પાટણ ASI કૃષ્ણપુરી દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા, LCB પોલીસે અડધી રાતે ત્રાટકી 5 શખ્સોને પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 18:48:11

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમની શિરે છે તે પોલીસકર્મીઓ જ દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાય ત્યારે ફરિયાદ પણ કોને કરવી. રાજ્યના પોલીસ વિભાગના પોલીસકર્મીઓ જ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. પાટણ  LCB પોલીસે બાતમી આધારે શનિવારે રાત્રે કરેલી રેડમાં શહેરના સ્ટે ઇન ગેસ્ટ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં પાટણ એ ડીવીઝન પોલીસનો ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગોસ્વામી પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ASI કૃષ્ણપુરી ઉપરાંત 5 શખ્સો પણ ઝડપાઈ ગયા હતા. પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે 5 શખ્સો સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


પાટણ ખાતે હારિજ ત્રણ રસ્તા નજીક  હારીજ લીંક રોડ સુદામા ચોકડી પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષના બીજા માળે ચાલતી હોટેલ સ્ટે ઈનનાં બેઠક રૂમમાં દારૂની મહેફિલ જમાવી બેઠેલા પાંચ મિત્રોને પાટણ એલસીબી પોલીસે ઓચિંતી રેડ કરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ શહેરના હારીજ ચાણસ્મા રોડ ઉપર હોટલ સ્ટે ઇન આવેલી છે. આ હોટલમાં કેટલાક શખ્સો દારૂ ઢિંચતા હોવાની LCB સ્ટાફને બાતમી મળી હતી. જ્યાં મધરાત્રે પાટણ એલસીબી પોલીસે રેડ કરતાં દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી હતી. પોલીસે કાંકરેજ અને મહેસાણાનાં ચાર મિત્રો સાથે પાટણના એક ASIને દારૂની મહેફિલ માણતાં આબાદ પકડી પાડ્યા હતા.


આ પાંચ આરોપીઓ સામે નોંધાયો ગુનો


પાટણ LCB પોલીસે અડધી રાતે અચાનક જ રેડ કરતાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મી ગોસ્વામી કૃષ્ણપુરી ઉપરાંત ઈશ્વરસિંહ રાજપૂત, સાહિલ રાવત, દિલીપ ચૌધરી, જયદિપ પંચાલ દારૂ પીતાં ઝડપાઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. LCBએ તમામ પાંચેય જણાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.