પટણા HCનો મોટો ફેંસલો, બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી ચાલુ રહેશે, નીતીશ સરકારને મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-08-01 16:02:05

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને લઈ પટણા હાઈકોર્ટે મહત્વો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં વસ્તી ગણતરી ચાલુ રહેશે. પટણા હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર સ્ટે માગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને આર્થિક સર્વે પર સ્ટે લગાવવા સંબંધિત અરજીઓ ફગાવી દીધી છે. નીતીશ કુમાર સરકાર માટે આ મોટા રાહત સમાચાર છે, હવે કહીં શકાય કે બિહારમાં ફરી એક વખત જાતિ આધારીત વસ્તી ગણતરીનો માર્ગ સાફ થઈ ગયો છે. 

 

નીતીશ સરકાર માટે મોટી રાહત


જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે અગાઉ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર પાસે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની સત્તા નથી. આ કેન્દ્ર સરકારનો અધિકાર છે, કેન્દ્ર સરકાર જ જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી શકે છે. નીતીશ કુમાર સરકારે સ્પષ્ટપણે કાસ્ટ સર્વેનો નિર્ણય લીધો હતો, આ માટે કેન્દ્રથી અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રદેશ સરકારે પોતાના સ્તરે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાનો ફેંશલો કર્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.