પટણા HCનો મોટો ફેંસલો, બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી ચાલુ રહેશે, નીતીશ સરકારને મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-08-01 16:02:05

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરીને લઈ પટણા હાઈકોર્ટે મહત્વો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં વસ્તી ગણતરી ચાલુ રહેશે. પટણા હાઈકોર્ટે જાતિ આધારીત વસ્તી ગણતરી પર સ્ટે માગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને આર્થિક સર્વે પર સ્ટે લગાવવા સંબંધિત અરજીઓ ફગાવી દીધી છે. નીતીશ કુમાર સરકાર માટે આ મોટા રાહત સમાચાર છે, હવે કહીં શકાય કે બિહારમાં ફરી એક વખત જાતિ આધારીત વસ્તી ગણતરીનો માર્ગ સાફ થઈ ગયો છે. 

 

નીતીશ સરકાર માટે મોટી રાહત


જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે અગાઉ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર પાસે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની સત્તા નથી. આ કેન્દ્ર સરકારનો અધિકાર છે, કેન્દ્ર સરકાર જ જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી શકે છે. નીતીશ કુમાર સરકારે સ્પષ્ટપણે કાસ્ટ સર્વેનો નિર્ણય લીધો હતો, આ માટે કેન્દ્રથી અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રદેશ સરકારે પોતાના સ્તરે જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાનો ફેંશલો કર્યો હતો.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."