્ચિમ બંગાળમાં બની મોટી ટ્રેન દુર્ઘટના... 

ઘટનાઓની વાત કરીએ તો થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં એક  મોટી રેલ દુર્ઘટના સર્જાઈ.  માલગાડી કાંચનજંઘા એક્સપ્રેસ સાથે અથડાઈ. જે દ્રશ્યો સામે આવ્યા તેમાં ટ્રેનના ડબ્બાઓ ઉછળી ગયા હતા.. અને લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના બન્યા બાદ કેન્દ્રીય રેલ મંત્રી રાજીનામું આપે તેવો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે તે વખતે પણ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની વાત ઉપડી હતી. આ વખતે પણ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને બનાવવામાં આવ્યા છે..  વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે જેને કારણે હંગામો થઈ શકે છે... 



વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થાય છે ચેડા! 

સૌથી મહત્વનો મુદ્દો છે પેપર લીકનો.. થોડા દિવસોની અંદર લેવામાં આવેલી પરીક્ષાઓ ચર્ચામાં રહી. પેપર લીક મુદ્દો ચર્ચામાં રહ્યો. પરીક્ષા લેવાઈ અને બીજા જ દિવસે તે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી.. પેપરો ફૂટ્યા જેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય ખતરામાં મૂકાયા. ત્રણ પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા અને આ પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે 38 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. પરીક્ષાઓ રદ્દ થવાને કારણે, કેન્સલ થવાને કારણે વિદ્યાર્થીઓમાં, તેમના પરિવારજનોમાં, સામાન્ય લોકોમાં રોષ છે. આ મુદ્દાને વિપક્ષ આજે સંસદમાં ઉઠાવી શકે છે. આ મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. તે સિવાય ભારતના અર્થતંત્રને લઈને પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી શકે છે.  



રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરી શકે છે વિપક્ષ 

ગુજરાતના અનેક મુદ્દાઓને લઈને પણ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે TET-TAT પાસ વિદ્યાર્થીઓએ જબરદસ્ત આંદોલન કર્યું હતું. વિરોધ કરવા આવેલા ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તેને લઈ આજે આ મુદ્દો ઉઠી શકે છે. તે સિવાય રાજકોટમાં બનેલી આગની દુર્ઘટનાનો મુદ્દો આજે ઉઠી શકે છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ રાજકોટના પીડિત પરિવાર સાથે વાત કરી હતી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવશે તેવી વાત કરી હતી. ત્યારે જોઈએ કે આજથી શરૂ થતું સંસદનું સત્ર કેવું રહે છે?  



વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.

ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે...

આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે..

અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે...