Parshottam Rupala વિવાદમાં Botadમાં ચાલુ સભામાં BJPના આગેવાને આપ્યું રાજીનામું, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-12 15:06:12

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ હજી સુધી શાંત નથી થયો. લોકસભાની ચૂંટણી પહેલા રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો... પહેલા રુપાલાનો વિરોધ હવે ભાજપના વિરોધમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે ત્યારે આ વિવાદને કારણે ભાજપમાંથી રાજીનામા પડી રહ્યા છે.  બોટાદના પાળિયાદ ગામે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે રાજીનામું આપી દીધું હતું.. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ વિધાનસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું તે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. આ બધા વચ્ચે ના માત્ર પરષોત્તમ રૂપાલાનો પરંતુ ભાજપનો પણ વિરોધ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગામડે-ગામડે રુપાલાના બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે... સંમેલનો થઈ રહ્યાં છે.. એટલું જ નહીં રુપાલાના વિરોધનો અને આક્રોશને લઈને ભાજપના અન્ય નેતાઓ પર જનતાના આક્રોશનો ભોગ બની રહ્યાં છે.... 


રાજીનામું આપતા કહ્યું કે.... 

હજી સુધી ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે તો ભાજપમાંથી રાજીનામા પણ પડી રહ્યાં છે... અને એ પણ મોદી પરિવાર નામથી યોજાયેલી સભામાં ચાલુ સભાએ રાજીનામા પડી રહ્યાં છે.. અહીંયા વાત થઈ રહી છે બોટાદની જ્યાં પાળિયાદમાં મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે રાજીનામુ આપ્યું છે.. ક્ષત્રિયોના સમર્થનમાં આવ્યા અને સમાજનો સાથ આપતા કહ્યું કે હું 17 વર્ષનો હતો જ્યારે પ્રથમ વોટનો અધિકાર નહોતો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું.. 20 વર્ષથી ભાજપ માટે કામ કરું છું.. પણ રુપાલાએ જે ટિપ્પણી કરી તેના કારણે મારો સમાજ આહત થયો છે..અને એટલે હું રાજીનામુ આપુ છું...  


આ વિવાદ શાંત થાય તે માટે કરાઈ રહ્યા છે અનેક પ્રયાસ 

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે અન્ય વહીવટી તંત્ર પણ મતદારોને મતદાન અંગે જાગ્રત કરવામાં વ્યસ્ત છે. મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટી તંત્ર સતત નવતર પ્રયાસો કરી રહ્યું છે, આ બધાની વચ્ચે હવે વિરોધ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.