Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, IPO પ્રાઈઝ 2,150 રૂપિયાથી 79% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:34:57

ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના શેર આ દિવસોમાં ચર્ચામાં છે. Paytmની પેરેન્ટ કંપની One 97 Communication તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થઈ છે. Paytmના શેરમાં IPOના ભાવથી અત્યાર સુધીમાં 75 ટકાનો ઘટાડો થયો છે. Paytmનો મેગા IPO છેલ્લા દાયકામાં રોકાણકારોના નાણાંનું ધોવાણ થવાના સંદર્ભમાં અવ્વલે નંબરે આવ્યો છે. Paytmના સંસ્થાપકો કંપનીના પડકારોની તુલના Tesla Inc સાથે કરે છે.


Paytmની માર્કેટ વેલ્યું 75 ટકા ઘટી


Paytmનો શેરોનું લિસ્ટિંગ થયા બાદ માત્ર એક જ વર્ષમાં કંપનીની માર્કેટ વેલ્યું 2.4 અબજ ડોલરથી 75 ટકા ઘટી ચુકી છે. આ પહેલા વર્ષ 2012માં સ્પેનની બેંકિયા એસએનું લિસ્ટિંગ થયા બાદ એક જ વર્ષમાં તેના મૂલ્યમાં 82 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો વિશ્વના સૌથી મોટા લુઝર બન્યા છે. PayTm IPOમાં ₹1,00,000નું રોકાણ કરનારા લોકો પાસે માત્ર ₹25000 બચ્યા છે. વન 97 કોમ્યુનિકેશનનો IPO લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં જ ખરાબ પ્રદર્શન કરનારા ટોચના IPOઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.


IPOની કિંમતથી 79% ઘટી


Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationનો શેર ગુરુવારે લગભગ 2.5 ટકા ઘટીને ₹440ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1873 રૂપિયા છે. હાલમાં પેટીએમના શેર લગભગ 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, જાપાનની SoftBank Group Corp એ IPO માં સેટ કરેલ લોક-અપ સમયગાળો સમાપ્ત થયો હોવાથી Paytm માં રાખેલા શેર વેચ્યા હતા, તેના કારણે ત્રણ દિવસથી શેર ઘટી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જ કંપનીનો શેર 30% ઘટાડો નોંધાયો છે, Paytmનો શેર IPOની કિંમત 2,150 રૂપિયાથી 79% ઘટી ગયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.