પીએમ મોદીના નજીકના ગણાતા પાટીલને મળી શકે છે આ રાજ્યમાં ચૂંટણીને લઈ મોટી જવાબદારી, શું ચાલશે પાટીલની રણનીતિનો જાદુ?


  • Published By :
  • Published Date : 2023-03-17 10:24:48

ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 156 સીટો જીતી વિક્રમ સર્જ્યો છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવી શકાય છે. મળતી માહિતી અનુસાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સંમતિ મળી ગઈ છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. 


રાજસ્થાન ચૂંટણીમાં સી.આર.પાટીલ ભજવી શકે છે ભૂમિકા! 

સી.આર.પાટીલને વડાપ્રધાન મોદીના નજીકના તેમજ વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. ચૂંટણીને લઈ સી.આર.પાટીલને મહત્વની ભૂમિકા સોંપવામાં આવતી હોય છે. ઉત્તરપ્રદેશ, બિહાર સહિત દેશની અનેક ચૂંટણીમાં સી.આર.પાટીલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન સી.આર.પાટીલે ખુબ મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે રાજસ્થાન ચૂંટણીમાં તેમની રણનીતિનો સહારો લઈ શકાય છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.


સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવાશે! 

હાલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ છે. તેમના દ્વારા ઘડવામાં આવેલી રણનીતિને નિષ્ણાંતો માઈક્રો લેવલની રણનીતિ ગણતા હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. રાજસ્થાનમાં આ વખતે ભાજપને જૂથવાદનો સામનો કરવો પડી શકે છે. કારણ કે એક તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાને મુખ્યમંત્રીના ઉમેદવાર માની રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ આ વાતને લઈ દાવો રજૂ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ભાજપ માટે જૂથવાદ એક સમસ્ચા સાબિત થઈ શકે છે. ચૂંટણી દરમિયાન આંતરિક ડખા ન થાય તે માટે સી.આર.પાટીલને રાજસ્થાન ઈલેક્શનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.