પાટણ ASI કૃષ્ણપુરી દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા, LCB પોલીસે અડધી રાતે ત્રાટકી 5 શખ્સોને પકડ્યા


  • Published By :
  • Published Date : 2023-11-06 18:48:11

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમની શિરે છે તે પોલીસકર્મીઓ જ દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાય ત્યારે ફરિયાદ પણ કોને કરવી. રાજ્યના પોલીસ વિભાગના પોલીસકર્મીઓ જ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. પાટણ  LCB પોલીસે બાતમી આધારે શનિવારે રાત્રે કરેલી રેડમાં શહેરના સ્ટે ઇન ગેસ્ટ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં પાટણ એ ડીવીઝન પોલીસનો ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગોસ્વામી પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ASI કૃષ્ણપુરી ઉપરાંત 5 શખ્સો પણ ઝડપાઈ ગયા હતા. પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે 5 શખ્સો સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


પાટણ ખાતે હારિજ ત્રણ રસ્તા નજીક  હારીજ લીંક રોડ સુદામા ચોકડી પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષના બીજા માળે ચાલતી હોટેલ સ્ટે ઈનનાં બેઠક રૂમમાં દારૂની મહેફિલ જમાવી બેઠેલા પાંચ મિત્રોને પાટણ એલસીબી પોલીસે ઓચિંતી રેડ કરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ શહેરના હારીજ ચાણસ્મા રોડ ઉપર હોટલ સ્ટે ઇન આવેલી છે. આ હોટલમાં કેટલાક શખ્સો દારૂ ઢિંચતા હોવાની LCB સ્ટાફને બાતમી મળી હતી. જ્યાં મધરાત્રે પાટણ એલસીબી પોલીસે રેડ કરતાં દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી હતી. પોલીસે કાંકરેજ અને મહેસાણાનાં ચાર મિત્રો સાથે પાટણના એક ASIને દારૂની મહેફિલ માણતાં આબાદ પકડી પાડ્યા હતા.


આ પાંચ આરોપીઓ સામે નોંધાયો ગુનો


પાટણ LCB પોલીસે અડધી રાતે અચાનક જ રેડ કરતાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મી ગોસ્વામી કૃષ્ણપુરી ઉપરાંત ઈશ્વરસિંહ રાજપૂત, સાહિલ રાવત, દિલીપ ચૌધરી, જયદિપ પંચાલ દારૂ પીતાં ઝડપાઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. LCBએ તમામ પાંચેય જણાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી