Breaking News : પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચે શરૂ થયેલા વિવાદને શાંત કરવા મળેલી બેઠક નિષ્ફળ, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ


  • Published By :
  • Published Date : 2024-04-03 17:28:18

 પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજની માગ હતી કે રાજકોટ બેઠક પર ઉમેદવારને બદલવામાં આવે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી, પરંતુ ક્ષત્રિય સમાજમાં ભરાયેલો રોષ યથાવત જોવા મળ્યો હતો. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા.  > અમદાવાદ ખાતે ભાજપના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો-નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. કલાકો ચાલેલી બેઠક નિષ્ફળ સાબિત થઈ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે... 

ક્ષત્રિય સમાજ અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક 

ગુજરાતમાં અનેક એવી લોકસભા બેઠકો છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાને લઈ વિરોધ થયો હતો. એક જ માગ પર ક્ષત્રિય સમાજ અડગ હતો કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 


પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

વિવાદને શાંત કરવા માટે ગઈકાલે સી.આર.પાટીલના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા. તે બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી કે ત્રીજી એપ્રિલે ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થશે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી. એવું લાગતું હતું કે આ બેઠક બાદ આ વિવાદ શાંત થઈ જશે પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે..... ત્યારે પ્રશ્ન છે થાય કે શું ભાજપ પોતાના ઉમેદવારને બદલશે? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે