Parshottam Rupala અને ક્ષત્રિયોના વિવાદમાં ભાજપના નેતાઓની વધી મુશ્કેલી! અનેક જગ્ચાઓ પર લગાવાયા પોસ્ટર અને જેમાં લખાયું...


  • Published By :
  • Published Date : 2024-04-08 14:22:13

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. બે સીટ પર ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે... અનેક જગ્યાઓ પર તેમના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે તો કોઈ જગ્યા પર તેમના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે....  


ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે  અને તેમની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...  અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલા માગી ચૂક્યા છે જે બાદ એવું લાગ્યું હતું કે વિવાદ શાંત થઈ જશે.. વિવાદને શાંત કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓ તથા ક્ષત્રિય આગેવાનો હાજર હતા. આ બેઠક બાદ વિવાદ શાંત થશે તેવું લાગતું હતું પરંતુ તેવું ના થયું. 


રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા પોસ્ટર! 

ગઈકાલે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો. એક તરફ વિવાદ શાંત નથી થઈ રહ્યો તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર તેમના વિરૂદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. કચ્છમાં, ગાંધીનગરમાં, સુરેન્દ્રનગરમાં, પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે...  

આ જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર 

મળતી માહિતી અનુસાર વડોદરાના ડભોઈ તાલુકામાં વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. શાઠોદ ગામમાં ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે ઉપરાંત મળતી માહિતી અનુસાર સુરતના પણ અનેક ભાગોમાં પણ વિરોધમાં બેનરો લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકીટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીં.. તે સિવાય સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે, તેવા બેનરો લાગ્યા છે... 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.