Breaking News : પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચે શરૂ થયેલા વિવાદને શાંત કરવા મળેલી બેઠક નિષ્ફળ, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ


  • Published By :
  • Published Date : 2024-04-03 17:28:18

 પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજની માગ હતી કે રાજકોટ બેઠક પર ઉમેદવારને બદલવામાં આવે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી, પરંતુ ક્ષત્રિય સમાજમાં ભરાયેલો રોષ યથાવત જોવા મળ્યો હતો. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા.  > અમદાવાદ ખાતે ભાજપના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો-નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. કલાકો ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે... 

ક્ષત્રિય સમાજ અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક 

ગુજરાતમાં અનેક એવી લોકસભા બેઠકો છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાને લઈ વિરોધ થયો હતો. એક જ માગ પર ક્ષત્રિય સમાજ અડગ હતો કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 


પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

વિવાદને શાંત કરવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. તે બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી કે ત્રીજી એપ્રિલે ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થશે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. એવું લાગતું હતું કે આ બેઠક બાદ આ વિવાદ શાંત થઈ જશે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે..... ત્યારે પ્રશ્ન છે થાય કે શું ભાજપ પોતાના ઉમેદવારને બદલશે? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.