પરષોત્તમ રૂપાલા- ક્ષત્રિય સમાજ વિરોધ : કેબિનેટ મંત્રી Bhanuben Babariyaની સભા ક્ષત્રિય સમાજે બંધ કરાવી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-13 13:39:32

ગુજરાતમાં રાજકોટ, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજની ચર્ચાઓ છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે.... પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો પણ લાગ્યા છે.. પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ જાણે ભાજપનો વિરોધ ધીરે ધીરે બની રહ્યો છે. અનેક જગ્યાઓ પર પ્રચાર માટે ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આ બધા વચ્ચે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે. 

16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ   

થોડા દિવસોની અંદર ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરવાના છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રતિદિન આ વિવાદ વધી રહ્યો હોય તેવું લાગે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલ હોય, રેખાબેન ચૌધરી હોય કે સી.આર.પાટીલ આમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોય છે તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. 

 


ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટરો પણ લાગ્યા. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં બદલાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે અને હવે આ વિરોધનો સામનો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને કરવો પડ્યો છે. 


વિરોધ વધતા બંધ કરવો પડ્યો કાર્યક્રમ!

મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત ભાઈ બોદરની સીટમાં જિલ્લા ભાજપના બંને મહામંત્રીની હાજરીમાં ત્રંબા ખાતે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો જે બાદ કાર્યક્રમને બંધ કરવાની ફરજ પડી હતી. કાર્યક્રમને બંધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ આક્રામક દેખાઈ રહ્યો છે..   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે