Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી પણ વિવાદનો કઈ રીતે આવશે અંત? જાણો શું થયું બેઠકમાં?


  • Published By :
  • Published Date : 2024-03-30 12:00:33

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે... અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અલગ અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી. અને પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી... એક બાજુ કેહવાય છે ક્ષમાએ વીરોનું આભૂષણ છે તો બીજી બાજુ કહેવાય છે માફી તો નહી જ મળે... સમાધાન તો નહીં જ થાય.. આ બધાની વચ્ચે જે વિવાદનાં સમાધાન માટે ગઈકાલે સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ એક પ્રશ્ન થાય કે આ સંમેલન ઘીના ઠામમાં ઘી ઢોળશે કે આગમાં ઘી નાખશે? કારણ કે.....  

જયરાજસિંહની અધ્યક્ષતામાં મળી હતી બેઠક! 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં માટે કરેલી વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જયરાજસિહનાં ગણેશગઢ ફાર્મહાઉસમાં  સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો  સામેલ થયા હતા. અને વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિયો વચ્ચે રૂપાલા આ બેઠકમાં આવ્યા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી પણ માગી.


બે હાથ જોડીને પરષોત્તમ રૂપાલાએ માફી માગી! 

વાતની શરૂઆત પરષોત્તમ રૂપાલાની માફિથી કરીએ તો પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર . હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. હું બે હાથ જોડીને ક્ષમાં માંગુ છું મારા નિવેદનને કારણે મારી પાર્ટીને સાંભળવું પડે એ ના દેખાય મારા થી એટલે હું માફી માંગુ છું.  


 

લાલબાપુના આશીર્વાદ લેવા માટે આશ્રમ પહોંચ્યા હતા પરષોત્તમ રૂપાલા

જ્યારે સમાજનાં આગેવાનો કઈ કહે એ પહેલા જ જયરાજસિંહ જાડેજાએ એલાન કરી દીધું કે આ વિવાદનો અહીંયા અંત આવી ગયો છે. અને કહ્યું કે આપણાં આંગણે આપણાં બાપુજીનું માથું કાપનાર આવે તો પણ એને આપણે જમાડીએ છે. રૂપાલાએ કહ્યું એના પછી મને પણ દુઃખ થયું હતું પણ એમણે તરત માફી માંગી લીધી છે તો જયરાજ સિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમ બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાના ધામ ગાયત્રી આશ્રમ પહોંચ્યા હતા. લાલબાપુના આશીર્વાદ લઈને તેમની પાસે ક્ષમા માગવા માટે. સંતના શરણે ગયા પછી વિવાદનો અંત આવશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવાનું રહ્યું...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.