પાટણ ASI કૃષ્ણપુરી દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા, LCB પોલીસે અડધી રાતે ત્રાટકી 5 શખ્સોને પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 18:48:11

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમની શિરે છે તે પોલીસકર્મીઓ જ દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાય ત્યારે ફરિયાદ પણ કોને કરવી. રાજ્યના પોલીસ વિભાગના પોલીસકર્મીઓ જ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. પાટણ  LCB પોલીસે બાતમી આધારે શનિવારે રાત્રે કરેલી રેડમાં શહેરના સ્ટે ઇન ગેસ્ટ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં પાટણ એ ડીવીઝન પોલીસનો ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગોસ્વામી પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ASI કૃષ્ણપુરી ઉપરાંત 5 શખ્સો પણ ઝડપાઈ ગયા હતા. પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે 5 શખ્સો સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


પાટણ ખાતે હારિજ ત્રણ રસ્તા નજીક  હારીજ લીંક રોડ સુદામા ચોકડી પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષના બીજા માળે ચાલતી હોટેલ સ્ટે ઈનનાં બેઠક રૂમમાં દારૂની મહેફિલ જમાવી બેઠેલા પાંચ મિત્રોને પાટણ એલસીબી પોલીસે ઓચિંતી રેડ કરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ શહેરના હારીજ ચાણસ્મા રોડ ઉપર હોટલ સ્ટે ઇન આવેલી છે. આ હોટલમાં કેટલાક શખ્સો દારૂ ઢિંચતા હોવાની LCB સ્ટાફને બાતમી મળી હતી. જ્યાં મધરાત્રે પાટણ એલસીબી પોલીસે રેડ કરતાં દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી હતી. પોલીસે કાંકરેજ અને મહેસાણાનાં ચાર મિત્રો સાથે પાટણના એક ASIને દારૂની મહેફિલ માણતાં આબાદ પકડી પાડ્યા હતા.


આ પાંચ આરોપીઓ સામે નોંધાયો ગુનો


પાટણ LCB પોલીસે અડધી રાતે અચાનક જ રેડ કરતાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મી ગોસ્વામી કૃષ્ણપુરી ઉપરાંત ઈશ્વરસિંહ રાજપૂત, સાહિલ રાવત, દિલીપ ચૌધરી, જયદિપ પંચાલ દારૂ પીતાં ઝડપાઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. LCBએ તમામ પાંચેય જણાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.