Patan : હારીજ પાસે બની હિટ એન્ડ રનની ઘટના, પગપાળા જઈ રહેલા ભક્તોને અજાણ્યા વાહને કચડી નાખ્યા...


  • Published By :
  • Published Date : 2024-02-15 12:25:32

અમદાવાદમાં થોડા સમય પહેલા તથ્ય કાંડ થયો હતો. તથ્ય પટેલે નશાની હાલતમાં અનેક લોકોને પોતાની ગાડી નીચે કચડી નાખ્યા હતા. થોડા દિવસો પહેલા આણંદથી આવી ઘટના સામે આવી હતી જેમાં નબીરાએ 4 જેટલા લોકોને કચડી નાખ્યા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. હારીજ ચાણસ્મા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડી નાખ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  News18 Gujarati

હારીજમાં સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દરેક જગ્યા પર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. બેફામ બનીને લોકો એવી રીતે વાહન ચલાવતા હોય છે કે જાણે રસ્તા તેમના બાપનો હોય. રસ્તાને બાપનો બગીચો સમજીને બેઠેલા લોકો અનેક વખત એવા અકસ્માત સર્જતા હોય છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. રસ્તો ખાલી જોયો નથી કે લોકો વાહનની સ્પીડ એટલી બધી વધારી દે છે કે જો કોઈ સામેથી વાહન આવે તો વાહનને કંટ્રોલ કરવું અશક્ય બની જાય છે. ત્યારે એક ગોજારો અકસ્માત પાટણના હારીજમાં સર્જાયો છે. કાળ બનીને આવેલા ટ્રકે ત્રણ જીંદગીને કચડી નાખી. મળતી માહિતી અનુસાર ખોડીયાર માતાએ દર્શન કરવા પદયાત્રીઓ જઈ રહ્યા હતા.

News18 Gujarati

અકસ્માતમાં થયા ત્રણ લોકોના મોત, અનેક લોકોની હાલત ગંભીર 

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવામાં માટે જઈ રહ્યો હતો .હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે તેવી માહિતી સામે આવી છે. 

News18 Gujarati

અકસ્માત શબ્દ એટલો સામાન્ય બની ગયો છે કે...  

મહત્વનું છે કે અકસ્માતોની ઘટનામાં ભયંકર વધારો થયો છે. અકસ્માત થવો જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. અકસ્માતોમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કદાચ એટલા અકસ્માતો આપણે જોઈ લીધા છે, એટલા અકસ્માતો વિશે આપણે જાણીએ છીએ કે જો વધારે લોકોના મોત ના થયા હોય તો આપણને દુખ નથી થતું! જો અકસ્માતમાં એક કે બે વ્યક્તિનું મોત થયું હોય તો આપણને કદાચ એમ થાય કે ખાલી એક જ વ્યક્તિનું મોત થયું છે ને. આપણને ફરક ના પડે કદાચ આપણે મોટા આંકડા સાંભળવવા માટે ટેવાઈ ગયા હોઈ છીએ. ભલે એક વ્યક્તિ મોત પામે છે, તે આપણા માટે એક વ્યક્તિ હશે પરંતુ તેના પરિવાર માટે તે સર્વસ્વ હશે. કદાચ આપણામાં રહેલી માનવતા કદાચ મરી પરવારી છે કે એક વ્યક્તિનું મોત થયું હોય તો આપણને દુખ નથી થતું!     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે