SpiceJet:વિમાનના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરને મળશે રિફંડ, એરલાઈને માફી માગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 15:15:58

મુંબઈથી બેંગલુરૂ (Mumbai-Bengaluru Flight)જઈ રહેલી  સ્પાઈસ જેટ  (SpiceJet)ની ફ્લાઈટ SG-268માં ગત મંગળવારે એક પેસેન્જર ટોયલેટમાં ફસાઈ ગયો હતો. આ મુસાફર લગભગ 100 મિનિટ સુધી પ્લેનના ટોયલેટમાં ફસાતા તેણે સ્ટાફને ફરિયાદ કરી હતી. જો કે મામલો ગરમાતા એર લાઈને માંફી માગી છે, સ્પાઈસ જેટ દ્વારા અસુવિધા બદલ પેસેન્જરને રિફંડ પણ આપવામાં આવશે. આ ઘટના ગઈ કાલે મંગળવારે બની હતી. મંગળવારે સવારે ફ્લાઈટના ટોયલેટનો દરવાજો લોક થઈ જતા પેસેન્જર ટોયલેટમાં જ ફસાઈ ગયો હતો. પેસેન્જરે સમગ્ર યાત્રા ટોયલેટમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. 


કઈ રીતે બહાર આવ્યો?


બાથરૂમમાં ફસાયેલા પેસેન્જરે મદદ માટે ક્રૂ મેમ્બરો દોડી ગયા હતા. ક્રૂ અને અન્ય પેસેન્જરોએ દરવાજો ખોલવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ક્રૂ મેમ્બરોએ પણ પત્ર લખીને કહ્યું કે સર અમે ટોયલેટનો દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યો પરંતુ દરવાજો ખુલી શક્તો નથી. તમે ગભરાશો નહીં, આપણે થોડા જ સમયમાં લેન્ડિંગ કરીશું, બાદમાં ફ્લાઈટ જ્યારે સવારે 3.42 વાગ્યે બેંગલુરૂના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી તો એરલાઈનના એન્જિનિયરો વિમાનમાં ગયા હતા અને બાદમાં ટોયલેટનો દરવાજો તોડીને બહાર કાઢ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સ્પાઈસ જેટએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે પેસેન્જરની ઓળખ પણ સામે આવી નથી. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.