પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિરોધ, બેફામ બોલ સામે લડવા નીકળેલા પોતે બેફામ બોલે એ કેમ ચાલે? સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-04-20 13:08:15

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલી લડાઈમાં રોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે.. અલગ અલગ આગેવાનોના નિવેદન સામે આવી રહ્યા છે.. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજની મહિલાઓ હાજર હતા.. અનેક નિવેદનો ત્યાંથી સામે આવ્યા જે વિચારવા મજબૂર કરે છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના બેફામ બોલ પર વિરોધ કરે અને પછી સમાજના જ લોકો રૂપાલાને ધમકી આપે તો આ લડાઈ ક્યાં જઈ રહી છે?

અમદાવાદમાં મળી હતી બેઠક જેમાં....

અમદાવાદ ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ હાજર હતી. પરંતુ ત્યાંથી જે નિવેદનો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરે છે કે બેફામ બોલ સામે લડવા નિકળેલા લોકો જ્યારે પોતે બેફામ બોલવા લાગે અને સીધી મારવાની વાતો કરવા લાગે તો? આ વાત ગઈકાલથી સામે આવેલા નિવેદનથી વિચારવા કરવા મજબૂર કરે છે. પરષોતમ રૂપાલા vs ક્ષત્રિય સમાજની લડાઈ છેલ્લા કેટલાઈ સમયથી ચાલી રહી છે ક્ષત્રિય સમાજનો વિરોધ છે કે પરષોતમ રૂપલા જે બેફામ બેન દીકરીઓ માટે બોલ્યા છે એ નહીં ચલાવી લેવામાં આવે અને એમની સામે ક્ષત્રિય સમાજના જ ઘણા લોકો રૂપાલા માટે બેફામ બોલતા દેખાય છે.


એવા નિવેદનો ક્ષત્રિયાણીઓ દ્વારા આપવામાં કે... 

તાજું ઉદાહરણ લઈએ તો ગઈકાલે ગોતામાં ક્ષત્રિય સમાજની મીટીંગ હતી જેમાં પ્રજ્ઞાબા આવ્યા હતા અને પછી અડધી મિટિંગ વચ્ચે એ ઊભા થઈને જતાં રહ્યા. એ ત્યાંથી નિકળ્યાં તો અમે તેમની સાથે વાત કરી જેમાં તે એવું કહેતા દેખાયા કે પરષોતમ રૂપાલા ચૂંટાશે તો અમે 500 બહેનો જોહર કરીશું અને છેલ્લે બોલ્યા કે " રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો" 

 


નિવેદનમાં ક્ષત્રિયાણીએ કહ્યું કે....       

પરષોતમ રૂપાલા જે બોલ્યા એ કોઈને પણ ના સ્વીકાર્ય હોય પણ એનો મતલબ એ ક્યારેય ન થાય કે તમે એક જન પ્રતિનિધિ જે જાહેર જીવનમાં છે એક વ્યક્તિ જેને દરરોજ હજારો લોકોની વચ્ચે જવાનું છે એને એવું કહો કે અમે એને મારી નાખીશું એને જીવતો નહીં રહવા દઈએ , અમે માફી ના આપીએ અમે તો માથું લઈએ જેવા સ્ટેટમેન્ટ આપો તો ક્ષત્રિય સમાજ જવાબ આપે કે તમે લોકશાહી માનવાની વાત કરો છો તો લોકશાહીમાં તમે કોઈની હત્યાની આ પ્રકારની વાત કઈ રીતે કરી શકો?



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે