SpiceJet:વિમાનના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરને મળશે રિફંડ, એરલાઈને માફી માગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 15:15:58

મુંબઈથી બેંગલુરૂ (Mumbai-Bengaluru Flight)જઈ રહેલી  સ્પાઈસ જેટ  (SpiceJet)ની ફ્લાઈટ SG-268માં ગત મંગળવારે એક પેસેન્જર ટોયલેટમાં ફસાઈ ગયો હતો. આ મુસાફર લગભગ 100 મિનિટ સુધી પ્લેનના ટોયલેટમાં ફસાતા તેણે સ્ટાફને ફરિયાદ કરી હતી. જો કે મામલો ગરમાતા એર લાઈને માંફી માગી છે, સ્પાઈસ જેટ દ્વારા અસુવિધા બદલ પેસેન્જરને રિફંડ પણ આપવામાં આવશે. આ ઘટના ગઈ કાલે મંગળવારે બની હતી. મંગળવારે સવારે ફ્લાઈટના ટોયલેટનો દરવાજો લોક થઈ જતા પેસેન્જર ટોયલેટમાં જ ફસાઈ ગયો હતો. પેસેન્જરે સમગ્ર યાત્રા ટોયલેટમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. 


કઈ રીતે બહાર આવ્યો?


બાથરૂમમાં ફસાયેલા પેસેન્જરે મદદ માટે ક્રૂ મેમ્બરો દોડી ગયા હતા. ક્રૂ અને અન્ય પેસેન્જરોએ દરવાજો ખોલવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ક્રૂ મેમ્બરોએ પણ પત્ર લખીને કહ્યું કે સર અમે ટોયલેટનો દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યો પરંતુ દરવાજો ખુલી શક્તો નથી. તમે ગભરાશો નહીં, આપણે થોડા જ સમયમાં લેન્ડિંગ કરીશું, બાદમાં ફ્લાઈટ જ્યારે સવારે 3.42 વાગ્યે બેંગલુરૂના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી તો એરલાઈનના એન્જિનિયરો વિમાનમાં ગયા હતા અને બાદમાં ટોયલેટનો દરવાજો તોડીને બહાર કાઢ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સ્પાઈસ જેટએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે પેસેન્જરની ઓળખ પણ સામે આવી નથી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.