Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી પણ વિવાદનો કઈ રીતે આવશે અંત? જાણો શું થયું બેઠકમાં?


  • Published By :
  • Published Date : 2024-03-30 12:00:33

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે... અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અલગ અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી. અને પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી... એક બાજુ કેહવાય છે ક્ષમાએ વીરોનું આભૂષણ છે તો બીજી બાજુ કહેવાય છે માફી તો નહી જ મળે... સમાધાન તો નહીં જ થાય.. આ બધાની વચ્ચે જે વિવાદનાં સમાધાન માટે ગઈકાલે સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ એક પ્રશ્ન થાય કે આ સંમેલન ઘીના ઠામમાં ઘી ઢોળશે કે આગમાં ઘી નાખશે? કારણ કે.....  

જયરાજસિંહની અધ્યક્ષતામાં મળી હતી બેઠક! 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં માટે કરેલી વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જયરાજસિહનાં ગણેશગઢ ફાર્મહાઉસમાં  સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો  સામેલ થયા હતા. અને વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિયો વચ્ચે રૂપાલા આ બેઠકમાં આવ્યા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી પણ માગી.


બે હાથ જોડીને પરષોત્તમ રૂપાલાએ માફી માગી! 

વાતની શરૂઆત પરષોત્તમ રૂપાલાની માફિથી કરીએ તો પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર . હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. હું બે હાથ જોડીને ક્ષમાં માંગુ છું મારા નિવેદનને કારણે મારી પાર્ટીને સાંભળવું પડે એ ના દેખાય મારા થી એટલે હું માફી માંગુ છું.  


 

લાલબાપુના આશીર્વાદ લેવા માટે આશ્રમ પહોંચ્યા હતા પરષોત્તમ રૂપાલા

જ્યારે સમાજનાં આગેવાનો કઈ કહે એ પહેલા જ જયરાજસિંહ જાડેજાએ એલાન કરી દીધું કે આ વિવાદનો અહીંયા અંત આવી ગયો છે. અને કહ્યું કે આપણાં આંગણે આપણાં બાપુજીનું માથું કાપનાર આવે તો પણ એને આપણે જમાડીએ છે. રૂપાલાએ કહ્યું એના પછી મને પણ દુઃખ થયું હતું પણ એમણે તરત માફી માંગી લીધી છે તો જયરાજ સિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમ બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાના ધામ ગાયત્રી આશ્રમ પહોંચ્યા હતા. લાલબાપુના આશીર્વાદ લઈને તેમની પાસે ક્ષમા માગવા માટે. સંતના શરણે ગયા પછી વિવાદનો અંત આવશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવાનું રહ્યું...  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.