Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, IPO પ્રાઈઝ 2,150 રૂપિયાથી 79% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:34:57

ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના શેર આ દિવસોમાં ચર્ચામાં છે. Paytmની પેરેન્ટ કંપની One 97 Communication તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થઈ છે. Paytmના શેરમાં IPOના ભાવથી અત્યાર સુધીમાં 75 ટકાનો ઘટાડો થયો છે. Paytmનો મેગા IPO છેલ્લા દાયકામાં રોકાણકારોના નાણાંનું ધોવાણ થવાના સંદર્ભમાં અવ્વલે નંબરે આવ્યો છે. Paytmના સંસ્થાપકો કંપનીના પડકારોની તુલના Tesla Inc સાથે કરે છે.


Paytmની માર્કેટ વેલ્યું 75 ટકા ઘટી


Paytmનો શેરોનું લિસ્ટિંગ થયા બાદ માત્ર એક જ વર્ષમાં કંપનીની માર્કેટ વેલ્યું 2.4 અબજ ડોલરથી 75 ટકા ઘટી ચુકી છે. આ પહેલા વર્ષ 2012માં સ્પેનની બેંકિયા એસએનું લિસ્ટિંગ થયા બાદ એક જ વર્ષમાં તેના મૂલ્યમાં 82 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો વિશ્વના સૌથી મોટા લુઝર બન્યા છે. PayTm IPOમાં ₹1,00,000નું રોકાણ કરનારા લોકો પાસે માત્ર ₹25000 બચ્યા છે. વન 97 કોમ્યુનિકેશનનો IPO લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં જ ખરાબ પ્રદર્શન કરનારા ટોચના IPOઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.


IPOની કિંમતથી 79% ઘટી


Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationનો શેર ગુરુવારે લગભગ 2.5 ટકા ઘટીને ₹440ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1873 રૂપિયા છે. હાલમાં પેટીએમના શેર લગભગ 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, જાપાનની SoftBank Group Corp એ IPO માં સેટ કરેલ લોક-અપ સમયગાળો સમાપ્ત થયો હોવાથી Paytm માં રાખેલા શેર વેચ્યા હતા, તેના કારણે ત્રણ દિવસથી શેર ઘટી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જ કંપનીનો શેર 30% ઘટાડો નોંધાયો છે, Paytmનો શેર IPOની કિંમત 2,150 રૂપિયાથી 79% ઘટી ગયો છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.