Parshottam Rupala અને ક્ષત્રિયોના વિવાદમાં ભાજપના નેતાઓની વધી મુશ્કેલી! અનેક જગ્ચાઓ પર લગાવાયા પોસ્ટર અને જેમાં લખાયું...


  • Published By :
  • Published Date : 2024-04-08 14:22:13

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. બે સીટ પર ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે... અનેક જગ્યાઓ પર તેમના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે તો કોઈ જગ્યા પર તેમના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે....  


ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે  અને તેમની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...  અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલા માગી ચૂક્યા છે જે બાદ એવું લાગ્યું હતું કે વિવાદ શાંત થઈ જશે.. વિવાદને શાંત કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓ તથા ક્ષત્રિય આગેવાનો હાજર હતા. આ બેઠક બાદ વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તેવું ના થયું. 


રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા પોસ્ટર! 

ગઈકાલે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો. એક તરફ વિવાદ શાંત નથી થઈ રહ્યો તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર તેમના વિરૂદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. કચ્છમાં, ગાંધીનગરમાં, સુરેન્દ્રનગરમાં, પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે...  

આ જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર 

મળતી માહિતી અનુસાર વડોદરાના ડભોઈ તાલુકામાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. શાઠોદ ગામમાં ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે ઉપરાંત મળતી માહિતી અનુસાર સુરતના પણ અનેક ભાગોમાં પણ વિરોધમાં બેનરો લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકીટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીં.. તે સિવાય સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે, તેવા બેનરો લાગ્યા છે... 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.