અમદાવાદના આલ્ફા વન મોલમાં પઠાણ ફિલ્મનો કરાયો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-05 11:39:10

25 જાન્યુઆરીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવાની છે. પરંતુ આ ફિલ્મને લઈ અનેક વિવાદો ચાલી રહ્યા છે. બેશરમ રંગ સોન્ગમાં કેસરી રંગનો ઉપયોગ કરવાને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ રંગને હિંદુઓની લાગણી સાથે જોડી આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ અને વીએચપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 


વિરોધ પ્રદર્શનમાં પોસ્ટરને પહોંચાડ્યું નુકસાન 

પઠાણ ફિલ્મને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારથી ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થયું ત્યારથી વિવાદ છેડાઈ ગયો હતો. દિપીકાની ભગવા રંગની બિકીનીના કારણે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. અનેક સ્થળો પર પોસ્ટર લઈ આ ફિલ્મ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનેક વખત પોસ્ટરને ફાળી નાખવામાં આવ્યા હતા તો કોઈ વખત બાળી પણ નાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ તેમજ વિએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટરને ફાળી નાખી આક્રામક વિરોધ નોંધાવામાં આવ્યો હતો.  

Deepika Padukone bikini controversy Shah rukh khan Pathaan saffron row


આવનાર સમયમાં આ ફિલ્મનો થઈ શકે છે ઉગ્ર વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ તો કરાયો પરંતુ ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન શાહરૂખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ ચીમકી પણ આપી કે જો ફિલ્મ રિલીઝ થશે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ ફિલ્મને લઈ અનેક સમાજ, ધર્મ તેમજ કલાકારો પણ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આવનાર સમયમાં આ ફિલ્મનો વિરોધ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે