ક્ષત્રિયોના વિરોધ વચ્ચે Parshottam Rupalaએ ગામડે-ગામડે જવાનું ટાળ્યું? મતદાતા સુધી પહોંચવા માટે અપનાવી નવી રણનીતિ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-30 11:52:24

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે... ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગઈ. વિરોધ કરવા ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થયો. ઉમેદવાર સામેનો વિરોધ ભાજપના વિરોધમાં ફેરવાયો.. રાજ્યના અનેક ભાગોમાં ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે અને આ બધા વચ્ચે પ્રચાર માટે પરષોત્તમ રૂપાલાએ રણનીતિ બદલી નાખી છે તેવું કહીએ તેવું માનવામાં આવી રહ્યું છે.  

ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે ભાજપનો વિરોધ!

ગુજરાતની બે બેઠકો એવી છે જ્યાં ભાજપને  ઉમેદવાર બદલવાનો વારો આવ્યો તો અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપને રણનીતિ બદલવાનો વારો આવ્યો છે... રુપાલાએ અનેકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે.. હવે આ વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થયો છે...તો  ક્ષત્રિય સમાજના ઠેર-ઠેર વિરોધ વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલએ પોતાની રણનીતિ બદલી છે.. પરિસ્થિતિ એવી થઈ છે કે ન માત્ર રાજકોટ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવવા માટે નિર્ણય કર્યો છે. 



ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવી રણનીતિ

ક્ષત્રિય સમાજ દ્વારા રતનપરમાં અસ્મિતા મહાસંમેલન બોલાવ્યા પછી પાર્ટ- 2માં ભાજપની જ રણનીતિ અપનાવી શહેર અને જિલ્લામાં તાલુકાથી લઇ ગામડે-ગામડે સુધી એક-એક બૂથ પર ક્ષત્રિય સમાજને લઇ જઈ ભાજપને ભાજપની જ રણનીતિથી હરાવવા એક અલગ નવી ટીમો બનાવવામાં આવી રહી છે... આ બધા વચ્ચે રૂપાલાના કાર્યક્રમ પર નજર કરીએ તો ભાજપે જ્યારથી રૂપાલાને ટિકિટ આપવાનું જાહેર કર્યું ત્યારથી તેઓ રાજકોટનાં ગામડાંમાં પ્રચાર પુરજોશમાં કરી રહ્યા હતાં, કારણ કે લોકસભા ચૂંટણીમાં ગામડાંની પ્રજા પર મદાર રહેતો જોવા મળતો હોય છે. 




પરષોત્તમ રૂપાલાએ પ્રચારમાં બદલી રણનીતિ

ત્યારે ક્ષત્રિય સમાજના વધતા વિરોધનો જોતા પરષોત્તમ રૂપાલાએ પોતાની રણનીતિ બદલી છે... ગામડામાં પ્રચાર કરવા જતા પરષોત્તમ રૂપાલા હવે શહેરી વિસ્તારમાં જઈ પ્રચાર કરી રહ્યા છે. ગામડાં સુધી પહોંચવાને બદલે શહેરી વિસ્તારમાં રહેતા અલગ-અલગ સમાજના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમો કરી રહ્યા છે....છેલ્લા એક સપ્તાહથી ક્ષત્રિય સમાજનો રોષ વધતાં હવે રૂપાલા મોટા ભાગે શહેરી વિસ્તારમાં પ્રચારમાં જોડાય ગયા છે. નાનામાં નાના સમાજ સુધી પહોંચવા કવાયત શરૂ કરી દીધી છે. તેઓ રોજ ત્રણ જેટલાં અલગ-અલગ સમાજનાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી દરેકને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. 




બીજા અનેક સમાજો સુધી પહોચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલા 

ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગીને બાદ કરતાં હવે રૂપાલાની દરેક સમાજ સુધી પહોંચવાની રણનીતિ કેટલી સફળ નીવડે છે એ તો આવનારો સમય જ બતાવશે....આ સાથે પરુષોત્તમ રૂપાલા દરેક સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના ભાષણના અંતમાં 100% મતદાન માટે અપીલ કરે છે તેમજ મતદાનના દિવસે સાંજ 5 વાગ્યા પહેલાં 100% મતદાન સમાજનું પૂર્ણ થયું, ટેબ વીડિયો સમાજના પ્રમુખ અને આગેવાન બનાવીને આપે એવી માગ અને આશા વ્યક્ત કરી રહ્યા છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે