Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, IPO પ્રાઈઝ 2,150 રૂપિયાથી 79% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:34:57

ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના શેર આ દિવસોમાં ચર્ચામાં છે. Paytmની પેરેન્ટ કંપની One 97 Communication તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થઈ છે. Paytmના શેરમાં IPOના ભાવથી અત્યાર સુધીમાં 75 ટકાનો ઘટાડો થયો છે. Paytmનો મેગા IPO છેલ્લા દાયકામાં રોકાણકારોના નાણાંનું ધોવાણ થવાના સંદર્ભમાં અવ્વલે નંબરે આવ્યો છે. Paytmના સંસ્થાપકો કંપનીના પડકારોની તુલના Tesla Inc સાથે કરે છે.


Paytmની માર્કેટ વેલ્યું 75 ટકા ઘટી


Paytmનો શેરોનું લિસ્ટિંગ થયા બાદ માત્ર એક જ વર્ષમાં કંપનીની માર્કેટ વેલ્યું 2.4 અબજ ડોલરથી 75 ટકા ઘટી ચુકી છે. આ પહેલા વર્ષ 2012માં સ્પેનની બેંકિયા એસએનું લિસ્ટિંગ થયા બાદ એક જ વર્ષમાં તેના મૂલ્યમાં 82 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો વિશ્વના સૌથી મોટા લુઝર બન્યા છે. PayTm IPOમાં ₹1,00,000નું રોકાણ કરનારા લોકો પાસે માત્ર ₹25000 બચ્યા છે. વન 97 કોમ્યુનિકેશનનો IPO લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં જ ખરાબ પ્રદર્શન કરનારા ટોચના IPOઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.


IPOની કિંમતથી 79% ઘટી


Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationનો શેર ગુરુવારે લગભગ 2.5 ટકા ઘટીને ₹440ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1873 રૂપિયા છે. હાલમાં પેટીએમના શેર લગભગ 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, જાપાનની SoftBank Group Corp એ IPO માં સેટ કરેલ લોક-અપ સમયગાળો સમાપ્ત થયો હોવાથી Paytm માં રાખેલા શેર વેચ્યા હતા, તેના કારણે ત્રણ દિવસથી શેર ઘટી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જ કંપનીનો શેર 30% ઘટાડો નોંધાયો છે, Paytmનો શેર IPOની કિંમત 2,150 રૂપિયાથી 79% ઘટી ગયો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.