પાટણ - લુણાવાડા બસના ડ્રાઈવરને આવ્યો Heart Attack, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે ટળી જાનહીની પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-02 16:17:04

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. પ્રતિદિન એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં એક નહીં પરંતુ બે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તેવામાં સાબરકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો અને બસ ખાડામાં ઉતરી. સમયસૂચકતા વાપરી એસટી બસ ચાલકે મુસાફરોનો આબાદ બચાવ કર્યો છે.  મહત્વનું છે કે અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો છે.     

બસ ચલાવતી વખતે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. પ્રતિદિન અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ ક્યારે મોતને ભેટી જાય છે તેની ખબર નથી પડતી. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા. ત્યારે એસટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર બની છે. 


સારવાર માટે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયા 

આ અંગે મળતી માહિતી અનુસાર પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો. તબિયત બગડતા તેમણે બસને સાઈડમાં ઉભી રાખી. બસ સાઈડમાં ઉભી રાખી પરંતુ તે બસ ખાડામાં પડી ગઈ. આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાની ટળી છે. ડ્રાઈવરને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે   


અનેક લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો જીવ 

યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં હૃદયહુમલાનો શિકાર લોકો બની રહ્યા છે. પ્રતિદિન લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ હૃદયહુમલાના કિસ્સાઓ નોંધાયા છે. તે પહેલા પણ પ્રતિદિન આવા કિસ્સાઓ આપણી આવે છે. 

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ વધારી સરકારની ચિંતા 

મહત્વનું છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા પણ વધી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. થોડા સમય પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જે લોકોને સિવિયર કોરોના થયો છે તેમણે વધારે કસરત અથવા તો શ્રમ ન કરવો જોઈએ. આજે પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી