Parshottam Rupalaના વિવાદને લઈ C.R.Patilએ હાથ જોડી માંગી માફી, કરી પ્રેસ કોન્ફરન્સ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-02 14:07:29

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો. આ બધા વચ્ચે વિરોધને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું  હતું જેમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આવતી કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળવાની છે. સમાજની સંકલન સમિતિ સાથે બેઠક થવાની છે.. સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માગી છે. આવતી કાલે ગોતામાં આ બેઠક મળવાની છે. મહત્વનું છે કે ઉમેદવારને બદલવા માટે કોઈ વિચારણા નથી તેવું નિવેદન તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું.       

 


વિવાદને ડામવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ!  

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમા પર પહોંચી ગયા છે. અનેક ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને આપેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે. આ બધા વચ્ચે આજે આ વિવાદને ડામવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે,' હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરૂ છુ કે, ભૂલ થઇ છે એના માટે માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.'


આવતી કાલે મળવાની છે મહત્વપૂર્ણ બેઠક

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. બેઠકમાં શું વાતો થઈ તે જાણવાની ઉત્સુક્તા દરેકને હતી, બેઠક પૂર્ણ થઈ તે બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આવતી કાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક ગોતા ખાતે મળવાની છે. બપોરે 3 વાગે આ બેઠક કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સી.આર.પાટીલે એવું પણ કહ્યું હતું કે ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે મળનારી બેઠકમાં શું થાય છે?    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.