ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે Parshottam Rupalaએ ફરી એક વખત માગી માફી, પરષોત્તમ રૂપાલાએ PM Modi માટે કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-27 11:06:50

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચર્ચામાં રહેતો હોય છે અથવા તો રાજ્યના અલગ અલગ ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતો વિરોધ ચર્ચમાં હોય છે... પરંતુ આ વખતે પરષોત્તમ રૂપાલાની વાત કરવી છે. ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલા અનેક વખત માગી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે... જાહેર મંચ પરથી તેમણે ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે... 

અનેક ઠેકાણાઓ પર ક્ષત્રિય સમાજે કર્યો છે વિરોધ 

લોકસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જોરશોરથી ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા વિવાદને કારણે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીને, સી.આર.પાટીલને, પૂનમબેન માડમ સહિતના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે.  


વિવાદને શાંત કરવા બેઠકોનો દોર યથાવત

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરાઈ રહ્યો છે. હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી દ્વારા અનેક જગ્યાઓ પર બેઠક કરવામાં આવી. ગાંધીનગર ખાતે થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. બેઠક બાદ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. 


અનેક વખત આ વિવાદને શાંત કરવા કરાઈ છે કોશિશ

મહત્વનું છે કે આ વિવાદ વચ્ચે પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી માગવામાં આવી છે. ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ માગી છે. જાહેર મંચ પરથી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ. મોદી સાહેબની વિકાસયાત્રામાં અનેક ક્ષત્રિય જોડાયેલા છે. ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ કરીએ. જસદણ ખાતે ઉપસ્થિત કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી પરષોત્તમ રૂપાલા દ્વારા માફી માગવામાં આવી છે... 


ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાએ યાદ કરવાનું કહ્યું કે....

માફી માગતા તેમણે કહ્યું કે મારે રાજ્યના ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી વિનંતી કરવી છે કે, જે ભૂલ કરી હતી એની મેં જાહેરમાં માફી પણ માગી છે, કારણ કે મારો આવો ઈરાદો ન હતો અને સમાજની સામે જઇને પણ મેં માફી માગી સમાજે પણ એનો પ્રતિસાદ મને આપ્યો છે. પણ મોદી સાહેબ સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે, તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રની ઘડતરની અંદર તમારૂં કેટલું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસ માટે તમારું કેવડું મોટું યોગદાન છે.  


પીએમ મોદીને લઈ પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે.... 

વધુમાં તેમણે કહ્યું કે નરેન્દ્ર ભાઈ જેવા વડાપ્રધાન ભારત સિવાય કોઈ વાત વિચારતા નથી. 18-18 કલાક કામ કરે છે. દેશ સિવાય અન્ય કોઈ વિષયની વાત નથી કરતા. 140 કરોડ દેશવાસીને પોતાનો પરિવાર માને છે. એમના સાથી તરીકે ક્ષત્રિય સમાજ જોડાયેલો છે. મારા કારણે એમની સામે રોષ શા માટે? મારી ભૂલ છે મેં સ્વીકારી છે. મારા કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવામાં આવે તે યોગ્ય નથી. નરેન્દ્રભાઈ આજે વિશ્વના નેતા છે. 


અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે

મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તો બીજી તરફ ચૂંટણી પહેલા ફરી એક વખત પરષોત્તમ રૂપાલા દ્વારા માગવામાં આવેલી માફી છે... ગુજરાતમાં ચાલતા આ વિવાદ વચ્ચે સૌ કોઈની નજર ગુજરાતના પરિણામ પર રહેલી છે...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.