Parshottam Rupalaના વિવાદને લઈ C.R.Patilએ હાથ જોડી માંગી માફી, કરી પ્રેસ કોન્ફરન્સ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-02 14:07:29

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો. આ બધા વચ્ચે વિરોધને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું  હતું જેમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આવતી કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળવાની છે. સમાજની સંકલન સમિતિ સાથે બેઠક થવાની છે.. સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માગી છે. આવતી કાલે ગોતામાં આ બેઠક મળવાની છે. મહત્વનું છે કે ઉમેદવારને બદલવા માટે કોઈ વિચારણા નથી તેવું નિવેદન તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું.       

 


વિવાદને ડામવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ!  

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમા પર પહોંચી ગયા છે. અનેક ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને આપેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે. આ બધા વચ્ચે આજે આ વિવાદને ડામવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે,' હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરૂ છુ કે, ભૂલ થઇ છે એના માટે માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.'


આવતી કાલે મળવાની છે મહત્વપૂર્ણ બેઠક

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. બેઠકમાં શું વાતો થઈ તે જાણવાની ઉત્સુક્તા દરેકને હતી, બેઠક પૂર્ણ થઈ તે બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આવતી કાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક ગોતા ખાતે મળવાની છે. બપોરે 3 વાગે આ બેઠક કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સી.આર.પાટીલે એવું પણ કહ્યું હતું કે ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે મળનારી બેઠકમાં શું થાય છે?    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.