અમદાવાદના આલ્ફા વન મોલમાં પઠાણ ફિલ્મનો કરાયો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-05 11:39:10

25 જાન્યુઆરીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવાની છે. પરંતુ આ ફિલ્મને લઈ અનેક વિવાદો ચાલી રહ્યા છે. બેશરમ રંગ સોન્ગમાં કેસરી રંગનો ઉપયોગ કરવાને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ રંગને હિંદુઓની લાગણી સાથે જોડી આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ અને વીએચપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 


વિરોધ પ્રદર્શનમાં પોસ્ટરને પહોંચાડ્યું નુકસાન 

પઠાણ ફિલ્મને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારથી ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થયું ત્યારથી વિવાદ છેડાઈ ગયો હતો. દિપીકાની ભગવા રંગની બિકીનીના કારણે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. અનેક સ્થળો પર પોસ્ટર લઈ આ ફિલ્મ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનેક વખત પોસ્ટરને ફાળી નાખવામાં આવ્યા હતા તો કોઈ વખત બાળી પણ નાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ તેમજ વિએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટરને ફાળી નાખી આક્રામક વિરોધ નોંધાવામાં આવ્યો હતો.  

Deepika Padukone bikini controversy Shah rukh khan Pathaan saffron row


આવનાર સમયમાં આ ફિલ્મનો થઈ શકે છે ઉગ્ર વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ તો કરાયો પરંતુ ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન શાહરૂખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ ચીમકી પણ આપી કે જો ફિલ્મ રિલીઝ થશે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ ફિલ્મને લઈ અનેક સમાજ, ધર્મ તેમજ કલાકારો પણ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આવનાર સમયમાં આ ફિલ્મનો વિરોધ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.