પાટીદાર સમાજમાં યુવતીઓની ભારે અછત, આ પરિસ્થિતી માટે જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-04-16 14:39:36

ઉત્તર ગુજરાતના પાટીદારો વગદાર સમાજ ગણાય છે, પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સધ્ધર છે. જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા, વીસનગર, પાટણ, ઊંઝા સહિતના શહેરો અને તેની આસપાસના ગામોમાં સાધન સંપન્ન પાટીદાર પરિવારોના યુવકોને પણ તેના સમાજની પાટીદાર યુવતીઓ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. આ જ કારણે પાટીદારોને બહારના રાજ્યોમાંથી કન્યાઓ લાવવી પડે છે. બૂંદેલખંડ,ઝારખંડ, મધ્ય પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારની યુવતીઓ સાથે પાટીદાર યુવકોના લગ્નનું પ્રમાણ વધ્યું છે. આ માટે મહેસાણાના વિસનગર ખાતે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિસનગરમાં યોજાયો સીતા સ્વયંવર


પાટીદાર કુર્મી મહાસભા દ્વારા મહેસાણાના વિસનગર ખાતે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં માત્ર 150 યુવતીઓને જ હાજર રહી હતી. આ યુવતીઓ મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્ર, બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી યુવતીઓ લગ્ન માટે લાવવામાં આવી હતી. આ સીતા સ્વંયવરનું આયોજન પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કર્યું હતું. જો કે આ કાયક્રમનો ફિયાસ્કો થયો હતો, લગ્નોત્સુક યુવાનો ભારે નિરાશા સાથે તેમના ઘરે પરત ફર્યા હતા.


શા માટે સર્જાઈ કન્યાઓની અછત?


ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં યુવતીઓની ભ્રુણ હત્યાનું ચલણ આજથી 30 વર્ષ રહેલાથી જ શરૂ ગયું હતું. પાટીદાર સમાજ આજે તે પાપની સજા ભોગવી રહ્યો છે. પાટીદારોમાં યુવકોની તુલનામાં યુવતીઓની સંખ્યા ચિંતાજનક હદે ઓછી છે. વર્તમાન સમયમાં સારો પગાર, સરકારી નોકરી, વિદેશ નિવાસ, કે પછી મોટી જમીન ધરાવતા  પાટીદાર યુવાનોને જ યુવતીઓ મળતી હોય છે. આ જ કારણે મધ્યમ વર્ગના પાટીદાર યુવાનો લગ્નની ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં લગ્નના માર્કેટમાં તેમનો કોઈ ભાવ પણ પુછતું નથી. પરિસ્થિતી એટલી હદે વણસી છે કે કેટલાક યુવકોનો મહિને બે લાખનો  પગાર હોય તેમ છતાં તેમને યુવતી મળતી નથી. પાટીદારોમાં હવે સાટા પધ્ધતી તથા અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવવાનું ચલણ વધ્યું છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.