Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, IPO પ્રાઈઝ 2,150 રૂપિયાથી 79% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 16:34:57

ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmના શેર આ દિવસોમાં ચર્ચામાં છે. Paytmની પેરેન્ટ કંપની One 97 Communication તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થઈ છે. Paytmના શેરમાં IPOના ભાવથી અત્યાર સુધીમાં 75 ટકાનો ઘટાડો થયો છે. Paytmનો મેગા IPO છેલ્લા દાયકામાં રોકાણકારોના નાણાંનું ધોવાણ થવાના સંદર્ભમાં અવ્વલે નંબરે આવ્યો છે. Paytmના સંસ્થાપકો કંપનીના પડકારોની તુલના Tesla Inc સાથે કરે છે.


Paytmની માર્કેટ વેલ્યું 75 ટકા ઘટી


Paytmનો શેરોનું લિસ્ટિંગ થયા બાદ માત્ર એક જ વર્ષમાં કંપનીની માર્કેટ વેલ્યું 2.4 અબજ ડોલરથી 75 ટકા ઘટી ચુકી છે. આ પહેલા વર્ષ 2012માં સ્પેનની બેંકિયા એસએનું લિસ્ટિંગ થયા બાદ એક જ વર્ષમાં તેના મૂલ્યમાં 82 ટકાનો ઘટાડો નોંધાયો હતો. Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો વિશ્વના સૌથી મોટા લુઝર બન્યા છે. PayTm IPOમાં ₹1,00,000નું રોકાણ કરનારા લોકો પાસે માત્ર ₹25000 બચ્યા છે. વન 97 કોમ્યુનિકેશનનો IPO લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં જ ખરાબ પ્રદર્શન કરનારા ટોચના IPOઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.


IPOની કિંમતથી 79% ઘટી


Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationનો શેર ગુરુવારે લગભગ 2.5 ટકા ઘટીને ₹440ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. Paytm શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1873 રૂપિયા છે. હાલમાં પેટીએમના શેર લગભગ 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, જાપાનની SoftBank Group Corp એ IPO માં સેટ કરેલ લોક-અપ સમયગાળો સમાપ્ત થયો હોવાથી Paytm માં રાખેલા શેર વેચ્યા હતા, તેના કારણે ત્રણ દિવસથી શેર ઘટી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જ કંપનીનો શેર 30% ઘટાડો નોંધાયો છે, Paytmનો શેર IPOની કિંમત 2,150 રૂપિયાથી 79% ઘટી ગયો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .