પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વિરોધ, બેફામ બોલ સામે લડવા નીકળેલા પોતે બેફામ બોલે એ કેમ ચાલે? સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-04-20 13:08:15

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલી લડાઈમાં રોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે.. અલગ અલગ આગેવાનોના નિવેદન સામે આવી રહ્યા છે.. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજની મહિલાઓ હાજર હતા.. અનેક નિવેદનો ત્યાંથી સામે આવ્યા જે વિચારવા મજબૂર કરે છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાના બેફામ બોલ પર વિરોધ કરે અને પછી સમાજના જ લોકો રૂપાલાને ધમકી આપે તો આ લડાઈ ક્યાં જઈ રહી છે?

અમદાવાદમાં મળી હતી બેઠક જેમાં....

અમદાવાદ ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ હાજર હતી. પરંતુ ત્યાંથી જે નિવેદનો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરે છે કે બેફામ બોલ સામે લડવા નિકળેલા લોકો જ્યારે પોતે બેફામ બોલવા લાગે અને સીધી મારવાની વાતો કરવા લાગે તો? આ વાત ગઈકાલથી સામે આવેલા નિવેદનથી વિચારવા કરવા મજબૂર કરે છે. પરષોતમ રૂપાલા vs ક્ષત્રિય સમાજની લડાઈ છેલ્લા કેટલાઈ સમયથી ચાલી રહી છે ક્ષત્રિય સમાજનો વિરોધ છે કે પરષોતમ રૂપલા જે બેફામ બેન દીકરીઓ માટે બોલ્યા છે એ નહીં ચલાવી લેવામાં આવે અને એમની સામે ક્ષત્રિય સમાજના જ ઘણા લોકો રૂપાલા માટે બેફામ બોલતા દેખાય છે.


એવા નિવેદનો ક્ષત્રિયાણીઓ દ્વારા આપવામાં કે... 

તાજું ઉદાહરણ લઈએ તો ગઈકાલે ગોતામાં ક્ષત્રિય સમાજની મીટીંગ હતી જેમાં પ્રજ્ઞાબા આવ્યા હતા અને પછી અડધી મિટિંગ વચ્ચે એ ઊભા થઈને જતાં રહ્યા. એ ત્યાંથી નિકળ્યાં તો અમે તેમની સાથે વાત કરી જેમાં તે એવું કહેતા દેખાયા કે પરષોતમ રૂપાલા ચૂંટાશે તો અમે 500 બહેનો જોહર કરીશું અને છેલ્લે બોલ્યા કે " રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો" 

 


નિવેદનમાં ક્ષત્રિયાણીએ કહ્યું કે....       

પરષોતમ રૂપાલા જે બોલ્યા એ કોઈને પણ ના સ્વીકાર્ય હોય પણ એનો મતલબ એ ક્યારેય ન થાય કે તમે એક જન પ્રતિનિધિ જે જાહેર જીવનમાં છે એક વ્યક્તિ જેને દરરોજ હજારો લોકોની વચ્ચે જવાનું છે એને એવું કહો કે અમે એને મારી નાખીશું એને જીવતો નહીં રહવા દઈએ , અમે માફી ના આપીએ અમે તો માથું લઈએ જેવા સ્ટેટમેન્ટ આપો તો ક્ષત્રિય સમાજ જવાબ આપે કે તમે લોકશાહી માનવાની વાત કરો છો તો લોકશાહીમાં તમે કોઈની હત્યાની આ પ્રકારની વાત કઈ રીતે કરી શકો?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે