Parshottam Rupalaના વિવાદને લઈ C.R.Patilએ હાથ જોડી માંગી માફી, કરી પ્રેસ કોન્ફરન્સ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-02 14:07:29

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો. આ બધા વચ્ચે વિરોધને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું  હતું જેમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આવતી કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળવાની છે. સમાજની સંકલન સમિતિ સાથે બેઠક થવાની છે.. સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માગી છે. આવતી કાલે ગોતામાં આ બેઠક મળવાની છે. મહત્વનું છે કે ઉમેદવારને બદલવા માટે કોઈ વિચારણા નથી તેવું નિવેદન તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું.       

 


વિવાદને ડામવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ!  

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમા પર પહોંચી ગયા છે. અનેક ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને આપેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે. આ બધા વચ્ચે આજે આ વિવાદને ડામવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે,' હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરૂ છુ કે, ભૂલ થઇ છે એના માટે માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.'


આવતી કાલે મળવાની છે મહત્વપૂર્ણ બેઠક

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. બેઠકમાં શું વાતો થઈ તે જાણવાની ઉત્સુક્તા દરેકને હતી, બેઠક પૂર્ણ થઈ તે બાદ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આવતી કાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક ગોતા ખાતે મળવાની છે. બપોરે 3 વાગે આ બેઠક કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સી.આર.પાટીલે એવું પણ કહ્યું હતું કે ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી. ત્યારે જોવું રહ્યું કે આવતી કાલે મળનારી બેઠકમાં શું થાય છે?    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.