Rajkotથી Parshottam Rupala જ લડશે ચૂંટણી? કહ્યું મને દિલ્હીથી કોઈ તેડું આવ્યું નથી! જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 14:47:02

ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મોહન કુંડારીયાની ટિકીટ કાપી અને પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી હતી. આ વિવાદ એટલો બધો વધી ગયો કે પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલવાની માગ ઉઠી છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પડ્યું છે કે પરષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ઉમેદવારને ભાજપ બદલી શકે છે પરંતુ આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ...  

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું વિવાદીત નિવેદન 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ એવી હતી જ્યાં ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપના જ કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરવા ઉતરી આવ્યા. ત્યારે રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને લઈ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે. 


પરષોત્તમ રૂપાલાએ કરી પ્રેસ કોન્ફરન્સ અને આપી આ સ્પષ્ટતા

આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકને લઈ અનેક સમાચારો સામે આવી રહ્યા હતા. એવી વાતો સામે આવી કે ભાજપ આ બેઠક પર ઉમેદવાર બદલી શકે છે, મોહન કુંડારીયાને ટિકીટ આપવામાં આવી શકે છે. ક્ષત્રિય સમાજની અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી અને આ બધા વચ્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક વાતોની સ્પષ્ટતા કરી હતી. એવી વાતો સામે આવી હતી કે તેમને દિલ્હીથી તેડું આવ્યું છે. આ નિવેદનને તેમણે નકારી કાઢ્યું છે અને તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. ત્યારે જોવું રહ્યું કે રાજકોટ બેઠક પર આગળ શું થાય છે?   



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.