પાટીદાર સમાજમાં યુવતીઓની ભારે અછત, આ પરિસ્થિતી માટે જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-04-16 14:39:36

ઉત્તર ગુજરાતના પાટીદારો વગદાર સમાજ ગણાય છે, પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સધ્ધર છે. જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા, વીસનગર, પાટણ, ઊંઝા સહિતના શહેરો અને તેની આસપાસના ગામોમાં સાધન સંપન્ન પાટીદાર પરિવારોના યુવકોને પણ તેના સમાજની પાટીદાર યુવતીઓ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. આ જ કારણે પાટીદારોને બહારના રાજ્યોમાંથી કન્યાઓ લાવવી પડે છે. બૂંદેલખંડ,ઝારખંડ, મધ્ય પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારની યુવતીઓ સાથે પાટીદાર યુવકોના લગ્નનું પ્રમાણ વધ્યું છે. આ માટે મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિસનગરમાં યોજાયો સીતા સ્વયંવર


પાટીદાર કુર્મી મહાસભા દ્વારા મહેસાણાના વિસનગર ખાતે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં માત્ર 150 યુવતીઓને જ હાજર રહી હતી. આ યુવતીઓ મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર, બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી યુવતીઓ લગ્ન માટે લાવવામાં આવી હતી. આ સીતા સ્વંયવરનું આયોજન પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કર્યું હતું. જો કે આ કાયક્રમનો ફિયાસ્કો થયો હતો, લગ્નોત્સુક યુવાનો ભારે નિરાશા સાથે તેમના ઘરે પરત ફર્યા હતા.


શા માટે સર્જાઈ કન્યાઓની અછત?


ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં યુવતીઓની ભ્રુણ હત્યાનું ચલણ આજથી 30 વર્ષ રહેલાથી જ શરૂ ગયું હતું. પાટીદાર સમાજ આજે તે પાપની સજા ભોગવી રહ્યો છે. પાટીદારોમાં યુવકોની તુલનામાં યુવતીઓની સંખ્યા ચિંતાજનક હદે ઓછી છે. વર્તમાન સમયમાં સારો પગાર, સરકારી નોકરી, વિદેશ નિવાસ, કે પછી મોટી જમીન ધરાવતા  પાટીદાર યુવાનોને જ યુવતીઓ મળતી હોય છે. આ જ કારણે મધ્યમ વર્ગના પાટીદાર યુવાનો લગ્નની ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં લગ્નના માર્કેટમાં તેમનો કોઈ ભાવ પણ પુછતું નથી. પરિસ્થિતી એટલી હદે વણસી છે કે કેટલાક યુવકોનો મહિને બે લાખનો  પગાર હોય તેમ છતાં તેમને યુવતી મળતી નથી. પાટીદારોમાં હવે સાટા પધ્ધતી તથા અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવવાનું ચલણ વધ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે