Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી પણ વિવાદનો કઈ રીતે આવશે અંત? જાણો શું થયું બેઠકમાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 12:00:33

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે... અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અલગ અલગ અલગ જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી. અને પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી... એક બાજુ કેહવાય છે ક્ષમાએ વીરોનું આભૂષણ છે તો બીજી બાજુ કહેવાય છે માફી તો નહી જ મળે... સમાધાન તો નહીં જ થાય.. આ બધાની વચ્ચે જે વિવાદનાં સમાધાન માટે ગઈકાલે સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ એક પ્રશ્ન થાય કે આ સંમેલન ઘીના ઠામમાં ઘી ઢોળશે કે આગમાં ઘી નાખશે? કારણ કે.....  

જયરાજસિંહની અધ્યક્ષતામાં મળી હતી બેઠક! 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં માટે કરેલી વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જયરાજસિહનાં ગણેશગઢ ફાર્મહાઉસમાં  સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો  સામેલ થયા હતા. અને વિવાદીત ટિપ્પણી બાદ ક્ષત્રિયો વચ્ચે રૂપાલા આ બેઠકમાં આવ્યા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી પણ માગી.


બે હાથ જોડીને પરષોત્તમ રૂપાલાએ માફી માગી! 

વાતની શરૂઆત પરષોત્તમ રૂપાલાની માફિથી કરીએ તો પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર . હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. હું બે હાથ જોડીને ક્ષમાં માંગુ છું મારા નિવેદનને કારણે મારી પાર્ટીને સાંભળવું પડે એ ના દેખાય મારા થી એટલે હું માફી માંગુ છું.  


 

લાલબાપુના આશીર્વાદ લેવા માટે આશ્રમ પહોંચ્યા હતા પરષોત્તમ રૂપાલા

જ્યારે સમાજનાં આગેવાનો કઈ કહે એ પહેલા જ જયરાજસિંહ જાડેજાએ એલાન કરી દીધું કે આ વિવાદનો અહીંયા અંત આવી ગયો છે. અને કહ્યું કે આપણાં આંગણે આપણાં બાપુજીનું માથું કાપનાર આવે તો પણ એને આપણે જમાડીએ છે. રૂપાલાએ કહ્યું એના પછી મને પણ દુઃખ થયું હતું પણ એમણે તરત માફી માંગી લીધી છે તો જયરાજ સિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમ બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાના ધામ ગાયત્રી આશ્રમ પહોંચ્યા હતા. લાલબાપુના આશીર્વાદ લઈને તેમની પાસે ક્ષમા માગવા માટે. સંતના શરણે ગયા પછી વિવાદનો અંત આવશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવાનું રહ્યું...  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.