Patan : Chandanji Thakorના સમર્થનમાં પહોંચેલા Rahul Gandhiને કરવો પડ્યો ક્ષત્રિયોના વિરોધનો સામનો, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 16:09:12

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. ચૂંટણી નજીક આવતા મતદાતાઓને રિજવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યા છે.. ભાજપના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના  દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં હતા. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં ગયા હતા પરંતુ તેમની સભા પહેલા ક્ષત્રિય સમાજના  દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા.. 

રાહુલ ગાંધીએ રાજા રાણીને લઈ આપ્યું હતું નિવેદન 

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... એક તરફ આ વિવાદ શાંત નથી થયો ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજા રાણીને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી જેને લઈ તેમનો વિરોધ આજે પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.. 


 

ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. પાટણમાં ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા તેઓ આવ્યા હતા.. સામાન્ય રીતે આજકાલ જે દ્રશ્યો ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો રાહુલ ગાંધીની સભા પહેલા જોવા મળ્યા.. કાળા વાવટા દેખાડી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો.. પોલીસ દ્વારા વિરોધ કરવામાં આવેલા લોકોને અટકાવી દેવાયા હતા... ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા.. મહત્વનું છે કે સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા... 



ગઈકાલે પીએમ મોદીએ વારાણસીની લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ દાવેદારી નોંધાવી હતી.. ઉમેદવારોએ એફિડેવિટ કરવી પડતી હોય છે જેમાં તેમની પાસે કેટલી મિલકત છે, કેટલું સોનું છે તે સહિતની વિગતો આપવાની રહે છે. પીએમ બન્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

ગુજરાતમાં પણ અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બનાસકાંઠા, વલસાડ. ભરૂચ, આણંદ સહિતની અનેક બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે.. ત્યારે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 14 જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવો આશાવાદ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી લીધું કે 2024ની ચૂંટણીમાં આપણે તમામ 26 બેઠક પર ફક્ત જીત નથી મેળવવી પરંતુ 5 લાખ મતની લીડથી જીત મેળવવી છે. પરંતુ ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં આ ટાર્ગેટ પૂર્ણ થવો મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.