પટણા HCનો મોટો ફેંસલો, બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી ચાલુ રહેશે, નીતીશ સરકારને મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-08-01 16:02:05

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને લઈ પટણા હાઈકોર્ટે મહત્વો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં વસ્તી ગણતરી ચાલુ રહેશે. પટણા હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર સ્ટે માગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને આર્થિક સર્વે પર સ્ટે લગાવવા સંબંધિત અરજીઓ ફગાવી દીધી છે. નીતીશ કુમાર સરકાર માટે આ મોટા રાહત સમાચાર છે, હવે કહીં શકાય કે બિહારમાં ફરી એક વખત જાતિ આધારીત વસ્તી ગણતરીનો માર્ગ સાફ થઈ ગયો છે. 

 

નીતીશ સરકાર માટે મોટી રાહત


જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે અગાઉ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર પાસે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની સત્તા નથી. આ કેન્દ્ર સરકારનો અધિકાર છે, કેન્દ્ર સરકાર જ જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી શકે છે. નીતીશ કુમાર સરકારે સ્પષ્ટપણે કાસ્ટ સર્વેનો નિર્ણય લીધો હતો, આ માટે કેન્દ્રથી અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રદેશ સરકારે પોતાના સ્તરે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાનો ફેંશલો કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.