પરષોત્તમ રૂપાલા- ક્ષત્રિય સમાજ વિરોધ : કેબિનેટ મંત્રી Bhanuben Babariyaની સભા ક્ષત્રિય સમાજે બંધ કરાવી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-13 13:39:32

ગુજરાતમાં રાજકોટ, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજની ચર્ચાઓ છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે.... પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો પણ લાગ્યા છે.. પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ જાણે ભાજપનો વિરોધ ધીરે ધીરે બની રહ્યો છે. અનેક જગ્યાઓ પર પ્રચાર માટે ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આ બધા વચ્ચે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે. 

16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ   

થોડા દિવસોની અંદર ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરવાના છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રતિદિન આ વિવાદ વધી રહ્યો હોય તેવું લાગે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલ હોય, રેખાબેન ચૌધરી હોય કે સી.આર.પાટીલ આમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોય છે તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. 

 


ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટરો પણ લાગ્યા. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં બદલાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે અને હવે આ વિરોધનો સામનો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો છે. 


વિરોધ વધતા બંધ કરવો પડ્યો કાર્યક્રમ!

મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદરની સીટમાં જિલ્લા ભાજપના બંને મહામંત્રીની હાજરીમાં ત્રંબા ખાતે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો જે બાદ કાર્યક્રમને બંધ કરવાની ફરજ પડી હતી. કાર્યક્રમને બંધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ આક્રામક દેખાઈ રહ્યો છે..   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.