કોંગ્રેસના પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માગ્યું


  • Published By :
  • Published Date : 2022-10-31 17:20:44

ગુજરાતના મોરબીમાં જે દુર્ઘટના ઘટી તે મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે અને કાલે તેઓ મોરબી મુલાકાતે આવી રહ્યા છે તેની વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ મીડિયા ચેરમેન પવન ખેરાએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મોરબીમાં ગઈકાલે ઝુલતો પુલ ધરાશાયી થતાં 130થી વધુ લોકોના મોત થયા છે. 


મોરબીમાં દુર્ઘટના થઈ છે અને પ્રધાનમંત્રી ટોપી પહેરીને ફરે છેઃ પવન ખેરા

દેશના પ્રધાનમંત્રીની જન્મ અને કર્મભૂમિ છે તેમના કાર્યક્રમ ચાલુ છે અફસોસ થાય છે દિલમાં દર્દ બધાને છે. પત્રકારોને છે, દેશના સામાન્ય લોકોને  છે, પરંતુ જે ગુજરાતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા તે આજે તે જ ગુજરાતમાં આવીને માફ કરજો પણ હેટ લગાવીને કાર્યક્રમ કરી રહ્યા છે. જોવાતું નથી અમારાથી, ફરિયાદ થથઈ છે પણ તેમાં કોઈ મંત્રી કે અધિકારીનું નામ નથી. અજંતા ટ્રસ્ટને મેઈન્ટેઈનેન્સ લેવાનો નિર્ણય કોનો હતો, તેનો જવાબ આવવો જોઈએ, શું રિબન કાપવાની જલ્દબાજીમાં પુલ ખોલી દેવામાં આવ્યો હતો, 12-17 રૂપિયાની ટિકિટમાં પુલ ખોલ્યો, અને આવી દુર્ઘટના ઘટે છે તેનો જવાબદાર કોણ છે. હું પૂછવા માગું છું કે માણસના જીવનની કોઈ કિંમત છે કે નહીં. 


મારા મનને મનાવીને અહીં આવ્યો છુંઃ પ્રધાનમંત્રી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. બનાસકાંઠના વિસ્તારોને પાણીદાર બનાવવાના પ્રોજેક્ટ મામલે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સવારે વડોદરામાં અને બપોરે બનાસકાંઠાની રેલીમાં મોરબીની દુર્ઘટનાને યાદ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છું. પ્રધાનમંત્રીએ બનાસકાંઠામાં સંબોધનમાં દરમિયાન કહ્યું હતું કે હું મારા મનને મનાવીને અહીં આવ્યો છું. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.