Parshottam Rupala અને ક્ષત્રિયોના વિવાદમાં ભાજપના નેતાઓની વધી મુશ્કેલી! અનેક જગ્ચાઓ પર લગાવાયા પોસ્ટર અને જેમાં લખાયું...


  • Published By :
  • Published Date : 2024-04-08 14:22:13

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. બે સીટ પર ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે... અનેક જગ્યાઓ પર તેમના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે તો કોઈ જગ્યા પર તેમના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે....  


ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે  અને તેમની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...  અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલા માગી ચૂક્યા છે જે બાદ એવું લાગ્યું હતું કે વિવાદ શાંત થઈ જશે.. વિવાદને શાંત કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓ તથા ક્ષત્રિય આગેવાનો હાજર હતા. આ બેઠક બાદ વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તેવું ના થયું. 


રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા પોસ્ટર! 

ગઈકાલે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો. એક તરફ વિવાદ શાંત નથી થઈ રહ્યો તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર તેમના વિરૂદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. કચ્છમાં, ગાંધીનગરમાં, સુરેન્દ્રનગરમાં, પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે...  

આ જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર 

મળતી માહિતી અનુસાર વડોદરાના ડભોઈ તાલુકામાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. શાઠોદ ગામમાં ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે ઉપરાંત મળતી માહિતી અનુસાર સુરતના પણ અનેક ભાગોમાં પણ વિરોધમાં બેનરો લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકીટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીં.. તે સિવાય સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે, તેવા બેનરો લાગ્યા છે... 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે