Patan : Chandanji Thakorના સમર્થનમાં પહોંચેલા Rahul Gandhiને કરવો પડ્યો ક્ષત્રિયોના વિરોધનો સામનો, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-29 16:09:12

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. ચૂંટણી નજીક આવતા મતદાતાઓને રિજવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યા છે.. ભાજપના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના  દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં હતા. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં ગયા હતા પરંતુ તેમની સભા પહેલા ક્ષત્રિય સમાજના  દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા.. 

રાહુલ ગાંધીએ રાજા રાણીને લઈ આપ્યું હતું નિવેદન 

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... એક તરફ આ વિવાદ શાંત નથી થયો ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજા રાણીને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી જેને લઈ તેમનો વિરોધ આજે પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.. 


 

ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. પાટણમાં ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા તેઓ આવ્યા હતા.. સામાન્ય રીતે આજકાલ જે દ્રશ્યો ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો રાહુલ ગાંધીની સભા પહેલા જોવા મળ્યા.. કાળા વાવટા દેખાડી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો.. પોલીસ દ્વારા વિરોધ કરવામાં આવેલા લોકોને અટકાવી દેવાયા હતા... ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા.. મહત્વનું છે કે સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.