SpiceJet:વિમાનના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરને મળશે રિફંડ, એરલાઈને માફી માગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 15:15:58

મુંબઈથી બેંગલુરૂ (Mumbai-Bengaluru Flight)જઈ રહેલી  સ્પાઈસ જેટ  (SpiceJet)ની ફ્લાઈટ SG-268માં ગત મંગળવારે એક પેસેન્જર ટોયલેટમાં ફસાઈ ગયો હતો. આ મુસાફર લગભગ 100 મિનિટ સુધી પ્લેનના ટોયલેટમાં ફસાતા તેણે સ્ટાફને ફરિયાદ કરી હતી. જો કે મામલો ગરમાતા એર લાઈને માંફી માગી છે, સ્પાઈસ જેટ દ્વારા અસુવિધા બદલ પેસેન્જરને રિફંડ પણ આપવામાં આવશે. આ ઘટના ગઈ કાલે મંગળવારે બની હતી. મંગળવારે સવારે ફ્લાઈટના ટોયલેટનો દરવાજો લોક થઈ જતા પેસેન્જર ટોયલેટમાં જ ફસાઈ ગયો હતો. પેસેન્જરે સમગ્ર યાત્રા ટોયલેટમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. 


કઈ રીતે બહાર આવ્યો?


બાથરૂમમાં ફસાયેલા પેસેન્જરે મદદ માટે ક્રૂ મેમ્બરો દોડી ગયા હતા. ક્રૂ અને અન્ય પેસેન્જરોએ દરવાજો ખોલવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ક્રૂ મેમ્બરોએ પણ પત્ર લખીને કહ્યું કે સર અમે ટોયલેટનો દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યો પરંતુ દરવાજો ખુલી શક્તો નથી. તમે ગભરાશો નહીં, આપણે થોડા જ સમયમાં લેન્ડિંગ કરીશું, બાદમાં ફ્લાઈટ જ્યારે સવારે 3.42 વાગ્યે બેંગલુરૂના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી તો એરલાઈનના એન્જિનિયરો વિમાનમાં ગયા હતા અને બાદમાં ટોયલેટનો દરવાજો તોડીને બહાર કાઢ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સ્પાઈસ જેટએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે પેસેન્જરની ઓળખ પણ સામે આવી નથી. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.