પરષોત્તમ રૂપાલા- ક્ષત્રિય સમાજ વિરોધ : કેબિનેટ મંત્રી Bhanuben Babariyaની સભા ક્ષત્રિય સમાજે બંધ કરાવી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-13 13:39:32

ગુજરાતમાં રાજકોટ, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજની ચર્ચાઓ છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે.... પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો પણ લાગ્યા છે.. પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ જાણે ભાજપનો વિરોધ ધીરે ધીરે બની રહ્યો છે. અનેક જગ્યાઓ પર પ્રચાર માટે ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આ બધા વચ્ચે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે. 

16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ   

થોડા દિવસોની અંદર ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરવાના છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રતિદિન આ વિવાદ વધી રહ્યો હોય તેવું લાગે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલ હોય, રેખાબેન ચૌધરી હોય કે સી.આર.પાટીલ આમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોય છે તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. 

 


ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટરો પણ લાગ્યા. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં બદલાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે અને હવે આ વિરોધનો સામનો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો છે. 


વિરોધ વધતા બંધ કરવો પડ્યો કાર્યક્રમ!

મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદરની સીટમાં જિલ્લા ભાજપના બંને મહામંત્રીની હાજરીમાં ત્રંબા ખાતે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો જે બાદ કાર્યક્રમને બંધ કરવાની ફરજ પડી હતી. કાર્યક્રમને બંધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ આક્રામક દેખાઈ રહ્યો છે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.