Parshottam rupala - ક્ષત્રિય સમાજ વિવાદમાં ઉછળ્યું ભાજપના નેતા ભરત બોઘરાનું નામ! સાંભળો વિવાદમાં સંડોવણી હોવાની ચર્ચાઓને લઈ શું કરી સ્પષ્ટતા?


  • Published By :
  • Published Date : 2024-04-09 12:03:30

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે બધા નિષ્ફળ સાબિત થયા. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પણ માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ આંદોલન પાછળ ભાજપના જ નેતાની સંડોવણી છે. ભાજપના નેતાનો હાથ હોવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું અને આ બધા વચ્ચે ભરત બોઘરાએ સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું કે  'જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.  

ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના નેતાની સંડોવણીની વાત આવી સામે!

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ આંદોલન પાછળ ભાજપના નેતાનો હાથ છે. આવી વાત સામે આવતા રાજકારણ ગરમાવું સ્વભાવિક હતું અને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના જ નેતાનો દોરી સંચાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને નિશાન ભરત બોઘારા બાજુ હતું હતું એ વચ્ચે તેમણે સ્પષ્ટતા આપી છે. 


વિવાદમાં નામ ઉછળતા ભરત બોઘરાએ કહ્યું કે.... 

ક્ષત્રિય આંદોલન પાછળ ભરત બોઘરાનું નામ ચર્ચામાં આવતા તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે હું વીસ વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કરૂં છું, આંદોલનના કોઈ પણ નેતા સાથેનો સંપર્ક જોવા મળે તો રાજકારણ છોડી દઈશ. મહત્વનું છે કે આજે કરણી સેના દ્વારા ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદને શાંત કરવા માટે કરાયેલા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન દાખલ કરાવાના છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.