પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ શાંત કરવા ભાજપનો પ્રયાસ! અમદાવાદમાં મળશે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 11:07:20

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ઉઠી છે. ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. છેડાયેલા વિવાદને શાંત પાડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. આ બધા વચ્ચે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે આજે અમદાવાદ ખાતે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ક્ષત્રિય સમાજના 90થી વધારે આગેવાનો ઉપસ્થિત હોઈ શકે છે. જેમાં મહિલાઓ પણ સામેલ હશે તેવી માહિતી સામે આવી છે.      


ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક  

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ઉમેદવારને હટાવવાની માગ કાર્યકર્તાઓ કરી રહ્યા છે તો ક્યાંય સમાજના લોકો લોકસભા બેઠકના ઉમેદવારને બદલવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ લોકસભા બેઠકની. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ઉમેદવાર બદલવામાં આવે. વિરોધ શાંત થવાની બદલીમાં વધી રહ્યો છે. વિરોધને ડામવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી તેમજ અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 



આજે થવાની છે ભાજપના નેતા તેમજ સમાજના અગ્રણી વચ્ચે બેઠક 

બેઠક બાદ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ પણ કરી હતી જેમાં ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માગી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે આજે ભાજપના નેતાઓની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થવાની છે. બપોરના સમયે આ બેઠક થવાની છે અમદાવાદના ગોતા ખાતે.. આ બેઠકમાં સમાજના અગ્રણીઓ હાજર હશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદન પર રાજ્ય ચૂંટણી આયોગે  ક્લિન ચીટ આપી છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા સમાજની કોર કમિટીની મિટીંગ  

મહત્વનું છે ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની મિટીંગ થવાની છે. અને આ મિટીંગ બાદ ભાજપના આગેવાનો સાથે બેઠક થવાની છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે દિલ્હી છે... ત્યારે સૌ કોઈની નજર ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થનારી બેઠક પર રહેલી છે.... 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..