Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી પણ વિવાદનો કઈ રીતે આવશે અંત? જાણો શું થયું બેઠકમાં?


  • Published By :
  • Published Date : 2024-03-30 12:00:33

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે... અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અલગ અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી. અને પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી... એક બાજુ કેહવાય છે ક્ષમાએ વીરોનું આભૂષણ છે તો બીજી બાજુ કહેવાય છે માફી તો નહી જ મળે... સમાધાન તો નહીં જ થાય.. આ બધાની વચ્ચે જે વિવાદનાં સમાધાન માટે ગઈકાલે સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ એક પ્રશ્ન થાય કે આ સંમેલન ઘીના ઠામમાં ઘી ઢોળશે કે આગમાં ઘી નાખશે? કારણ કે.....  

જયરાજસિંહની અધ્યક્ષતામાં મળી હતી બેઠક! 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં માટે કરેલી વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જયરાજસિહનાં ગણેશગઢ ફાર્મહાઉસમાં  સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો  સામેલ થયા હતા. અને વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિયો વચ્ચે રૂપાલા આ બેઠકમાં આવ્યા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી પણ માગી.


બે હાથ જોડીને પરષોત્તમ રૂપાલાએ માફી માગી! 

વાતની શરૂઆત પરષોત્તમ રૂપાલાની માફિથી કરીએ તો પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર . હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. હું બે હાથ જોડીને ક્ષમાં માંગુ છું મારા નિવેદનને કારણે મારી પાર્ટીને સાંભળવું પડે એ ના દેખાય મારા થી એટલે હું માફી માંગુ છું.  


 

લાલબાપુના આશીર્વાદ લેવા માટે આશ્રમ પહોંચ્યા હતા પરષોત્તમ રૂપાલા

જ્યારે સમાજનાં આગેવાનો કઈ કહે એ પહેલા જ જયરાજસિંહ જાડેજાએ એલાન કરી દીધું કે આ વિવાદનો અહીંયા અંત આવી ગયો છે. અને કહ્યું કે આપણાં આંગણે આપણાં બાપુજીનું માથું કાપનાર આવે તો પણ એને આપણે જમાડીએ છે. રૂપાલાએ કહ્યું એના પછી મને પણ દુઃખ થયું હતું પણ એમણે તરત માફી માંગી લીધી છે તો જયરાજ સિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમ બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાના ધામ ગાયત્રી આશ્રમ પહોંચ્યા હતા. લાલબાપુના આશીર્વાદ લઈને તેમની પાસે ક્ષમા માગવા માટે. સંતના શરણે ગયા પછી વિવાદનો અંત આવશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવાનું રહ્યું...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે