પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિરોધ, બેફામ બોલ સામે લડવા નીકળેલા પોતે બેફામ બોલે એ કેમ ચાલે? સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-04-20 13:08:15

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલી લડાઈમાં રોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે.. અલગ અલગ આગેવાનોના નિવેદન સામે આવી રહ્યા છે.. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજની મહિલાઓ હાજર હતા.. અનેક નિવેદનો ત્યાંથી સામે આવ્યા જે વિચારવા મજબૂર કરે છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના બેફામ બોલ પર વિરોધ કરે અને પછી સમાજના જ લોકો રૂપાલાને ધમકી આપે તો આ લડાઈ ક્યાં જઈ રહી છે?

અમદાવાદમાં મળી હતી બેઠક જેમાં....

અમદાવાદ ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ હાજર હતી. પરંતુ ત્યાંથી જે નિવેદનો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરે છે કે બેફામ બોલ સામે લડવા નિકળેલા લોકો જ્યારે પોતે બેફામ બોલવા લાગે અને સીધી મારવાની વાતો કરવા લાગે તો? આ વાત ગઈકાલથી સામે આવેલા નિવેદનથી વિચારવા કરવા મજબૂર કરે છે. પરષોતમ રૂપાલા vs ક્ષત્રિય સમાજની લડાઈ છેલ્લા કેટલાઈ સમયથી ચાલી રહી છે ક્ષત્રિય સમાજનો વિરોધ છે કે પરષોતમ રૂપલા જે બેફામ બેન દીકરીઓ માટે બોલ્યા છે એ નહીં ચલાવી લેવામાં આવે અને એમની સામે ક્ષત્રિય સમાજના જ ઘણા લોકો રૂપાલા માટે બેફામ બોલતા દેખાય છે.


એવા નિવેદનો ક્ષત્રિયાણીઓ દ્વારા આપવામાં કે... 

તાજું ઉદાહરણ લઈએ તો ગઈકાલે ગોતામાં ક્ષત્રિય સમાજની મીટીંગ હતી જેમાં પ્રજ્ઞાબા આવ્યા હતા અને પછી અડધી મિટિંગ વચ્ચે એ ઊભા થઈને જતાં રહ્યા. એ ત્યાંથી નિકળ્યાં તો અમે તેમની સાથે વાત કરી જેમાં તે એવું કહેતા દેખાયા કે પરષોતમ રૂપાલા ચૂંટાશે તો અમે 500 બહેનો જોહર કરીશું અને છેલ્લે બોલ્યા કે " રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો" 

 


નિવેદનમાં ક્ષત્રિયાણીએ કહ્યું કે....       

પરષોતમ રૂપાલા જે બોલ્યા એ કોઈને પણ ના સ્વીકાર્ય હોય પણ એનો મતલબ એ ક્યારેય ન થાય કે તમે એક જન પ્રતિનિધિ જે જાહેર જીવનમાં છે એક વ્યક્તિ જેને દરરોજ હજારો લોકોની વચ્ચે જવાનું છે એને એવું કહો કે અમે એને મારી નાખીશું એને જીવતો નહીં રહવા દઈએ , અમે માફી ના આપીએ અમે તો માથું લઈએ જેવા સ્ટેટમેન્ટ આપો તો ક્ષત્રિય સમાજ જવાબ આપે કે તમે લોકશાહી માનવાની વાત કરો છો તો લોકશાહીમાં તમે કોઈની હત્યાની આ પ્રકારની વાત કઈ રીતે કરી શકો?



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.