પાટીદાર સમાજમાં યુવતીઓની ભારે અછત, આ પરિસ્થિતી માટે જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-04-16 14:39:36

ઉત્તર ગુજરાતના પાટીદારો વગદાર સમાજ ગણાય છે, પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સધ્ધર છે. જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા, વીસનગર, પાટણ, ઊંઝા સહિતના શહેરો અને તેની આસપાસના ગામોમાં સાધન સંપન્ન પાટીદાર પરિવારોના યુવકોને પણ તેના સમાજની પાટીદાર યુવતીઓ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. આ જ કારણે પાટીદારોને બહારના રાજ્યોમાંથી કન્યાઓ લાવવી પડે છે. બૂંદેલખંડ,ઝારખંડ, મધ્ય પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારની યુવતીઓ સાથે પાટીદાર યુવકોના લગ્નનું પ્રમાણ વધ્યું છે. આ માટે મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિસનગરમાં યોજાયો સીતા સ્વયંવર


પાટીદાર કુર્મી મહાસભા દ્વારા મહેસાણાના વિસનગર ખાતે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં માત્ર 150 યુવતીઓને જ હાજર રહી હતી. આ યુવતીઓ મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર, બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી યુવતીઓ લગ્ન માટે લાવવામાં આવી હતી. આ સીતા સ્વંયવરનું આયોજન પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કર્યું હતું. જો કે આ કાયક્રમનો ફિયાસ્કો થયો હતો, લગ્નોત્સુક યુવાનો ભારે નિરાશા સાથે તેમના ઘરે પરત ફર્યા હતા.


શા માટે સર્જાઈ કન્યાઓની અછત?


ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં યુવતીઓની ભ્રુણ હત્યાનું ચલણ આજથી 30 વર્ષ રહેલાથી જ શરૂ ગયું હતું. પાટીદાર સમાજ આજે તે પાપની સજા ભોગવી રહ્યો છે. પાટીદારોમાં યુવકોની તુલનામાં યુવતીઓની સંખ્યા ચિંતાજનક હદે ઓછી છે. વર્તમાન સમયમાં સારો પગાર, સરકારી નોકરી, વિદેશ નિવાસ, કે પછી મોટી જમીન ધરાવતા  પાટીદાર યુવાનોને જ યુવતીઓ મળતી હોય છે. આ જ કારણે મધ્યમ વર્ગના પાટીદાર યુવાનો લગ્નની ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં લગ્નના માર્કેટમાં તેમનો કોઈ ભાવ પણ પુછતું નથી. પરિસ્થિતી એટલી હદે વણસી છે કે કેટલાક યુવકોનો મહિને બે લાખનો  પગાર હોય તેમ છતાં તેમને યુવતી મળતી નથી. પાટીદારોમાં હવે સાટા પધ્ધતી તથા અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવવાનું ચલણ વધ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.