પાટણ - લુણાવાડા બસના ડ્રાઈવરને આવ્યો Heart Attack, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે ટળી જાનહીની પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-02 16:17:04

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. પ્રતિદિન એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં એક નહીં પરંતુ બે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તેવામાં સાબરકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો અને બસ ખાડામાં ઉતરી. સમયસૂચકતા વાપરી એસટી બસ ચાલકે મુસાફરોનો આબાદ બચાવ કર્યો છે.  મહત્વનું છે કે અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો છે.     

બસ ચલાવતી વખતે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. પ્રતિદિન અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ ક્યારે મોતને ભેટી જાય છે તેની ખબર નથી પડતી. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા. ત્યારે એસટી બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર બની છે. 


સારવાર માટે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયા 

આ અંગે મળતી માહિતી અનુસાર પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો. તબિયત બગડતા તેમણે બસને સાઈડમાં ઉભી રાખી. બસ સાઈડમાં ઉભી રાખી પરંતુ તે બસ ખાડામાં પડી ગઈ. આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાની ટળી છે. ડ્રાઈવરને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે   


અનેક લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો જીવ 

યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં હૃદયહુમલાનો શિકાર લોકો બની રહ્યા છે. પ્રતિદિન લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ હૃદયહુમલાના કિસ્સાઓ નોંધાયા છે. તે પહેલા પણ પ્રતિદિન આવા કિસ્સાઓ આપણી આવે છે. 

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ વધારી સરકારની ચિંતા 

મહત્વનું છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા પણ વધી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. થોડા સમય પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જે લોકોને સિવિયર કોરોના થયો છે તેમણે વધારે કસરત અથવા તો શ્રમ ન કરવો જોઈએ. આજે પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.