Patan : Chandanji Thakorના સમર્થનમાં પહોંચેલા Rahul Gandhiને કરવો પડ્યો ક્ષત્રિયોના વિરોધનો સામનો, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-29 16:09:12

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. ચૂંટણી નજીક આવતા મતદાતાઓને રિજવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યા છે.. ભાજપના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના  દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં હતા. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં ગયા હતા પરંતુ તેમની સભા પહેલા ક્ષત્રિય સમાજના  દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા.. 

રાહુલ ગાંધીએ રાજા રાણીને લઈ આપ્યું હતું નિવેદન 

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... એક તરફ આ વિવાદ શાંત નથી થયો ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજા રાણીને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી જેને લઈ તેમનો વિરોધ આજે પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.. 


 

ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. પાટણમાં ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા તેઓ આવ્યા હતા.. સામાન્ય રીતે આજકાલ જે દ્રશ્યો ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો રાહુલ ગાંધીની સભા પહેલા જોવા મળ્યા.. કાળા વાવટા દેખાડી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો.. પોલીસ દ્વારા વિરોધ કરવામાં આવેલા લોકોને અટકાવી દેવાયા હતા... ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા.. મહત્વનું છે કે સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા... 



ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે.

ભારતમાં કોરોનાના નવા બે વેરિયન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો .