Patan : Chandanji Thakorના સમર્થનમાં પહોંચેલા Rahul Gandhiને કરવો પડ્યો ક્ષત્રિયોના વિરોધનો સામનો, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-29 16:09:12

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. ચૂંટણી નજીક આવતા મતદાતાઓને રિજવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધી રહ્યા છે.. ભાજપના, કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના  દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં હતા. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં ગયા હતા પરંતુ તેમની સભા પહેલા ક્ષત્રિય સમાજના  દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા.. 

રાહુલ ગાંધીએ રાજા રાણીને લઈ આપ્યું હતું નિવેદન 

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... એક તરફ આ વિવાદ શાંત નથી થયો ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજા રાણીને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી જેને લઈ તેમનો વિરોધ આજે પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.. 


 

ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. પાટણમાં ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા તેઓ આવ્યા હતા.. સામાન્ય રીતે આજકાલ જે દ્રશ્યો ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જોવા મળતા હોય છે તેવા દ્રશ્યો રાહુલ ગાંધીની સભા પહેલા જોવા મળ્યા.. કાળા વાવટા દેખાડી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો.. પોલીસ દ્વારા વિરોધ કરવામાં આવેલા લોકોને અટકાવી દેવાયા હતા... ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા.. મહત્વનું છે કે સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ભાવનગરના મહારાજાને યાદ કર્યા હતા... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે