SpiceJet:વિમાનના ટોયલેટમાં ફસાયેલા પેસેન્જરને મળશે રિફંડ, એરલાઈને માફી માગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 15:15:58

મુંબઈથી બેંગલુરૂ (Mumbai-Bengaluru Flight)જઈ રહેલી  સ્પાઈસ જેટ  (SpiceJet)ની ફ્લાઈટ SG-268માં ગત મંગળવારે એક પેસેન્જર ટોયલેટમાં ફસાઈ ગયો હતો. આ મુસાફર લગભગ 100 મિનિટ સુધી પ્લેનના ટોયલેટમાં ફસાતા તેણે સ્ટાફને ફરિયાદ કરી હતી. જો કે મામલો ગરમાતા એર લાઈને માંફી માગી છે, સ્પાઈસ જેટ દ્વારા અસુવિધા બદલ પેસેન્જરને રિફંડ પણ આપવામાં આવશે. આ ઘટના ગઈ કાલે મંગળવારે બની હતી. મંગળવારે સવારે ફ્લાઈટના ટોયલેટનો દરવાજો લોક થઈ જતા પેસેન્જર ટોયલેટમાં જ ફસાઈ ગયો હતો. પેસેન્જરે સમગ્ર યાત્રા ટોયલેટમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. 


કઈ રીતે બહાર આવ્યો?


બાથરૂમમાં ફસાયેલા પેસેન્જરે મદદ માટે ક્રૂ મેમ્બરો દોડી ગયા હતા. ક્રૂ અને અન્ય પેસેન્જરોએ દરવાજો ખોલવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ક્રૂ મેમ્બરોએ પણ પત્ર લખીને કહ્યું કે સર અમે ટોયલેટનો દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યો પરંતુ દરવાજો ખુલી શક્તો નથી. તમે ગભરાશો નહીં, આપણે થોડા જ સમયમાં લેન્ડિંગ કરીશું, બાદમાં ફ્લાઈટ જ્યારે સવારે 3.42 વાગ્યે બેંગલુરૂના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી તો એરલાઈનના એન્જિનિયરો વિમાનમાં ગયા હતા અને બાદમાં ટોયલેટનો દરવાજો તોડીને બહાર કાઢ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સ્પાઈસ જેટએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી કે પેસેન્જરની ઓળખ પણ સામે આવી નથી. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.