અમદાવાદના આલ્ફા વન મોલમાં પઠાણ ફિલ્મનો કરાયો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-05 11:39:10

25 જાન્યુઆરીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવાની છે. પરંતુ આ ફિલ્મને લઈ અનેક વિવાદો ચાલી રહ્યા છે. બેશરમ રંગ સોન્ગમાં કેસરી રંગનો ઉપયોગ કરવાને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ રંગને હિંદુઓની લાગણી સાથે જોડી આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ અને વીએચપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 


વિરોધ પ્રદર્શનમાં પોસ્ટરને પહોંચાડ્યું નુકસાન 

પઠાણ ફિલ્મને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારથી ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થયું ત્યારથી વિવાદ છેડાઈ ગયો હતો. દિપીકાની ભગવા રંગની બિકીનીના કારણે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. અનેક સ્થળો પર પોસ્ટર લઈ આ ફિલ્મ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનેક વખત પોસ્ટરને ફાળી નાખવામાં આવ્યા હતા તો કોઈ વખત બાળી પણ નાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ તેમજ વિએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટરને ફાળી નાખી આક્રામક વિરોધ નોંધાવામાં આવ્યો હતો.  

Deepika Padukone bikini controversy Shah rukh khan Pathaan saffron row


આવનાર સમયમાં આ ફિલ્મનો થઈ શકે છે ઉગ્ર વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ તો કરાયો પરંતુ ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન શાહરૂખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ ચીમકી પણ આપી કે જો ફિલ્મ રિલીઝ થશે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ ફિલ્મને લઈ અનેક સમાજ, ધર્મ તેમજ કલાકારો પણ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આવનાર સમયમાં આ ફિલ્મનો વિરોધ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.