પીએમ મોદીના નજીકના ગણાતા પાટીલને મળી શકે છે આ રાજ્યમાં ચૂંટણીને લઈ મોટી જવાબદારી, શું ચાલશે પાટીલની રણનીતિનો જાદુ?


  • Published By :
  • Published Date : 2023-03-17 10:24:48

ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 156 સીટો જીતી વિક્રમ સર્જ્યો છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવી શકાય છે. મળતી માહિતી અનુસાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સંમતિ મળી ગઈ છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. 


રાજસ્થાન ચૂંટણીમાં સી.આર.પાટીલ ભજવી શકે છે ભૂમિકા! 

સી.આર.પાટીલને વડાપ્રધાન મોદીના નજીકના તેમજ વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. ચૂંટણીને લઈ સી.આર.પાટીલને મહત્વની ભૂમિકા સોંપવામાં આવતી હોય છે. ઉત્તરપ્રદેશ, બિહાર સહિત દેશની અનેક ચૂંટણીમાં સી.આર.પાટીલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન સી.આર.પાટીલે ખુબ મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે રાજસ્થાન ચૂંટણીમાં તેમની રણનીતિનો સહારો લઈ શકાય છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.


સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવાશે! 

હાલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ છે. તેમના દ્વારા ઘડવામાં આવેલી રણનીતિને નિષ્ણાંતો માઈક્રો લેવલની રણનીતિ ગણતા હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. રાજસ્થાનમાં આ વખતે ભાજપને જૂથવાદનો સામનો કરવો પડી શકે છે. કારણ કે એક તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાને મુખ્યમંત્રીના ઉમેદવાર માની રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ આ વાતને લઈ દાવો રજૂ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ભાજપ માટે જૂથવાદ એક સમસ્ચા સાબિત થઈ શકે છે. ચૂંટણી દરમિયાન આંતરિક ડખા ન થાય તે માટે સી.આર.પાટીલને રાજસ્થાન ઈલેક્શનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.