પીએમ મોદીના નજીકના ગણાતા પાટીલને મળી શકે છે આ રાજ્યમાં ચૂંટણીને લઈ મોટી જવાબદારી, શું ચાલશે પાટીલની રણનીતિનો જાદુ?


  • Published By :
  • Published Date : 2023-03-17 10:24:48

ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 156 સીટો જીતી વિક્રમ સર્જ્યો છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવી શકાય છે. મળતી માહિતી અનુસાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સંમતિ મળી ગઈ છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. 


રાજસ્થાન ચૂંટણીમાં સી.આર.પાટીલ ભજવી શકે છે ભૂમિકા! 

સી.આર.પાટીલને વડાપ્રધાન મોદીના નજીકના તેમજ વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. ચૂંટણીને લઈ સી.આર.પાટીલને મહત્વની ભૂમિકા સોંપવામાં આવતી હોય છે. ઉત્તરપ્રદેશ, બિહાર સહિત દેશની અનેક ચૂંટણીમાં સી.આર.પાટીલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન સી.આર.પાટીલે ખુબ મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે રાજસ્થાન ચૂંટણીમાં તેમની રણનીતિનો સહારો લઈ શકાય છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.


સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવાશે! 

હાલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ છે. તેમના દ્વારા ઘડવામાં આવેલી રણનીતિને નિષ્ણાંતો માઈક્રો લેવલની રણનીતિ ગણતા હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. રાજસ્થાનમાં આ વખતે ભાજપને જૂથવાદનો સામનો કરવો પડી શકે છે. કારણ કે એક તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાને મુખ્યમંત્રીના ઉમેદવાર માની રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ આ વાતને લઈ દાવો રજૂ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ભાજપ માટે જૂથવાદ એક સમસ્ચા સાબિત થઈ શકે છે. ચૂંટણી દરમિયાન આંતરિક ડખા ન થાય તે માટે સી.આર.પાટીલને રાજસ્થાન ઈલેક્શનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.