Parliament Session : રાજ્યસભામાં PM Modiએ પેપર લીક, મણિપુર જેવા મુદ્દાઓ પર વાત કરી, વિપક્ષનું વોકઆઉટ.. જાણો આજે શું થયું રાજ્યસભામાં?


  • Published By :
  • Published Date : 2024-07-03 16:18:12

ગઈકાલે પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ભાષણ આપ્યું હતું. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાત કરી હતી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .

 

પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યું વોકઆઉટ

રાજ્યસભામાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે  INDI ગઠબંધનના નેતાઓએ નારેબાજી કરવાનો પ્રયાસ કર્યો. આ પછી વિરોધ પક્ષના નેતાએ બોલવાની મંજૂરી માંગી , જોકે મંજૂરી ના અપાતા INDIAllianceએ વોક આઉટ કર્યું હતું. વિપક્ષના વોકઆઉટને લઈ તેમણે કહ્યું કે જવાબ સાંભળવાની હિંમત નથી. તે સિવાય તેમણે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે જેટલું કામ કર્યું છે તેટલું કામ જો કોંગ્રેસે કર્યું હોત તો વીસ વર્ષ વીતિ જતા.  

મણિપુર તેમજ પેપરલીકને લઈ વાત કરી. 

રાજ્યસભામાં મણિપુરને લઈ તેમણે વાત કરી હતી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે સ્થિતિ સામાન્ય કરવા માટે સરકાર નિરંતર પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે સ્વીકાર કરવો પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થઈ રહી છે... તે સિવાય તેમણે પેપરલીકને લઈ પણ નિવેદન આપ્યું હતું. 



પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે કર્યો હતો સૂત્રોચ્ચાર

રાજ્યસભામાં પણ વિપક્ષ આક્રમકઃ મોડમાં છે. PM મોદીના ચાલુ ભાષણ વચ્ચે સતત સુત્રોચાર ચાલુ હતો. આ પછી કોંગ્રેસ ના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચેરમેન જગદીપ ધનખડની પાસે બોલવાની અનુમતિ માંગી પણ આ અનુમતિ ના અપાતા , સમગ્ર વિપક્ષે વોલ્કઆઉટ કર્યો હતો અને જ્યારે વિપક્ષે walkout કર્યું હતું. ત્યારે પીએમ મોદીના ભાષણ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.