પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિવાદ શાંત કરવા ભાજપનો પ્રયાસ! અમદાવાદમાં મળશે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-03 11:07:20

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ઉઠી છે. ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. છેડાયેલા વિવાદને શાંત પાડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. આ બધા વચ્ચે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે આજે અમદાવાદ ખાતે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ક્ષત્રિય સમાજના 90થી વધારે આગેવાનો ઉપસ્થિત હોઈ શકે છે. જેમાં મહિલાઓ પણ સામેલ હશે તેવી માહિતી સામે આવી છે.      


ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક  

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ઉમેદવારને હટાવવાની માગ કાર્યકર્તાઓ કરી રહ્યા છે તો ક્યાંય સમાજના લોકો લોકસભા બેઠકના ઉમેદવારને બદલવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ લોકસભા બેઠકની. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ઉમેદવાર બદલવામાં આવે. વિરોધ શાંત થવાની બદલીમાં વધી રહ્યો છે. વિરોધને ડામવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રી તેમજ અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 



આજે થવાની છે ભાજપના નેતા તેમજ સમાજના અગ્રણી વચ્ચે બેઠક 

બેઠક બાદ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ પણ કરી હતી જેમાં ક્ષત્રિય સમાજની હાથ જોડીને માફી માગી હતી. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે આજે ભાજપના નેતાઓની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થવાની છે. બપોરના સમયે આ બેઠક થવાની છે અમદાવાદના ગોતા ખાતે.. આ બેઠકમાં સમાજના અગ્રણીઓ હાજર હશે. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજને લઈ કરવામાં આવેલા નિવેદન પર રાજ્ય ચૂંટણી આયોગે  ક્લિન ચીટ આપી છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 


ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા સમાજની કોર કમિટીની મિટીંગ  

મહત્વનું છે ભાજપના નેતાઓ સાથે બેઠક થાય તે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની મિટીંગ થવાની છે. અને આ મિટીંગ બાદ ભાજપના આગેવાનો સાથે બેઠક થવાની છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે દિલ્હી છે... ત્યારે સૌ કોઈની નજર ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થનારી બેઠક પર રહેલી છે.... 



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.