Patan : હારીજ પાસે બની હિટ એન્ડ રનની ઘટના, પગપાળા જઈ રહેલા ભક્તોને અજાણ્યા વાહને કચડી નાખ્યા...


  • Published By :
  • Published Date : 2024-02-15 12:25:32

અમદાવાદમાં થોડા સમય પહેલા તથ્ય કાંડ થયો હતો. તથ્ય પટેલે નશાની હાલતમાં અનેક લોકોને પોતાની ગાડી નીચે કચડી નાખ્યા હતા. થોડા દિવસો પહેલા આણંદથી આવી ઘટના સામે આવી હતી જેમાં નબીરાએ 4 જેટલા લોકોને કચડી નાખ્યા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. હારીજ ચાણસ્મા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડી નાખ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  News18 Gujarati

હારીજમાં સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દરેક જગ્યા પર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. બેફામ બનીને લોકો એવી રીતે વાહન ચલાવતા હોય છે કે જાણે રસ્તા તેમના બાપનો હોય. રસ્તાને બાપનો બગીચો સમજીને બેઠેલા લોકો અનેક વખત એવા અકસ્માત સર્જતા હોય છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. રસ્તો ખાલી જોયો નથી કે લોકો વાહનની સ્પીડ એટલી બધી વધારી દે છે કે જો કોઈ સામેથી વાહન આવે તો વાહનને કંટ્રોલ કરવું અશક્ય બની જાય છે. ત્યારે એક ગોજારો અકસ્માત પાટણના હારીજમાં સર્જાયો છે. કાળ બનીને આવેલા ટ્રકે ત્રણ જીંદગીને કચડી નાખી. મળતી માહિતી અનુસાર ખોડીયાર માતાએ દર્શન કરવા પદયાત્રીઓ જઈ રહ્યા હતા.

News18 Gujarati

અકસ્માતમાં થયા ત્રણ લોકોના મોત, અનેક લોકોની હાલત ગંભીર 

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવામાં માટે જઈ રહ્યો હતો .હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. 

News18 Gujarati

અકસ્માત શબ્દ એટલો સામાન્ય બની ગયો છે કે...  

મહત્વનું છે કે અકસ્માતોની ઘટનામાં ભયંકર વધારો થયો છે. અકસ્માત થવો જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. અકસ્માતોમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કદાચ એટલા અકસ્માતો આપણે જોઈ લીધા છે, એટલા અકસ્માતો વિશે આપણે જાણીએ છીએ કે જો વધારે લોકોના મોત ના થયા હોય તો આપણને દુખ નથી થતું! જો અકસ્માતમાં એક કે બે વ્યક્તિનું મોત થયું હોય તો આપણને કદાચ એમ થાય કે ખાલી એક જ વ્યક્તિનું મોત થયું છે ને. આપણને ફરક ના પડે કદાચ આપણે મોટા આંકડા સાંભળવવા માટે ટેવાઈ ગયા હોઈ છીએ. ભલે એક વ્યક્તિ મોત પામે છે, તે આપણા માટે એક વ્યક્તિ હશે પરંતુ તેના પરિવાર માટે તે સર્વસ્વ હશે. કદાચ આપણામાં રહેલી માનવતા કદાચ મરી પરવારી છે કે એક વ્યક્તિનું મોત થયું હોય તો આપણને દુખ નથી થતું!     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.