Parshottam rupala - ક્ષત્રિય સમાજ વિવાદમાં ઉછળ્યું ભાજપના નેતા ભરત બોઘરાનું નામ! સાંભળો વિવાદમાં સંડોવણી હોવાની ચર્ચાઓને લઈ શું કરી સ્પષ્ટતા?


  • Published By :
  • Published Date : 2024-04-09 12:03:30

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે બધા નિષ્ફળ સાબિત થયા. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પણ માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ આંદોલન પાછળ ભાજપના જ નેતાની સંડોવણી છે. ભાજપના નેતાનો હાથ હોવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું અને આ બધા વચ્ચે ભરત બોઘરાએ સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું કે  'જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.  

ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના નેતાની સંડોવણીની વાત આવી સામે!

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ આંદોલન પાછળ ભાજપના નેતાનો હાથ છે. આવી વાત સામે આવતા રાજકારણ ગરમાવું સ્વભાવિક હતું અને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના જ નેતાનો દોરી સંચાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને નિશાન ભરત બોઘારા બાજુ હતું હતું એ વચ્ચે તેમણે સ્પષ્ટતા આપી છે. 


વિવાદમાં નામ ઉછળતા ભરત બોઘરાએ કહ્યું કે.... 

ક્ષત્રિય આંદોલન પાછળ ભરત બોઘરાનું નામ ચર્ચામાં આવતા તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે હું વીસ વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કરૂં છું, આંદોલનના કોઈ પણ નેતા સાથેનો સંપર્ક જોવા મળે તો રાજકારણ છોડી દઈશ. મહત્વનું છે કે આજે કરણી સેના દ્વારા ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદને શાંત કરવા માટે કરાયેલા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરાવાના છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે