Rajkotથી Parshottam Rupala જ લડશે ચૂંટણી? કહ્યું મને દિલ્હીથી કોઈ તેડું આવ્યું નથી! જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?


  • Published By :
  • Published Date : 2024-04-01 14:47:02

ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મોહન કુંડારીયાની ટિકીટ કાપી અને પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી હતી. આ વિવાદ એટલો બધો વધી ગયો કે પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલવાની માગ ઉઠી છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પડ્યું છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ઉમેદવારને ભાજપ બદલી શકે છે પરંતુ આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ...  

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું વિવાદીત નિવેદન 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ એવી હતી જ્યાં ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના જ કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરવા ઉતરી આવ્યા. ત્યારે રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને લઈ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે. 


પરષોત્તમ રૂપાલાએ કરી પ્રેસ કોન્ફરન્સ અને આપી આ સ્પષ્ટતા

આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકને લઈ અનેક સમાચારો સામે આવી રહ્યા હતા. એવી વાતો સામે આવી કે ભાજપ આ બેઠક પર ઉમેદવાર બદલી શકે છે, મોહન કુંડારીયાને ટિકીટ આપવામાં આવી શકે છે. ક્ષત્રિય સમાજની અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી અને આ બધા વચ્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક વાતોની સ્પષ્ટતા કરી હતી. એવી વાતો સામે આવી હતી કે તેમને દિલ્હીથી તેડું આવ્યું છે. આ નિવેદનને તેમણે નકારી કાઢ્યું છે અને તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. ત્યારે જોવું રહ્યું કે રાજકોટ બેઠક પર આગળ શું થાય છે?   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે